SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞા આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) થાય. આ જીવમાત્રને પ્રજ્ઞા ના હોય તો અજ્ઞા તો હોય જ. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા અજ્ઞાને પેસવા ના દે એ જ એનું કામને ? દાદાશ્રી : અજ્ઞાને પેસવા દેવાની તો વાત જ નહીં. અજ્ઞાને તો ત્યાં પેસવા જ ના દે, પણ જોડે જોડે મોક્ષે લઈ જવાનું કામ એનું. અજ્ઞાન ઊભું થાય તો દબાવીને, એને સમજણ પાડીને મોક્ષ ભણી લઈ જાય. અને અજ્ઞાનું કામ શું કે થોડું ઘણું લાઈટ ઊભું થયું હોય તો એને અંધારું કરે, ત્યાં “એને' સંસારમાં લઈ જાય. એટલે આપણે અજ્ઞાશક્તિના પાસામાં ના રહેવું. અજ્ઞાશક્તિએ તો આ સંસારમાં ભટકાવી માર્યા છે. અજ્ઞાશક્તિ એની પાસે ક્રોધ-માન-માયાલોભ, બધાં હથિયાર હોય. અહંકાર બહુ ભારે હોય. તે આખું લશ્કર છે. ભારે. અને પ્રજ્ઞાશક્તિમાં અહંકાર નથી. તેથી ‘આપણે' પોતે હાજર રહેવું જોઈએ. આપણે આ પક્ષમાં રહ્યા, તો પ્રજ્ઞાશક્તિ હારે એવી નથી. એનું કામ કર્યા જ કરે. ઉપશમ ભાવ છે આખો. એટલે મહીં ચંચળ ઊભું થયું કે તરત બંધ કરી દેવાં, દરવાજા. બાકી પોતે જાણી જોઈને છે તે ઊંધું કરે કે મારે રાગ-દ્વેષ કરવા છે હવે, ત્યારે પેલી પ્રજ્ઞા ખસી જાય. ફક્ત પ્રજ્ઞાશક્તિને વાંધો ન આવે એટલા માટે જ્ઞાની પુરુષનું સેવન કરવાથી એ શક્તિ મજબૂત થયા કરે. આ શક્તિને કોઈ હરકત ના આવવી જોઈએ. હજુ એકદમ આવેલી હોય અને કોઈ હરકત આવે તો ઊડી જાય. નાશ થવાની, પેલી પ્રજ્ઞા વધવાની. પ્રશ્નકર્તા : ગૂંચવણ થાય એટલે એમ લાગે કે અશાશક્તિ જવાની છે. દાદાશ્રી : ગુંચવાય તે ઘડીએ અજ્ઞાશક્તિ. પછી એનું કશું ચાલતું નથી એટલે ગૂંચવાય અને પછી ખલાસ થઈ જાય. એ અજ્ઞાશક્તિ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રહ્યા કરવાની. અને જેટલી અજ્ઞાશક્તિ ઓછી થઈ એટલી પ્રજ્ઞાશક્તિ મુક્ત થઈ. સફોકેશન ગુંગળામણ કરાવે બધું. આપણું કશું લઈ ના જાય, પણ ગુંગળામણ કરાવે એટલે સુખ આવતું હોય તે ના આવવા દે. આત્માની જોડે બેઠાં છીએ, તો સુખ આવવું જોઈએ, વેદન થવું જોઈએ, પણ ના થવા દે. એને ગુંગળાવા દે. ચિંતા ના કરાવડાવે, એ ગુંગળાવે ખાલી. પહેલા આપણી સંસારની બધી ઈચ્છાઓ ઊભી થઈ, એ ઈચ્છાઓ પૂરી કરવા માટે અજ્ઞાશક્તિ કામ કરી રહી છે. પણ હવે અજ્ઞાશક્તિનું જોર એકદમ વધવાનું નહીં. એમાંથી બીજી ઈચ્છાઓ ઊભી થાય એવું નથી. એટલે બીજમાંથી બીજ પડે એવું નહીં. જે છે એના એ અને જોડે જોડે આપણને પ્રજ્ઞા શક્તિ કહે છે, મારે નિકાલ જ કરી નાખવો છે આ બધો. હવે પેન્ડિંગ નથી રાખવું, બા. નિકાલ એટલે પતાવટ કરવી, જેને કહેવાયને ! જ્ઞાન પછી અજ્ઞાશક્તિની સ્થિતિ ! પ્રશ્નકર્તા ઃ એટલે જ્ઞાન પછી અજ્ઞા અને પ્રજ્ઞા બંને સાથે રહે, તે અન્ના હોય ત્યારે પ્રજ્ઞા ન હોય અને પ્રજ્ઞા હોય ત્યારે અજ્ઞા ના હોય ? પંચાજ્ઞા પાળતાર કોણ ? મારી અજ્ઞાશક્તિ ખલાસ થઈ ગયેલી, બુદ્ધિ અમારામાં ખલાસ થઈ ગયેલી હોય, બુદ્ધિ અમારામાં હોય નહીં. એ સાયન્ટિસ્ટો ય ના માને કે અમારામાં બુદ્ધિ ખલાસ છે. કોઈ માને જ નહીં કે બુદ્ધિ કેમ કરીને ખલાસ થઈ જાય ? પ્રશ્નકર્તા : અજ્ઞા કોઇને વધારે-ઓછી હોય ? દાદાશ્રી : અજ્ઞા તો ઓછી-વધતી હોય બધી. આ જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા તો તરત જ કામ કરે. પછી ‘એનો’ કઇ બાજુમાં પુરૂષાર્થ છે, પુરૂષાર્થ દાદાશ્રી : ના, બે સાથે રહે છે. એમાં ગૂંચવણી ચાલ્યા કરે. આપણને આ જ્ઞાન આપ્યું છે તો ય દેહમાં સાથે રહે છે બંને. એટલે એ અજ્ઞા થોડુંક સફોકેશન કરાવડાવે, ગુંગળામણ કરાવડાવે. ધીમે ધીમે હવે એ અજ્ઞાશક્તિ
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy