________________
પ્રશા
૨૩
પ્રજ્ઞાતી માત્ર જ્ઞાતક્રિયાઓ !
પ્રશ્નકર્તા : આ પછીની જે દશા આવે પ્રજ્ઞાની, એ જ્ઞાન કહેવાય?
દાદાશ્રી : ના, પ્રજ્ઞા એ જ્ઞાનનું સ્વરૂપ જ છે, એનો ભાગ જ છે. પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી એ પ્રજ્ઞા ગણાય અને કાર્ય ય એ જ કરે છે બધું. અને દેહ ના હોય ત્યારે આત્મા ગણાય.
પ્રશ્નકર્તા : કારણ કે આત્મા કશું કરતો નથી એટલે એનાં એજન્ટ તરીકે પ્રજ્ઞા બધું કરે છે ?
દાદાશ્રી : હું, એ કર્તા તરીકે નહીં, જ્ઞાનક્રિયાઓ કરે છે.
બુદ્ધિથી ઊંચી પ્રજ્ઞા, એથી ઊંચું વિજ્ઞાત !
પ્રશ્નકર્તા : અજ્ઞાશક્તિ એટલે બુદ્ધિ ?
દાદાશ્રી : હા, એ બુદ્ધિ જ. પણ બુદ્ધિ-અહંકાર બધું ભેળું થઈને પછી એ શક્તિ થાય છે. એકલી બુદ્ધિ હોય ત્યારે તો બુદ્ધિ કહીએ એને આપણે ને પ્રજ્ઞા એટલે જ્ઞાન. આત્મા બધું ભેળું થઈને પ્રશાશક્તિ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા એ બુદ્ધિથી પણ બહુ ઊંચી વસ્તુ છે ?
દાદાશ્રી : હા, એ બુદ્ધિથી ઊંચી છે પણ પ્રજ્ઞાથી વિજ્ઞાન ઘણું ઊંચું છે. પણ આ જે વિજ્ઞાન તમે માનો છોને, એ બુદ્ધિનું વિજ્ઞાન છે. એટલે અત્યારે આ ચાલુ છે, એ વિજ્ઞાનની વાત કરો છો ? એ વિજ્ઞાનનો અર્થ તમે તમારી ભાષામાં સમજ્યા છો. આ લોકભાષામાં જેને વિજ્ઞાન કહે છે, તેને તમે વિજ્ઞાન કહો છો ? એ તો ભૌતિક વિજ્ઞાન છે અને અમે અધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ છીએ.
પ્રશ્નકર્તા ઃ સામાન્ય રીતે લોકો એ વિજ્ઞાનને જ વિજ્ઞાન કહે છે. દાદાશ્રી : પણ એ વિજ્ઞાનને હું વિજ્ઞાન નથી કહેતો. હું વિજ્ઞાન એને કહું છું કે જે પ્રજ્ઞાથી બહુ જ ઊંચી સ્ટેજ છે. જ્યાં બુદ્ધિની જરૂર જ નથી. બુદ્ધિ ખલાસ થવાની શરૂઆત થાય ત્યારે પ્રજ્ઞા ઊભી થાય.
૨૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
અધ્યાત્મમાં બુદ્ધિતો સહારો !
પ્રશ્નકર્તા : બુદ્ધિ છે, એનો સહારો ક્યાં સુધી ? આપણને એ અધ્યાત્મમાં ક્યાં સુધી ઉપયોગી બને ?
દાદાશ્રી : બુદ્ધિ અધ્યાત્મમાં અમુક હદ સુધી જ લઈ જાય પણ મોક્ષ તરફ ના જવા દે.
પ્રશ્નકર્તા : હા, પણ અધ્યાત્મના કયા સ્ટેજ સુધી લઈ જાય ?
દાદાશ્રી : એ અમુક સમજવાના સ્ટેજ સુધી. સમજવાની બહાર મોક્ષ તરફ ખેંચાણ થાય એ બાજુ નહીં. આ બાજુ તરત ખેંચે, પાછી સંસાર તરફ ખેંચે. મોક્ષ તરફનું ખેંચાણ ‘એને’ થયું તો આ બુદ્ધિ તરત જ આ સંસાર બાજુ ખેંચે. એટલે બુદ્ધિ એ તો એક ફક્ત આપણને અધ્યાત્મ સમજવા માટે કામ લાગે.
પ્રશ્નકર્તા : પણ મોક્ષમાં જવા માટે કામ ન લાગે.
દાદાશ્રી : ચાલે જ નહીંને ! કામ જ ના લાગેને બુદ્ધિ. એ બુદ્ધિ એને ઊલટું રખડાવી મારે. ઊલટું અવળું-હવળું શીખવાડે.
પ્રશ્નકર્તા : કોઈ પણ માણસ દાદા પાસે આવે, એટલે દાદાનું જે જ્ઞાન છે એ એની બુદ્ધિથી જ એણે પહેલાં સમજવાનું ને ? દાદાનું ‘જ્ઞાન’ લીધા પછી બુદ્ધિની વાત પર બની જાય ?
દાદાશ્રી : પછી છે તે બુદ્ધિનું ચલણ જ બંધ થઈ જાય. પછી ચલણ છે તે પ્રજ્ઞાનું થાય. પ્રજ્ઞાનો સ્વભાવ છે કે નિરંતર મોક્ષે લઈ જવા માટે જ તમને ચેતવ ચેતવ કર્યા કરે.
અધ્યાત્મ સમજવા માટે અહીં આવે એ તો બુદ્ધિથી નથી સમજતો. મારી પાસે બુદ્ધિથી સમજી શકે જ નહીં કોઈ માણસ. કેમ કે હું જે વાણી બોલું છુંને, તે વાણી આવરણો તોડીને આત્માને ટચ થાય છે અને એને પોતાને સમજાય છે. બાકી હું જે બોલું છે એને બુદ્ધિ વિશ્લેષણ કરી શકે