SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટે. કારણ કે ઊલટી કરવાની ચીજ ખાઈ ગયા ! બાવાનું સ્ટેશન ઘણું લાંબું છે. પણ છે એક જ સ્ટેશન. આમ ત્રણ જ સ્ટેશન છે, હું, બાવો ને મંગળદાસ. પણ ઝાંપે અડ્યો કે થઈ ગયો ‘પોતે’ પૂર્ણ ભગવાન ! બહેનોમાં મોહ વધારે હોય, તે મોહ બાવાનો છે. તેને ‘આપણે’ જાણવાનું કે મોહ આટલો છે અને જ્ઞાનીને કહી દેવાનું. દાદાશ્રી કહે, અમારે ય બાવો ખરોને ! ચાર ડિગ્રી ખૂટે છે ત્યાં સુધી ‘હું’ ચોખ્ખું થાય નહીં. એટલે ‘હું ભગવાનથી જુદો છું' કહેવું પડે. ‘હું ભગવાન છું’ ના કહેવાય. બહેનોને બાવીપણું ના છૂટે. તેના માટે બહેનોએ બાવીપણું ના થવા દેવું. બાવીને બાવાપદમાં જ રાખવું, નહીં તો પાછું સ્ત્રીપણું આવશે. સ્ત્રી બાવો ત્યારે ખલાસ થાય. આપણા બાવાને આપણે કહી દેવાનું કે ‘જીવન એવું સુંદર કાઢો અગરબત્તી જેવું, કે જેથી પોતે બળીને બીજાંને સુખ આપે ! નહીં તો જિંદગી નકામી જ ગઈ જાણો !' દાદાશ્રીનું આત્મજ્ઞાન મળ્યા પછી બીજું કશું જ કરવાનું બાકી રહેતું નથી. આત્મા તો શુદ્ધ જ છે. હવે બાવાજી શુદ્ધ થતાં જશે તેમ તેમ વિજ્ઞાન પ્રગટ થતું જશે ! જ્યાં સુધી ‘હું શુદ્ધાત્મા, હું વિજ્ઞાન સ્વરૂપ' આ બધું બોલે છે ત્યાં સુધી ‘પોતે’ જ્ઞાન સ્વરૂપ કહેવાય. ‘પોતે’ જ્યારે પૂર્ણ વિજ્ઞાન સ્વરૂપ થાય ત્યાર પછી બોલવાનું નથી રહેતું. બાવો છે ત્યાં સુધી જ્ઞાન સ્વરૂપ ને બાવો ખત્મ થાય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ. બાવો વધતો જાય પણ ‘હું’ તેનું તે જ રહે છે. ૯૯ છે ત્યાં સુધી ‘હું’ જ્ઞાન સ્વરૂપ અને ૧૦૦ થયું કે વિજ્ઞાન સ્વરૂપ થઈ ગયું !!! ‘હું’ બાવા સ્વરૂપે જ્ઞાન સ્વરૂપ છું ને રિયલી ‘હું’ વિજ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન મળ્યા પછી રિલેટિવ ‘મંગળદાસ છું’ એ છૂટ્યું. પછી બાવા સ્વરૂપ થયું. હવે જેમ જેમ ફાઈલોનો સમભાવે નિકાલ થતો જાય તેમ તેમ બાવો ઓગળતો જાય. 62 ૩૫૬ ડિગ્રી એ બાવો. ૩૫૭, ૩૫૮૬, ૩૫૯ સુધી બાવો અને ૩૬૦ થઈ ગયો એટલે ‘હું’ થઈ ગયો ! ‘હું’ તો શુદ્ધાત્મા છે જ પણ બાવો ય શુદ્ધ ‘હું’ થઈ ગયો ! રિયલમાં શુદ્ધાત્મા તો બધાનો ૩૬૦ ડિગ્રીનો છે, પણ આ બાવો જુદી જુદી ડીગ્રીનો હોય છે અને અહંકાર જ બાવાને આગળ વધવા નથી દેતો. ‘હું કંઈક છું’ એ ભારે જોખમી બને છે આમાં. દાદાશ્રી કહે કે અમે જ્ઞાની. ભગવાન નહીં. ૩૬૦ ડિગ્રી થાય તો ભગવાન. ૩૫૯ સુધી જ્ઞાની. અત્યારે અમે ૩૫૬ ડિગ્રીએ છીએ. (દાદાશ્રીના દેહવિલય પહેલાં એકાદ અઠવાડિયા પહેલાં તેઓ બોલેલા, આ એ.એમ.પટેલના મીઠા મરચાંના રુચિ સ્વાદ ગયા. હવે અમારી બે ડિગ્રી આગળ વધી. ૩૫૮ ડિગ્રી થઈ ! ૩૪૫ ડિગ્રીની ઉપર જાય ત્યારથી જ્ઞાનીપદ કહેવાય. ૩૪૫થી ૩૫૯ સુધી જ્ઞાની બાવામાં જ જાય ! ૩૫૫ ડિગ્રીથી ૩૬૦ ડિગ્રી સુધી બધા ભગવાન જ કહેવાય ! તીર્થંકરોને અંદર-બહાર બેઉ ૩૬૦ ડિગ્રી હોય. બાવો ૩૪૫ ડિગ્રી ઉપર જાય તો ય પછી મંગળદાસમાં ફેરફાર ના દેખાય. કારણ કે પ્રકૃતિ તો સ્વાભાવિકપણે કામ કરે જ. હા, બાવામાં બહુ ફેરફાર થાય. બાવાની પોતાની ઈફેક્ટો જ્ઞાને કરીને ભોગવાઈ જાય એટલે બાવો ‘હું’માં આવતો જાય. ‘હું’ બાવાને રિયાલિટી સમજાવે, તેના આધારે બાવો ‘હું’ માં આવતો જાય. ‘હું’ પ્રજ્ઞા સ્વરૂપે બાવાને સમજણ પાડે છે. બાવો ઊંચે ચઢતો જાય છે તે પ્રજ્ઞાની હાજરીને કારણે. જાગૃતિ ડાઉન જાય તો બાવો નીચે જતો જાય. બાવાની અસર મંગળદાસ પર ના હોય ને મંગળદાસની અસર બાવા પર ના હોય. બાવાની લાખ ઈચ્છા હોય કે મંગળદાસમાં ફેરફાર થાય પણ તે ના થઈ શકે ! મંગળદાસની પ્રકૃતિ બાંધવામાં બાવો જ કારણભૂત છે. પ્રકૃતિ, પ્રકૃતિને બાંધતી નથી. બાવાએ પૂર્વે પ્રકૃતિ બાંધેલી. તેમાં થોડો ભાગ 63
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy