________________
પ્રજ્ઞા
૩૩
૩૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
સમ્યક્ દ્રષ્ટિ એટલે આત્માની જ દ્રષ્ટિ બધી ઉત્પન્ન થયેલી. એટલે આ તો બહુ ઊંચું છે. જે સ્થિતપ્રજ્ઞને એ તો બહુ આનાથી ઘણી નીચી કોટી. પણ લોકોને સ્થિતપ્રજ્ઞ નહીં સમજાયેલું.
સ્થિતપ્રણે ય નહીં થયું. કારણ કે સ્થિતપ્રજ્ઞ લોકોને શી રીતે થાય છે કે એમને એમ લાગે કે “હું આત્મા છું', એમાં થોડી વખત સ્થિર રહેવાય અને પછી પાછું આઘુંપાછું થવાય તે સ્થિતપ્રજ્ઞ. પ્રજ્ઞામાં સ્થિર થવા જાય ને પાછો આઘોપાછો થાય. એ નિરંતર રહી શકાય જ નહીંને ! આ તો સાયન્સ આખું હાથમાં આવે નહીંને ! કારણ કે ચાર વેદ ભણેને ત્યારે વેદ ઈટસેલ્ફ કહે છે ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ. તો વોટ ઈઝ ધેટ ? ત્યારે કહે, ‘ગો ટુ જ્ઞાની'. કારણ કે એ અવક્તવ્યઅવર્ણનીય શબ્દોમાં શી ઉતરે ? આત્મા શબ્દમાં ઉતરે શી રીતે ? એટલે એને એ વક્તવ્ય કહ્યો, અવર્ણનીય કહ્યો.
ન ખાતારો-પીતારો-બોલતારો આત્મા ! પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞની કઈ ભાષા હોય ? કેવું ખાય અને શું પીવે?
દાદાશ્રી : આ સ્થિતપ્રજ્ઞની ઊંચી દશા છે, ઊંચી ભાષા છે, આમાં પાછું વાંકું ય બોલે છે. લ્યો ! શું ખાય છે ? એ દશાને અને આને ખાવાપીવાને લેવા-દેવા જ શું ? કારણ કે ખાનાર તો સાવ જુદો જ છે. મુક્ત થનારથી ખાનાર તો સાવ જુદો જ છે, બંધાયેલાથી ખાનાર સાવ જુદો છે. મુક્ત થવાની ઈચ્છા ધરાવે છે, તેનાથી ય ખાનાર જુદો છે, પછી એને લેવાદેવા શું ખાનાર જોડે ? આ ઝીણી વાત કોણ બહાર પાડે ? બહાર પાડે કોઈ ? તમને કેવું લાગે છે ? જુદો છે કે નહીં ?
પહેરજો. એવું અમે જુદો છે જોયાં પછી આ વાત ખુલ્લી કરીએને, નહીંતર કહીએ નહીંને ! કારણ કે મુક્ત થનારથી આ દેહ સાવ જુદો છે. ખાનારપીનાર, રંગ-રાગ કરનાર, ચા-પાણી પીનાર, ટેસ્ટથી પીનાર, મૂછો પર હાથ ફેરવનાર, બધાં જુદા છે. બંધાયેલાથી ય જુદા છે. બંધાયેલો તો આવું કશું કરે નહીં ને ? બંધાયેલો તો ‘બંધીને જાણે. ‘બંધ’ને જાણે ને ‘બંધ’ને અનુભવે, એનું નામ બંધાયેલો. આ બધાં લોક તો બંધાયેલાં ના કહેવાય ને ? બંધાયેલા એ જાણતાં ય નથી. આપણે બંધાયેલા છીએ એવું ભાને ય નથી.
એ સ્થિતપ્રજ્ઞ શબ્દ છે એ વ્યવહારિક શબ્દ છે.
જરાય આમ ગમે તેવી મુશ્કેલીમાં ડરે નહીં, એટલું બધું બુદ્ધિ સ્થિર થયેલી હોય. બુદ્ધિનો વિભાગ છે એ. બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ સુધી પહોંચેલી અને પ્રજ્ઞા ઊભી થયેલી નથી આ. અજ્ઞ દશા બધા જીવને છે.
નવ્વાણું સુધી સ્થિતપ્રજ્ઞ તે સો એ પ્રજ્ઞા !
જ્યારે કૃષ્ણ ભગવાનને સ્થિતપ્રજ્ઞ દશા કહી તે છે તે પ્રજ્ઞા કરતાં નીચી દશા છે.
પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞ નીચી દશા છે ?
પ્રશ્નકર્તા : જુદો છે.
દાદાશ્રી : પ્રજ્ઞા કરતાં નીચી દશા છે. સ્થિતપ્રજ્ઞ દશા એટલે બુધ્ધિથી થતી થતી થતી જાય. એ બુધ્ધિ કઇ પાછી ? અવ્યભિચારીણી બુધ્ધિ. કૃષ્ણ ભગવાને બે પ્રકારની બુધ્ધિ કહી. વ્યભિચારીણી અને અવ્યભિચારીણી. તે અવ્યભિચારીણી બુધ્ધિ સ્થિર થતી જાય, અસ્થિર તો છે જ અત્યારે. અસ્થિર એટલે ઇમોશનલ. સ્થિર થતી જાય, દહાડે દહાડે. સ્થિર થઇ ત્યારે એનું જેમ સત્તાણું પછી અઠ્ઠાણું, નવ્વાણું સંખ્યામાં ગણાય અને સો મુખ્ય વસ્તુ કહેવાય ત્યારે પૂર્ણાહુતિ થાય. હંડ્રેડ પરસન્ટ, સેન્ટ પરસન્ટ કહેશે. આ સ્થિતપ્રજ્ઞ દશા એ બુધ્ધિની સ્થિરતાનું સેન્ટ પરસેન્ટ છે અને પ્રજ્ઞા તો કુલ વસ્તુ જ છે, મૂળ વસ્તુ જ.
દાદાશ્રી : ખાનાર જુદો જ છે. તેથી તો અમે ભેદ પાડ્યો. ભઈ, વાંધો નહીં બા. તમે જે ખાતાં હોય તેમાં અમારે વાંધો નથી. ત્યારે કહે, લુગડાં પહેરીએ ? ફર્સ્ટ કલાસ લુગડાં પહેરજો. દેહ જ પહેરે છેને ! એરિંગ ઘાલીએ ? તો એરિંગ ઘાલજો. ‘વાળી પહેરીએ ?” ત્યારે કહે, વાળી