SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા ૩૧ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા: એટલે સ્થિતઅજ્ઞ દશામાંથી બહાર નીકળીને આ સ્થિતપ્રજ્ઞ દશા થાય ? જ લઈ જાય. સ્થિતપ્રજ્ઞને તો મોક્ષે જવાને માટે હજુ આગળ બધો માર્ગ જોઈશે. દાદાશ્રી : ના, એ તો બુદ્ધિ સ્થિર થઈ છે. અજ્ઞા ચંચળ હોય. એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ છે એવાં સ્થિતપ્રજ્ઞ. બાકી પ્રજ્ઞા તો ત્યાં આગળ હોય જ નહીં, સ્થિતપ્રજ્ઞ દશા હોય. છતાં પ્રજ્ઞા કહે ખરાં, પણ તે ક્રમિકનું. આ પ્રજ્ઞા તો પ્યૉર આત્માનો ભાગ જ જુદો પડે છે. પ્રશ્નકર્તા : ટુકડાઓ ના પાડી શકાય ને આત્માનાં, પ્રતિષ્ઠિત આત્મા ને મૂળ આત્માનાં ? દાદાશ્રી : એ ગૂંચાઇ જાય ઊલટો. બધું ધારણ રાખવાની શક્તિ હોય, ત્યારે એ બધું એના વિભાગથી જાણે. એટલી જાગૃતિ જોઇએને ! બધું ચોગરદમ લક્ષ રાખવું જોઇએ. અમે એનો અંશેઅંશ જાણીએ. પ્રશ્નકર્તા : આ સ્થિતપ્રજ્ઞની જે વાત છે એ જરા હજી વિગતથી સમજાવો. અકમતી તો ઘણી ઊંચી દશા ! પ્રશ્નકર્તા તો સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞા પહેલાંની સ્થિતિ છે ? દાદાશ્રી : આ પ્રજ્ઞા પહેલાંની સ્થિતિ છે, પણ આ તો આ લોકોએ બહુ મોટી વસ્તુ ચઢાવી દીધી. સ્થિતપ્રજ્ઞ તો નીચેની સ્થિતિ છે. પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. પહેલું સ્થિતપ્રજ્ઞ થતું થતું થતું પછી પ્રજ્ઞા થાય છે. પ્રશ્નકર્તા : તો પછી મને એ સવાલ થાય છે કે પ્રજ્ઞા કેળવ્યા પછી એમાં સ્થિર થવું એટલે સ્થિતપ્રજ્ઞ, એ પછીની સ્થિતિ થાય ? દાદાશ્રી : ના, એ પછીની સ્થિતિ નથી. એટલે છે પહેલાંની સ્થિતિ. આ સ્થિતપ્રજ્ઞ થઈ એટલે સ્થિર જ થઈ ગયો. આ તો સ્થિતપ્રજ્ઞ એટલે પ્રજ્ઞા થોડી થોડી, અંશે અંશે આવે અને એમાં સ્થિર થાય એ પોતે, અને આપણે અહીં જ્ઞાન આપીએ છીએ ત્યારે તો સવશે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. આ છે તે સ્થિતપ્રજ્ઞ, તે એની સામે સ્થિતઅન્ન દશા છે. ‘હું ચંદુભાઈ છું, આનો મામો થઉં, આનો કાકો થઉં', એ બધી સ્થિતઅજ્ઞ દશા. આ જો અજ્ઞા છૂટી ને પ્રજ્ઞા ઉત્પન્ન થઈ, પછી પ્રજ્ઞામાં દુઃખ ના હોય. કારણ કે પોતાનાં સનાતન સુખનો ભોગી થયો. દાદાશ્રી : એ તો માણસ છે તે ખૂબ શાસ્ત્રનું અધ્યયન કરે, સંતોની સેવા કરે, તનતોડ ખૂબ ધંધા કરે ને ધંધામાં ખોટ આવે. તે બધી જાતના અનુભવો તરી તરીને જાય, પછી આગળ ફરતો ફરતો જ્યારે બુદ્ધિ સ્થિર થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય. બુદ્ધિ એની સ્થિર થઈ જાય. આમથી પવન આવે તો ય આમ હાલે નહીં, આમથી આવે તો ય આમ ના હાલે. એવી સ્થિરબુદ્ધિ હોય ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય. સ્થિતપ્રજ્ઞ દશા એ બહુ જ સવિવેકવાળી જાગૃતિ દશા છે. એ અનુભવ કરતાં કરતાં ઉપર આવે. સ્થિતપ્રજ્ઞ દશા કરતાં જનકવિદેહીની દશા ઊંચી હતી. પ્રશ્નકર્તા : ગીતામાં સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કહી છે તે આ જ ને ? દાદાશ્રી : સ્થિતપ્રજ્ઞથી તો ઘણી ઊંચી આ સ્થિતિ. પ્રશ્નકર્તા : એનાથી ઊંચી ? દાદાશ્રી : ઘણી ઊંચી સ્થિતિ આ તો. અજાયબ સ્થિતિ આ તો ! કૃષ્ણ ભગવાનની સ્થિતિ હતી, તે સ્થિતિ છે આ. આ તો ક્ષાયિક સમક્તિની સ્થિતિ છે. કૃષ્ણ ભગવાનને ક્ષાયિક સમ્યકત્વ હતું એટલે મિથ્યાત્વ દ્રષ્ટિ જ આખી ખલાસ થઈ ગયેલી. સ્થિતપ્રજ્ઞ દશા કરતાં પ્રજ્ઞાશક્તિ બહુ ઊંચી છે. સ્થિતપ્રજ્ઞ દશામાં તો વ્યવહારનો એક્કો હોય. બીજું, લોકોનાં તરફની નિંદા જેવી વસ્તુ ના હોય, એ એની જાતને સ્થિતપ્રજ્ઞ માની શકે. પણ આ પ્રજ્ઞા એ તો મોક્ષ
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy