SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રી ૨૯ ૩૦ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) તો સારું-ખોટું હોય જ નહીં ને ! અહીં તો સનાતન તરફ લઈ જનારી વસ્તુઓ હોય. આ મિથ્યા છે ને, તેમાંથી સનાતન તરફ લઈ જનારી વસ્તુ હોય. વાતચીત, વ્યવહાર બધું, સનાતન તરફ લઈ જનારી વસ્તુ. એ તમે જુઓ એટલે પછી તમને એમ થાય કે આ જુદું, પેલું જોય. પ્રશ્નકર્તા : સમ્યક્ બુદ્ધિ ભૂલો ના કરાવે ? મહીં સ્થિર થવું, એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા શબ્દથી પેલા શાસ્ત્ર તરફ દોરવાઈ જવાય છે કે આત્મા વિશે જે જ્ઞાન આપ્યું હોય તે આપણે પરિગ્રહ્યું હોય ને, તો પછી પ્રજ્ઞા ઊભી થાય. તમે અત્યારે જે વાત કરી કે પ્રજ્ઞા એ તો સ્વાભાવિક જ છે. દાદાશ્રી : એટેક ના કરાવે. પ્રશ્નકર્તા અને જાગૃતિ ભૂલો દેખાડે ? દાદાશ્રી : જાગૃતિ તો બધું દેખાડે. અહીં કોઈ પણ આવ્યું-ગયું હોય, બધું દેખાડી દે, જાગૃતિ તો કેવળજ્ઞાનનો ભાગ છે. અને જ્યાં સુધી જાગૃતિ ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી જગત નિદ્રામાં છે, ઊઘાડી આંખે. પ્રશ્નકર્તા પ્રજ્ઞા જેવી રીતે ચેતવે છે તો સમ્યક્ બુદ્ધિ શું હેલ્પ કરે ? દાદાશ્રી : એ એવું જ કામ કરે પણ એ તો પોતે જ વિનાશીને ! એટલે કંઈ મોટી ચેતવણી ના આપી શકે. પ્રશ્નકર્તા: ખાલી હિતાહિતનું ભાન રાખે એટલું જ. દાદાશ્રી : એ તો તેની તે જ બુદ્ધિ, આ સંસારી બુદ્ધિ હોય છેને એવી. તે પણ જ્ઞાની પુરુષની પાસે બેસી રહીએ એટલે એ બુદ્ધિ પછી એ સમ્યક્ થઈ જાય. સમ્યક્ થતી જાય બુદ્ધિ. બાકી સમ્યક્ તો જ્ઞાન એકલું જ હોય, પણ આ બુદ્ધિ સમ્યક્ થઈ જાય. અવ્યભિચારીણી બુદ્ધિ એ તો અશાંતિમાંય શાંતિ કરાવે, પ્રજ્ઞા આવતાં પહેલાનું સ્ટેજ. સ્થિતપ્રજ્ઞ દશા તે પ્રગટ પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા પ્રજ્ઞા, સ્થિતપ્રજ્ઞ, એ શબ્દોમાં સ્થિતપ્રજ્ઞ સમજાવો. દાદાશ્રી : પોતાને જે સાચી રીતે ઓળખવું એ સમજ છે ને એની દાદાશ્રી : એ પ્રજ્ઞા સ્વાભાવિક છે ને ! આ સ્થિતપ્રજ્ઞ એ જુદી વસ્તુ છે. પ્રશ્નકર્તા: ‘હું ચંદુભાઈ છું’ એથી તો અશદશા થઈ. પછી તમારી પાસે આવું ને તમે અમને કહો, ‘તમે શુદ્ધાત્મા છો' એથી તો સ્થિતપ્રજ્ઞ થાય. દાદાશ્રી : સ્થિતપ્રજ્ઞ ય નહીં, સ્થિતપ્રજ્ઞથી ઉપરની વાત છે. સ્થિતપ્રજ્ઞ એ દશા છે. પ્રજ્ઞા આવવાની નજીકમાં આ દશા આવે છે. પ્રજ્ઞા શરૂ થવાની નજીકમાં એ દશા આવે છે. જે દશા સંસારમાં બધી સાક્ષીભાવની હોય એ. પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય. અને સ્થિતપ્રજ્ઞ દશા એ આત્મા થતાં પહેલાં થાય, તે વ્યવહારમાં અહંકાર સહિત હોય છે. પણ વ્યવહાર બહુ સુંદર હોય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાને આત્મામાં સ્થિર થયેલી બુદ્ધિ એવું ક્રમિક માર્ગમાં કહે છે, તો આપણામાં એ પ્રજ્ઞા એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું ? દાદાશ્રી : એ આત્મા જ છે. એ આત્માનો ભાગ જ છે અને બહાર તો પેલી સ્થિરબુદ્ધિ તો સ્થિતપ્રજ્ઞ દશા, એ પ્રજ્ઞા નહીં. એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ છે એવી દશા. સ્થિતપ્રજ્ઞ થાય ત્યારે અજ્ઞાશક્તિ છે તે કોઈ વખત ચઢી ય બેસે. સ્થિતપ્રજ્ઞની મદદથી જતી રહે ય ખરી, પણ ચઢી બેસવાનો ભય ખરો સ્થિતપ્રજ્ઞમાં. પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થયા પછી ભય ના રહે.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy