________________
પ્રજ્ઞા
૨૫
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જ નહીં. ઊલટી બુદ્ધિ થાકી જાય. બુદ્ધિ આપણને હેરાન કરી નાખે. એ બુદ્ધિને આમાં વાપરવી જ નહીં. એની જરૂરિયાત જ નથી રહેતી.
આ હું જે બોલું છું એ આવરણભેદી શબ્દો છે. એટલે આવરણ ભેદીને એના આત્માને પહોંચે છે અને હું શું કહું છું કે તમારો આત્મા કબુલ કરે તો જ એક્સેપ્ટ કરજો. ને તમારો આત્મા કબૂલ કરે છે. એટલે આમાં હવે બુદ્ધિ છેટી રહે છે.
પ્રશ્નકર્તા: તો દાદાનું જ્ઞાન લીધા પછી મહાત્માઓને દાદા પાસે વારંવાર આવવાનું મન થાય તે પ્રજ્ઞાથી કે બુદ્ધિથી ?
દાદાશ્રી : બુદ્ધિ ને પ્રજ્ઞાનું બેઉનું કામ નથી. પ્રજ્ઞા ને બુદ્ધિનું કામ જુદું છે. અમુક ભાગ પ્રજ્ઞાનો. બીજું આ તેડી લાવે એ બધું પુણ્યનું !
પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે પણ એ પાછું પ્રજ્ઞા કામ કરતી હોય ત્યારે થાય ?
દાદાશ્રી : એટલે પ્રજ્ઞા એ કામ કરતી હોય, તો બધા આવવા જોઈએ મહાત્મા ? પણ બધા આવી શકતાં નથી. કહે છે કે, મારે હમણે થોડી પળે કાચી પડી જાય છે. પ્રજ્ઞા જ એના માટે જવાબદાર હોય તો તો બધા ય આવવા જોઈએને ?
સંસાર ચલાવતારી બુદ્ધિ ! પ્રશ્નકર્તા: સંસાર ચલાવવા પૂરતી આપણે જે કંઈ બુદ્ધિ વાપરીએ એ બધી અજ્ઞા જ કહેવાય ?
છે બુદ્ધિને. અને પેલી (પ્રજ્ઞા) તો મજબૂત વારેઘડીએ ચેતવે છે, એ વાત ચોક્કસ ને ?
અને લોકો મને પૂછે છે, ‘દાદા, મને આત્માનો અનુભવ થશે ?” તો પેલું રોજ થાય છે ને પાછો બીજો ક્યો કરવો છે? કહ્યું. જ્યારે ડફણું મારીએ ત્યારે થાય, નહીં ? પાછળ ડફણું મારીએ ?
પ્રશ્નકર્તા : અજ્ઞા પણ તૂટેલા પગે જોર બહુ કર્યે રાખે છે.
દાદાશ્રી : હા, એ તો અપંગનું કામ જ એવું. વધારે ઉછાળા મારે. આપણે કહેવુંને, ‘હવે અપંગ થઈને, બેસ છાનીમાની. બહુ દહાડા હૈ ઉપકાર કર્યા છે અમારી પર, હવે બેસ. બહુ થયું.”
પ્રશ્નકર્તા: દાદા, આ જે નિકાલી બાબતો, વિચારો ને બધું આવે છે, ત્યારે સફોકેશન થાય છે, ગુંગળામણ થાય છે, ત્યારે અજ્ઞા ઉછાળા મારતી હોય છે ?
દાદાશ્રી : અજ્ઞા ઉછાળા મારે ને !
પ્રશ્નકર્તા : એટલે થાય સફોકેશન ?
દાદાશ્રી : ના, એકલું અજ્ઞાથી થાય એવું નહીં. મહીં મન પણ એવું બધું થયેલું હોય ને, તોય ઉછાળા મારે. વધારે તો બુદ્ધિ જ ઉછાળા મરાવડાવે.
પ્રશ્નકર્તા: જીજ્ઞાસા એ પ્રજ્ઞાનો ભાગ કહેવાય કે બુદ્ધિનો ભાગ ?
દાદાશ્રી : બુદ્ધિનો. પ્રજ્ઞા તો હોય જ નહીં ને ! પ્રજ્ઞા ઊભી થાય તો જ્ઞાની થયો કહેવાય. પણ જીજ્ઞાસુની બુદ્ધિ કેવી ? ડહાપણવાળી, ઘડાયેલી બુદ્ધિ, સમ્યક્ બુદ્ધિ હોય !
સમ્યક્ બુદ્ધિ અને પ્રજ્ઞા એક જ ! જેટલા કલાક એટલી બુદ્ધિ સમ્યક થતી જાય પણ પ્રજ્ઞા ના ઊભી થાય. પ્રજ્ઞા તો જ્ઞાન સિવાય ઊભી થાય નહીં. સ્થિતપ્રજ્ઞ જે દશા કહે, એ છે તે અમુક ટાઇમે જ્ઞાનની દશા આટલી ઊંચે જાય ત્યારે અજવાળું દેખાય
દાદાશ્રી : એ બધી અજ્ઞા કહેવાય.
પ્રશ્નકર્તા: દાદા, આ જે અજ્ઞા અને પ્રજ્ઞાની જે ખેંચતાણ ચાલે, એમાં પ્રજ્ઞા જે પુણ્યશાળી હોય એની જ જીતી જાય ને ?
- દાદાશ્રી : ના. એ તો હવે પ્રજ્ઞા જ જીતી જાય. કારણ કે દાદાએ આપેલું જ્ઞાન એ બુદ્ધિના પગ જ ભાંગી નાખે છે. એટલે અપંગ બનાવે