________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
તો અજ્ઞામાં પરિણામે છે અને પોતામાં સમાય તો....
દાદાશ્રી : ના, એવું નહીં. એ અજ્ઞાશક્તિ જુદી છે. પણ એ બેઉ આત્માની શક્તિઓ છે. જ્યારે પુદ્ગલમાં કોઈ આવી તેવી શક્તિ જ નથી ને !
પ્રશ્નકર્તા ઃ એટલે એનો અર્થ એ કે બધી જે કંઈ શક્તિઓ છે, એ બધી આત્માની જ શક્તિઓ છે ?
છે ત્યાં સુધી અજ્ઞા અને મિથ્યાત્વ ખસે એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ સંસારમાં રહીને પ્રજ્ઞા ન પ્રગટે, અજ્ઞા જ રહે ?
દાદાશ્રી : ના, આપણને પ્રજ્ઞા ઊભી થઈ. હવે તમે સંસારમાં છો તો ય પ્રજ્ઞા ઊભી થયેલી છે ને ! એટલે હવે સંસારમાં જ્યાં આગળ તમારું બંધન હોય ત્યાં તમને છોડાવી દેવડાવે હંમેશા ચેતવીને આપણને કંઈ જાગૃતિ ના હોય તો અંદરથી ચેતવણી મળે, એ પ્રજ્ઞાશક્તિનું કામ અને સંસારમાં ધંધો કરતાં હોય ત્યારે અજ્ઞાશક્તિ કહે, આમ કરો તો પૈણાય, મળી જાય એવું છે. એ અજ્ઞાશક્તિ ચેતવે પણ એ તો સંસારમાં ભટકવાનું. અને મોક્ષ માટે પ્રજ્ઞા ચેતવે..
પ્રશ્નકર્તા: બધા ડિસીઝન બુદ્ધિ લે છેને ?
દાદાશ્રી : હા, ડિસીઝન બુદ્ધિ લે છે પણ બે પ્રકારના ડિસીઝન. મોક્ષ જતાં લેવાના ડિસીઝન પ્રજ્ઞા લે છે અને સંસારી ડિસીઝન અજ્ઞા લે છે. અજ્ઞા એટલે બુદ્ધિ. અજ્ઞા-પ્રજ્ઞાના ડિસીઝન છે બધા.
અજ્ઞાતું પ્રાગટય ? પ્રશ્નકર્તા: જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું છે ? દાદાશ્રી : પ્રજ્ઞા તે જ્ઞાનથી ઉત્પન્ન થનારી એક શક્તિ છે.
પ્રજ્ઞા એ આત્માની જ ડાયરેક્ટ શક્તિ છે, ડાયરેક્ટ લાઈટ છે અને અજ્ઞા એ ઈનડાયરેક્ટ લાઈટ છે. અજ્ઞા એ ટોપ ઉપરની બુદ્ધિ કહેવાય અગર તો નાનામાં નાની બુદ્ધિથી માંડીને પણ અજ્ઞા બધી આખી. છતાંય એ આત્માની શક્તિ છે પાછી. અજ્ઞાશક્તિ આત્માની શક્તિ છે અને પ્રજ્ઞા એ ય આત્માની શક્તિ છે.
પ્રશ્નકર્તા : એ શક્તિ આત્માની કેવી રીતે ગણાય ? દાદાશ્રી : વિશેષ પરિણામને લીધે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. પ્રશ્નકર્તા ઃ દાદા, એવું નથી કે શક્તિ એક જ છે. જો બહાર ગઈ
દાદાશ્રી : આત્માની જ શક્તિ છે, પણ જ્યાં સુધી આત્મા છે તે વિશેષ પરિણામમાં સપડાયેલો છે ત્યાં સુધી અજ્ઞાશક્તિની બહાર નીકળે નહીંને ! જ્યારે અજ્ઞાશક્તિમાંથી બહાર નીકળે, પોતે પોતાના ભાનમાં આવે ત્યારે અજ્ઞાશક્તિ ખસે. ત્યારે નિજ પરિણામ ઉત્પન્ન થાય. ત્યાર પછી પ્રજ્ઞાશક્તિ કામ કરે. પછી સંસારમાં જવા ના દે.
એટલે બેઉ શક્તિઓ આત્માની જ છે. બાકી કોઈ બહારની, બીજા કોઈની શક્તિ જ નથી આમાં. એ પ્રજ્ઞાશક્તિ અને અજ્ઞાશક્તિ બેઉ માનેલી વસ્તુ છે, બિલિફ છે.
પ્રશ્નકર્તા : અજ્ઞાશક્તિની શરૂઆત શાથી થઈ, તે પાછળ શો હેતુ હતો ?
દાદાશ્રી : મૂળ આત્મા અને એને આ જડનો સંયોગ બાઝયો, ચેતનની જોડે જડનો સંયોગ બાઝયો, એ સંયોગથી વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું. એ અજ્ઞાશક્તિ થઈ.
પ્રશ્નકર્તા: અજ્ઞા અને પ્રજ્ઞા એ બેમાંથી ચાલે કોનું?
દાદાશ્રી : આ તો બેઉનું ચાલે છે. સૌ સૌના ક્ષેત્રમાં, પોતપોતાના ક્ષેત્રમાં બન્નેયનું ચાલે છે.
પ્રશ્નકર્તા પ્રજ્ઞા અને પ્રતિષ્ઠિત આત્મામાં ફરક ખરો ? દાદાશ્રી : બહુ ફેર, પ્રતિષ્ઠિત આત્મા તો આપણે આ ‘ચંદુભાઈ છે