________________
પ્રજ્ઞા
૧૫
દાદાશ્રી : એ પ્રશાશક્તિ. આત્માને જાણે કશું ના કરવાનું હોય. ચંદુભાઈ છે તે ઉગ્ર થયા હોય, કડક થયા હોય તો તમને ગમે નહીં કે આવું શા માટે ?! આ આત્મા અને પેલા ચંદુભાઈ.
છે
પ્રશ્નકર્તા : ગુસ્સે થયા પછી જે પસ્તાવો કરે છે તે જડનો ગુણ કે ચેતનનો ગુણ છે ?
દાદાશ્રી : એ તો જડનો ય ગુણ નથી ને ચેતનનો ય ગુણ નથી. એ તો પ્રજ્ઞાનો સ્વભાવ છે. આ જડ-ચેતનનાં ગુણો એવાં ના હોય. ગુસ્સો કરવાનો ગુણ એવો હોય નહીં.
પ્રશ્નકર્તા : આ પસ્તાવો થાય છે એ કોણ કરાવે છે ?
દાદાશ્રી : એ બધું પ્રજ્ઞા કરાવે છે.
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કોણ કરાવે છે ?
દાદાશ્રી : એ બધું આ પ્રજ્ઞા કરાવે છે.
ભૂલો દેખાતી થાય તો ભગવાન થાય. ભૂલો દેખાતી શેનાથી થાય ? એ તો છે તે, આપણી પ્રજ્ઞાશક્તિથી. આત્મામાં જે પ્રશાશક્તિ પડેલી, એનાથી બધી ભૂલો દેખાતી થાય ને એ ભૂલો દેખાડે આપણને. એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે “ભઈ, પ્રતિક્રમણ કરો.’
ડાઘ દેખાડે પેલી પ્રશાશક્તિ એટલે આપણે કહીએ, ધોઈ નાખ, આ ધોઈ નાખ. આ ડાઘ ધોઈ નાખ.' એટલે ડાઘ બધાં ધોઈ નાખે. પ્રતિક્રમણ કર્યું એટલે ચોખ્ખું.
પ્રશ્નકર્તા : આ જે અક્રમમાં સામાયિક કરીએ છીએ, એમાં જે પાછલા બધાં દોષો દેખાય છે, તો એ સાયાયિકમાં જોનારો કોણ છે ? આત્મા કે પ્રજ્ઞા ?
દાદાશ્રી : પ્રજ્ઞા. આત્માની શક્તિ. સંસારમાં આત્મા કામ કરે ત્યાં
સુધી એ પ્રજ્ઞા કહેવાય. મૂળ આત્મા પોતે કરતો નથી.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : આપ ઘણીવાર સામાયિકમાં બેસાડી અને ત્રિમંત્ર બોલવાનું કહો છોને, વાંચો, નમો અરિહંતાણં કરીને, તો એ વખતે એ આત્મા જ વાંચે છે ? અને આપણે આ સત્સંગનું પુસ્તક વાંચીએ, આપ્તવાણી વાંચીએ એ શુદ્ધ ચિત્ત વાંચે છે અને પેલું આત્મા વાંચે છે, એ સરખું જ છે ?
૧૬
દાદાશ્રી : આત્મા મૂળ વાંચે છે એ જુદી જાતનું છે આ આપણે આત્માનું કહેવાનો ભાવાર્થ શું છે કે રસ્તે ચઢાવવા માટે કહીએ છીએ. ઈન્દ્રિયો નથી એવું કહેવા માંગીએ છીએ. પણ આ મૂળ આત્મા તો, પોતાની બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, એને બધાને જાણે. તે ય ખરેખર મૂળ આત્મા નહીં, આપણી પ્રજ્ઞા. એ મૂળ આત્માની શક્તિ કહેવાય છે. એટલે બધું જાણે છે એ. એ જાણે સાચું પણ આ ખોટું ના કહેવાય. અહીં આગળ ઈન્દ્રિયો નથી. તેમ પેલો મૂળ આત્મા તો આખો ય નથી. એ તો આ રસ્તે ચઢાવવા કહીએ એટલે રિલેટિવ-રિયલ કહેવાય આને !
વિચાર તે પ્રજ્ઞા તદ્દન નોખેતોખાં !
પ્રશ્નકર્તા : હવે આ વિચાર કોઈ આવે એ પ્રજ્ઞાશક્તિનો આવ્યો કે ચંદુભાઈને આવ્યો એ કેમનો ડિસ્ટિંગ્લીશ થાય ?
દાદાશ્રી : ના, વિચાર માત્ર પ્રજ્ઞાશક્તિનો નહીં. વિચાર એ ડિસ્ચાર્જ જવા માટે આવે બધા. વિચાર ડિસ્ચાર્જ છે. તે પ્રતિષ્ઠિત આત્માના અને તે ચંદુભાઈના. પ્રશાશક્તિ તો જુએ કે શું વિચાર આવ્યા ! સારા આવ્યા કે ખરાબ આવ્યા, તેને જુએ. એમાં ઊંડે ઉતરે નહીં. એટલે વિચારો શેય થઈ ગયા. એ પ્રજ્ઞાશક્તિને માટે શેય સ્વરૂપ છે. જ્ઞેય એટલે જાણવું ને દ્રશ્ય એટલે જોવું. જ્ઞેય ને દ્રશ્ય છે વિચારો, હવે આપણે જ્ઞાતા ને દ્રષ્ટા.
પ્રશ્નકર્તા : મહીં મન પણ દેખાડે છે રડારની જેમ, આપે કહ્યું છે. તો અત્યારે એ મન બતાડે છે કે પ્રજ્ઞા દેખાડે છે એ ભેદ કેવી રીતે સમજવો ?
દાદાશ્રી : અત્યારની વાત જવા દોને ! આપણે જ્ઞાન આપ્યા પછી પ્રજ્ઞા જ છે. બધા વિચારોથી છૂટાં થઇને મોક્ષ તરફ લઇ જાય, એનું નામ