________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રજ્ઞા ! અને અજ્ઞા નામની જે શક્તિ હતી પહેલાં, જે મનના શ્રુ વર્તતી હતી, બુદ્ધિના થ્ર વર્તતી હતી, તે સંસારમાં ઊંડે લઈ જાય. એટલે અત્યારે પ્રજ્ઞા નામની શક્તિ છે તો આ બાજુ લઈ જાય. મનના જે વિચાર છે ને, એ પ્રજ્ઞાનું કામ નથી. વિચાર આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા આવે. એને તો જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં જોયા કરીએ છીએ.
દાદાશ્રી : જોયા કરવાના, બસ. જે મનને જુએ, એ મનને જીત્યો અને તે જગત જીત્યો. ભગવાન મહાવીર આ રીતે જ જગત જીત્યા'તા. એટલે વિચારો તો મનનું કામ છે. એ તો આવે, તેને આપણે જોયા કરવાના. પ્રજ્ઞાના વિચાર ના હોય.
દાદાશ્રી : પ્રજ્ઞા જ, અત્યારે તો પ્રજ્ઞા જ કામ કરે છે ને ! જ્યાં સુધી આ બધી ડખલ છે, ત્યાં સુધી પ્રજ્ઞા કામ કરવાની. પછી ડખલ ના હોય તો આત્મા.
પ્રશ્નકર્તા : પણ દાદા, થાકી તો જવાય છે. ઘણીવાર એમ થાય કે આ ક્યારે બંધ થશે બધું? તો એ થાક લાગે ત્યારે જ એવું થાય ને ? સહજ હોય તો ના થાય ને ?
દાદાશ્રી : એ થાક લાગે તે ય છે તે ભાસે છે એવું. થાક તો લાગે જ નહીં ને ! જોનારને કંઈ થાક ના લાગે. કામ કરનારને થાક લાગે. જોનારને તો થાક અડે જ નહીં. એ આ પહેલાનો પરિચય ખરોને થાકી જવાનો, એને એમ લાગે કે થાક લાગી ગયો.
પ્રશ્નકર્તા : એમાં પ્રજ્ઞાની પ્રેરણા હોય ?
પ્રશ્નકર્તા : આ મને આમ કેમ કરે છે ? વચન આમ કેમ નીકળ્યું ? એવાં થોડાક અભિપ્રાયો અંદર થતાં હશે, એટલે પણ થાક લાગતો હશે કદાચ.
દાદાશ્રી : નહીં. મન એ તો વિચાર દેખાડે એટલે આપણે આપણી ભાષામાં સમજી જઈએ. વિચાર પ્રજ્ઞાને હોય જ નહીં. વિચાર એટલે શું ? વિચાર એટલે વિકલ્પ અને નિર્વિચાર એટલે નિર્વિકલ્પ. આ તો નિર્વિકલ્પ દશા છે. એટલે મનના વિચાર જે આવે, તેને જોવાના, બસ અને પ્રજ્ઞા એ દેખાડે.
જોનારતે થાક ક્યાંથી ?
પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયાને જોનાર પ્રજ્ઞા છે ?
દાદાશ્રી : હા.
દાદાશ્રી : અભિપ્રાય. હા, એવું બધું થતું હોય.
છૂટું પડેલું શુદ્ધ ચિત્ત એ જ પ્રજ્ઞા ! અજ્ઞા તો મહીં રસ્તા દેખાડે નફા-ખોટ માટે. કંઢો ઊભાં કરે.
પ્રશ્નકર્તા : અત્યારે આપ બોલ્યા કે ધંધો ઊભા કરે. હવે એ જે ઊભાં કરે એવું બોલાયું એ ભાગ કયો ?
દાદાશ્રી : એ તો શબ્દો બોલાય. પ્રશ્નકર્તા: પણ એ શબ્દ એ પેલું સ્થળ મન છે, એ બોલે છે ?
દાદાશ્રી : નહીં, બુદ્ધિથી ઊભાં થાય છે. ઊભા થવું એટલે કંઈ આમ માણસ ઊભું થાય એવું નહીં. બુદ્ધિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : હા, પણ તમે જે આ વર્ણન કર્યું તે એક્ઝક્ટ છે ને ? ઉત્પન્ન થાય છે એવું તમને દેખાય છે ને કહો છો.
પ્રશ્નકર્તા : મન-વચન-કાયાને આખો દિવસ જોતાં જોતાં થાક લાગે છે તો થાકનાર કોણ છે ?
દાદાશ્રી : એ થાકે ય આપણા મનમાં જે ખોટી અસરો પડે છે ત્યારે એ અસર જ થાકે, બીજું કોઈ પણ થાકતું નથી. થાકે જ નહીં ને ! જોનાર થાકે નહીં. કામ કરનાર થાકે.
પ્રશ્નકર્તા : જોનાર તો પ્રજ્ઞા છે ને ?