________________
પ્રજ્ઞા
૧૯
દાદાશ્રી : હા, પણ દેખાય ને કહે તે ય પણ બીજાને દેખાય નહીં ને ! એટલે એને માટે કહેવું પડે કે આ ઊભાં થાય છે કે આમ ઉત્પન્ન થાય છે. એ મન હોય, મનનું કામ નહીં.
પ્રશ્નકર્તા ત્યારે દેખાય છે એ ક્યો ભાગ છે ?
દાદાશ્રી : એ તો પ્રજ્ઞાનો ભાગ છે. એ આત્માનો મૂળ ભાગ. બધું જોઈ શકાય. તમારામાં પ્રજ્ઞા ઉત્પન્ન થયેલી. પણ હજુ નિરાલંબ જયાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફૂલ કામ કરે નહીં. હજુ તો ગાંઠોમાં જ ફરતું હોય ને ?! આ તો ગ્રંથિઓ છેદાઈ જાય ત્યારે કામ આગળ ચાલે. મન દેખાડી શકે જ નહીં આવું તેવું.
પ્રશ્નકર્તા: હવે એ વર્ણન કરે છે, વર્ણનનાં થર સુધી આવે છે માટે પ્રજ્ઞા કહેવી પડી ?
દાદાશ્રી : હા, એ પોતે જ પ્રજ્ઞા છે અને એ આત્માનો ભાગ છે. એટલે આ ચિત્ત જે અશુદ્ધ થઈ રહ્યું'તું, જે છૂટું પડ્યું છે આત્મામાંથી, તે જ પોતે શુદ્ધ થઈને ત્યાં પ્રજ્ઞા તરીકે કામ કરે છે. તો જ જોઈને બોલાય, નહીં તો જોઈને બોલાય નહીંને ! અને જોઈને બોલે ત્યારે જોખમદારી ના હોય.
પ્રશ્નકર્તા જોઈને બોલનાર છે ને, એને ઢાંકવું હોય, સંતાડવું હોય, વાંકુંચૂંકું બોલવું હોય તો ય ના બોલાય !
દાદાશ્રી : ના બોલાય. શી રીતે બોલાય ? જેમ છે એમ કહી દેવું પડે ! અને નહીં તો ય બહાર વાંકું પડે ને ! જોઈને બોલું એ એનાથી જુદું કરવા જઉં તો પાછા બહારવાળા એ તો સમજી જાય કે જુદું આવ્યું, આ જોય. ભલે બહારવાળાને બોલતાં ના આવડે, પણ સમજતાં તો આવડે કે આ જોઈને બોલ્યાં છે ને આ જોયા બહારનું વગરનું છે એવું.
ફેર એમાં આભ-જમીતતો ! પ્રશ્નકર્તા : દાદા, સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞામાં શું ફેર ?
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : સામાન્ય બુદ્ધિ એટલે કોમનસેન્સ. એ હંમેશા ય સંસાર ઉકેલી આપે. સંસારના બધા તાળા ઉકેલી આપે, પણ મોક્ષનું તાળું એક્ય ના ઉકેલી શકે. આત્મજ્ઞાન મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય નહીં અગર તો સમકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય ? તે સમકિતમાં પ્રજ્ઞાની કેવી શરૂઆત થાય, બીજના ચંદ્ર જેવી શરૂઆત થાય અને અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. પછી મોક્ષમાં લઈ જવાને માટે એ પ્રજ્ઞા ચેતવે છે. વારેઘડીએ ચેતવ ચેતવ કોણ કરે છે ? એ પ્રજ્ઞા. ત્યારે આપણા આમને શું હતું ભરત રાજાને કે ચેતવનાર રાખવા પડેલા, નોકર રાખવા પડ્યા હતાં પંદર-પંદર મિનિટે બોલે કે ભરત ચેત, ચેત, ચાર વખત બોલે. જુઓ, તમારે તો કોઈ ચેતવનાર નહીં ત્યારે મહીંથી પ્રજ્ઞા ચેતવે.
આ દેહની મહીં અથડામણો કર્યા કરે. તે અજ્ઞાશક્તિ એ તો અમારી જોડે ક્યારનું પેન્શન લઈને બેસી ગઈ. બૂમ નહીં ને બરાડો નહીં. એ બાજુની બૂમ જ નહીંને, ખેંચ જ નહીં ને ! એ અજ્ઞાશક્તિ એ જ સંસારમાં ભટકાય ભટકાય કર્યા છે.
અમે તો અબુધ થઈને બેઠેલા. કોઈ કહેશે, ‘તમારામાં બુદ્ધિ બહુ?” મેં કહ્યું, “ના, બા. અબુધ.’ ત્યારે કહે, ‘અબુધ કહો છો ?” મેં કહ્યું, ‘ભઈ, હા. ખરેખર અબુધ છીએ.” બુદ્ધિ હોત તો નફો-તોટો દેખાડે !
આપણે તો અબુધ, કશું ભાંજગડ જ નહીંને ! નફાને તોટો કહ્યોને, તોટાને નફો અમે કહ્યો. બુદ્ધિવાળાને ફેરફાર ના થાય ને અબુધને ફેરફાર ના થાય એવું વ્યવસ્થિત છે પાછું. નહીંતર તો અમે વ્યવસ્થિત ના જાણતાં હોત તો અમે ય બુદ્ધિ ના છોડત. વ્યવસ્થિત અમે જો જાણતાં ના હોત ને તો અમે ય અબુધ ના થઈ જાત. પણ અમે જાણીએ કે વ્યવસ્થિત છે, પછી શું ઉપાધિ-ભાંજગડ છે ? એટલે તમને ય કહ્યું, વ્યવસ્થિત છે. માટે બુદ્ધિ નહીં વાપરો તો અબુધ થઈ જશો તો ચાલશે. મારામાં બુદ્ધિ જતી રહી ત્યારે આ મને બધું સમજાયું'તું કે આ પોલ શું ચાલી રહી છે ?
બુદ્ધિનું સાંભળવા સામે ચેતો ! પ્રશ્નકર્તા : બુદ્ધિનો ડખો થાય, ત્યારે આપણને ખબર પડે કે આ