________________
પ્રજ્ઞા
૨૧
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
બુદ્ધિએ ડખો કર્યો. એ કોણ જણાવે છે ? શુદ્ધાત્મા જણાવે છે કે પ્રજ્ઞાશક્તિ જણાવે છે?
દાદાશ્રી : એ શુદ્ધાત્મા તો કામ જ નથી કરતો. પ્રજ્ઞાશક્તિ જ બતાવે. શુદ્ધાત્માને બદલે એની પ્રતિનિધિ તરીકે પ્રજ્ઞાશક્તિ જ કામ કરે અને એ બધું જણાવે અને એ છે તે ઉછું તમને એ બાજુ જતાં હોય તો પાછું ખેંચીને પાછાં આમ આત્મા તરફ તેડી લાવે. બુદ્ધિને અજ્ઞા કહેવાય. તે અજ્ઞાનું શું કામ કે મોક્ષે ના જતાં રહે, તે અહીંની અહીં ખેંચ ખેંચ કરે. આ પ્રજ્ઞા ને અજ્ઞા, બેની ભાંજગડો અને અજ્ઞામાં જો આપણે ભળ્યા પછી થઈ ગયું અજ્ઞાનું કામ, પછી ખુશ થઈ જાય. એટલે પ્રજ્ઞા પછી થાકે. આ મૂળ ધણી ભળ્યો ત્યારે શું થાય તે !
પ્રશ્નકર્તા : દાદા, આ બુદ્ધિ ક્યાં સુધી ડખો કરશે આવી રીતે ?
દાદાશ્રી : જ્યાં સુધી એને કિંમતી માની છે ત્યાં સુધી. પાડોશમાં એક ગાંડો માણસ રહેતો હોય. પાંચ ગાળો ભાંડીને જતો ય રહે છે રોજ, તો આપણે જ્યારે એ ભાંડવા આવતો હોય ત્યારે જાણીએ કે પેલો ગાંડો આવ્યો છે. આપણે ચા પીયા કરીએ, એ ભાંડ્યા કરે. એવી રીતે બુદ્ધિ છો ને આવે ને જાય, આપણે આપણામાં રહો. બીજું બધું છે તે ય પૂરણ-ગલન છે. તમે નહીં કહો તો ય જુદું રહેશે અને તમે કહો તો ય આવ્યા વગર રહેવાનું નથી.
પ્રશ્નકર્તા: આ બુદ્ધિ જ્યારે ડખો કરતી હોય ત્યારે એને આપણે સાંભળવી નહીં એવું આપ કહો છો ?
પ્રશ્નકર્તા : દાદા, આપણને ખબર પડે કે આ બુદ્ધિ ડખો કરે છે છતાંય આપણે બુદ્ધિનું સાંભળીએ ત્યારે શું થયું કહેવાય ?
દાદાશ્રી : એ તો આપણને ઈન્ટરેસ્ટ છે હજુ બુદ્ધિના સાંભળવા પર, પણ તો ય છે તે પ્રજ્ઞાશક્તિ તો એને એ બાજુ જ ખેંચે.
પ્રશ્નકર્તા: અમને ખબર પડે છે કે આ બુદ્ધિ ડખો કરે છે, છતાંય અમે બુદ્ધિનું સાંભળ્યા કરીએ, એ આડાઈ થઈ કહેવાય ને ?
દાદાશ્રી : સાંભળ્યા કરીએ ને કંઈ અમલમાં ના લઈએ તો વાંધો નથી. બાકી જોયા જ કરવું જોઈએ, બુદ્ધિ શું કર્યા કરે છે તે ! આપણા સ્વભાવમાં રહ્યા કે ભાંજગડ નહીં. તમારે બુદ્ધિ વધારે છે પણ દાદાની કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે એટલે વાંધો નહીં આવે.
પ્રશ્નકર્તા : દાદા, મારી બુદ્ધિ બહુ ચાલે પણ પછી એને જરા શાંત પાડી દઉં છું. હવે એનું હું સાંભળતો નથી.
દાદાશ્રી : એ અડવા જ ના દેવું. આ અમારામાં બુદ્ધિ જતી રહે ત્યારે જ આ ભાંજગડ ગઈ ને ! સ્વતંત્ર, કશું કોઈ ડખલ જ ના કરે ને પછી !
પ્રજ્ઞા સ્વતંત્ર છે બુદ્ધિથી ! હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માનો ગુણ છે અને આ બેનું (તત્ત્વોનું) સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લે ખુલ્લા થઈ ગયા, છૂટા થઈ ગયા, ત્યાર પછી એ આત્મામાં પાછી ફીટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે, આત્મામાંથી.
પ્રશ્નકર્તા : ટોટલ સેપરેશન થાય એટલે પ્રજ્ઞાનો ઉદય થાય અને આ જે લૌકિક બુદ્ધિ છે એ ચાલી જાય ?
દાદાશ્રી : છૂટું પડી જાય પછી બુદ્ધિ ખલાસ થઈ જાય. પ્રજ્ઞાનો અનુભવ તો પહેલેથી શરૂ થઈ જ ગયો હોય, સંપૂર્ણ છૂટું ના પડી જાય તો ય. અને પ્રતીતિ બેસે એનો અર્થ જ તે, એક બાજુ પ્રજ્ઞા શરૂ થઈ ગઈ. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય.
દાદાશ્રી : ના સાંભળો તો બહુ સારું. પણ સાંભળ્યા વગર રહો જ નહીંને તમે. અને તમે ના સાંભળશો કહીએ તો ય તમે સાંભળ્યા વગર રહો નહીં ને ? મોક્ષે જવું હોય તો બુદ્ધિની જરૂર નથી. સંસારમાં ભટકવું હોય તો બુદ્ધિની જરૂર છે. આવું તેવું કશું વાંચેલું ના હોય અને બ્લેન્ક પેપર હોયને, તો એને તો “આ ચંદુભાઈ અને આ હું' બસ, થઈ ગયું સરસ. એટલે આ બધું ડિસ્ચાર્જ.