________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એટલે પાંચ આજ્ઞા પાળવી. પુરૂષ થયા પછી પુરૂષાર્થ ના કરે તો એમની પોતાની જ ભૂલ છે ! જ્ઞાન મળ્યા પછી પુરૂષ થયો કહેવાય. અને પુરૂષ થયા પછી એ આજ્ઞા પાળે એટલે પુરૂષોત્તમ થયા કરે. પુરૂષોત્તમ થાય એ પરમાત્મા છે. રસ્તો જ પદ્ધતસરનો હાઇવે છે !
પ્રશ્નકર્તા : આજ્ઞા કોણ પાળે છે, એ પ્રતિષ્ઠિત આત્મા પાળે છેને?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને આજ્ઞા પાળવાનો સવાલ જ ક્યાં છે આમાં ? આ તો તમને જે આજ્ઞા પાળવાની છે, તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે, તે તમને બધું કરાવડાવે છે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે, એટલે બીજું ક્યાં રહ્યું છે ? વચ્ચે કોઈની ડખલ જ નથી ને ! એ આજ્ઞા પાળવાની. અજ્ઞાશક્તિ ન્હોતી કરવા દેતી, તે પ્રજ્ઞાશક્તિ કરવા દે. એ આજ્ઞા પાળી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે “હું શુદ્ધાત્મા છું' એવું અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડું છે. તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે પાંચ આજ્ઞા પાળે ત્યારે તે રૂપ થાય. એટલે બીજું કશું કરવાનું બાકી ના રહ્યું.
એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. જ્યાં સુધી તપ છે, ત્યાં સુધી પ્રજ્ઞા છે. ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. એ આત્મામાં તપ નામનો ગુણ છે નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જ રહ્યા કરે છે, લક્ષ બેસી ગયું છે શુદ્ધાત્માનું અને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, તે બધી પ્રજ્ઞાથી થાય છે ને ?
એ ક્રિયાઓ જે જાણે છે તે બુદ્ધિ ક્રિયા છે અને ફક્ત જે શુદ્ધને જ જાણે છે તે જ્ઞાનક્રિયા છે. તેથી મને એમ થયું કે આપણી પ્રજ્ઞા બધું જુએ છે. - દાદાશ્રી : હા, પ્રજ્ઞાથી. એ પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી, આ જ્યાં સુધી ફાઈલોનો નિકાલ કરે ત્યાં સુધી હોય પ્રજ્ઞા. ફાઈલ પૂરી થઈ ગઈ પછી આત્મા પોતે જ જાણે.
પ્રશ્નકર્તા : એટલે મોક્ષના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે ?
દાદાશ્રી : દરવાજા સુધી નહીં, મોક્ષમાં ઠેઠ સુધી બેસાડી દે. હા, પૂર્ણાહુતિ કરી આપનાર એ પ્રજ્ઞા.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ મોક્ષે જાય પછી એ પાછી આવે ?
દાદાશ્રી : ના, એ શક્તિ મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે. (એટલે કેવળજ્ઞાન થતાં સુધી સમજવું)
જુદું જ સખે તે પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : આપણે એકાકાર ન થઈએ, એનું ધ્યાન તો પ્રજ્ઞા રાખે ને ?
દાદાશ્રી : બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ. પ્રશ્નકર્તા: તો એનો અર્થ જ્ઞાનક્રિયાથી જોવાનું, એ તો બહુ દૂર
દાદાશ્રી : હા, પ્રજ્ઞા જુદું ને જુદું રાખે, એકાકાર ન થવાય એનું જ્ઞાન જ તમને આપેલું છે. પ્રજ્ઞા તમને ચેતવે. ભૂલ થાય છે તે ઘડીએ તમને ચેતવે, બસ.
પ્રશ્નકર્તા : ચેતવાનું છે એ કેવી રીતે કહે છે ? દાદાશ્રી : જાગૃત રહેવાનું. એકાકાર ના થઈ જાય ‘પેલા જોડે.
પ્રશ્નકર્તા: હા, વિશેષભાવ જોડે એકાકાર ન થાય. એ તો આત્માની ક્રિયા ન થઈ ગઈ, દાદા ?
રહ્યું?
દાદાશ્રી : એ જ, પ્રજ્ઞાશક્તિની જ જ્ઞાનક્રિયા અત્યારે. પેલી દરઅસલ જ્ઞાનક્રિયા તો, આ બધી ફાઈલોનો નિકાલ થઈ જાય ત્યારે એ જ્ઞાનક્રિયા થશે.
પ્રશ્નકર્તા: આપ્તવાણીમાં વાંચ્યું કે અશુદ્ધ છે, અશુભ છે, શુભ છે,
દાદાશ્રી : આત્માની ક્રિયા ગણાતી જ નથી કશામાં.