________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ચેતનમાંથી જુદી પડેલી, તે આ કાર્ય કરવા પૂરતી જ. પછી એક થઈ જશે પાછી.
પ્રશ્નકર્તા: પ્રજ્ઞા એ પુદ્ગલ નથી, એ આત્મા ને પુદ્ગલ વચ્ચેનો ભાગ છે ?
તે અને પ્રજ્ઞા તો આત્માનો એક વિભાગ છે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાનું ઉદ્ભવસ્થાન કયું?
દાદાશ્રી : એનું સ્થાન ના હોય એનો તો કાળ હોય. એ પેલું મિથ્યાત્વ જે કાળે ફ્રેકચર થઈ જાયને, એટલે પ્રજ્ઞા હાજર થઈ જાય. બુદ્ધિ પર ઘા પડ્યો એટલે હાજર થઈ જાય.
પ્રશ્નકર્તા : ઘણી વખત વાતચીતમાં આપણે વાપરીએ છીએને કે પ્રજ્ઞા એ આત્માનો ભાગ છે.
દાદાશ્રી : હા, તે છે જ ને ! પ્રશ્નકર્તા : આત્માનો ભાગ છે ?
દાદાશ્રી : આત્માનો ભાગ, એનો અર્થ એવો નહીં કરવાનો. તમે તમારી ભાષામાં લઈ જાવ છો બધી વાતો.
એ એનો સ્વભાવ છે કે અમુક કાળ ઉત્પન્ન થયો કે પ્રજ્ઞા પોતે ઉત્પન્ન થઈ જાય અને પછી બધું મોશે પહોંચાડી ને પછી લય થઈ જાય. આ અજ્ઞા ય ઉત્પન્ન થઈ ગયેલી છે અને લય થઈ જાય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય, ત્યારે અજ્ઞા લય થઈ જાય. જેમ આ અંધારું પછી દિવસ (અજવાળું) હોય.
દાદાશ્રી : નહીં, આત્મા ને પુદ્ગલ વચ્ચેનો ભાગ નથી. એ આત્માનો એક ભાગ જુદો પડી જાય છે, અને જ્ઞાન આપીએ છીએ તે દહાડે. તે ઠેઠ મોક્ષે લઈ જતાં સુધી આત્મા કંઈ કરે નહીં આમાં. એટલે આત્માનો ભાગ જુદો રહીને કામ કર્યા કરે. જ્યારે આત્માનો અધિકાર જ બધો પ્રજ્ઞાના હાથમાં છે, કુલમુખત્યાર પત્ર જેવું !
પ્રશ્નકર્તા : એટલે પછી ભગવાન શું કરે ? એ તો જ્ઞાતા-દ્રષ્ટા છે. કશામાં હાથ ઘાલતા જ નથી, વીતરાગ છે.
દાદાશ્રી : હાથ ઘાલવાનું રહે જ નહીં ને? પ્રજ્ઞા તો ભગવાનની રિપ્રેઝેન્ટેટિવ જેવી છે.
તથી એ સમ્યક્ બુદ્ધિ ! પ્રશ્નકર્તા : દાદા, સમ્યક્ બુદ્ધિ એ જ પ્રજ્ઞા ?
દાદાશ્રી : ના, પ્રજ્ઞા એથી ઊંચો ભાગ છે. પ્રજ્ઞા તો પ્રતિનિધિ છે આત્માની. અત્યારે આત્મા સંસારમાંથી તમને મોક્ષે લઈ જવા માટે કશું કામ જાતે કરતો નથી. એનો ભાગ આ પ્રજ્ઞા છે, એ પ્રજ્ઞા જ તમને નિરંતર મોક્ષે લઈ જવા માટે ચેતવ ચેતવ કર્યા કરે.
પ્રજ્ઞા, જડ કે ચેતત ? પ્રશ્નકર્તા: તો પ્રજ્ઞામાં થોડો-ઘણો વિકલ્પનો ભાગ ખરો ?
દાદાશ્રી : વિકલ્પ લાગે-વળગે નહીં ત્યાં આગળ. વિકલ્પ બધો અજ્ઞા. આમાં વિકલ્પ-બિકલ્પ કશો હોય નહીં, નિર્વિકલ્પી છે એ. ચેતન છે, જડ નથી.
એ પ્રજ્ઞા છે અને તે જ મુળ આત્મા છે, પણ અત્યારે પ્રજ્ઞા ગણાય. મૂળ આત્માની આવી કોઈ ક્રિયા હોય નહીં, જે મોક્ષે લઈ જાય.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા પણ પાવર ચેતન જ ને ? દાદાશ્રી : ના, એ પાવર ચેતન નથી, એ મૂળ ચેતન. પણ મૂળ
પ્રજ્ઞા એનું કામ પૂરું થઈ ગયું ત્યારે એ આત્મામાં પાછી હતી એવી ને એવી સ્થિર થઈ જાય. હવે દરેક જીવમાં પ્રજ્ઞા હોઈ શકે નહીં. એ તો જ્ઞાની પુરુષ જ્યારે પોતાનું સ્વરૂપ જાગૃત કરી આપે ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન