________________
વાતો કરી ટાઈમ ના બગાડો. ઝીણી વાત હોય તો કરો !
કષાય થાય છે તે બાવાને, શુદ્ધાત્માને નહીં. આપણે બાવો ચિઢાય તો તેને વઢી લેવા દેવું, પછી ધીમે રહીને કહેવું કે, ભઈ શા હારુ કરો છો ? આમાં શું ફાયદો ?” આમ કહેવાથી એક તો એ નરમ પડશે ને બીજું આપણે જ્ઞાનમાં રહ્યાં ને તેની શક્તિ વધે. બાવા જોડે આપણે કડક બોલીએ તો એ સામો થઈ જાય એવો છે.
મંગળદાસ એ બહારનું સ્વરૂપ, બાવો એ અંદરનું સ્વરૂપ ને હું એ શુદ્ધાત્મા ! આટલું જ જો સમજી જાય તો તમામ શાસ્ત્રોનો સાર આવી
ગયો !
બાવો જ અક્ષર પુરુષોત્તમ કહેવાય. મૂળ પુરુષોત્તમ નહીં. મૂળ પુરુષોત્તમ તો પૂર્ણ સ્વરૂપમાં જ હોય !
ક્ષર એ ચંદુભાઈ અને અક્ષર એ અમુકથી અમુક સુધી બાવો ને હું એ પૂર્ણ સ્વરૂપ !
યોજના ઘડે ત્યારે બ્રહ્મમાંથી થઈ ગયો બ્રહ્મા અને એ જ્યારે અમલમાં આવે ત્યારે થઈ ગયો ભ્રમિતા ! ‘હું ચંદુ, આનો ધણી.....' આવું બોલ્યા કરે એ ભ્રમિત નહીં તો બીજું શું ? એનો એ જ હું, બાવો ને મંગળદાસ !
પર્સનલ, ઈમ્પર્સનલ ને એબ્સૉલ્યૂટ એટલે શું ? મંગળદાસ પર્સનલ, બાવો ઈમ્પર્સનલ ને હું ઍબ્સૉલ્યુટ.
શુદ્ધાત્મા ને ચંદુભાઈને વચ્ચે છે ઈમ્પ્યૉર સોલ (બાવો). આ
ઈમ્યૉર સૉલ માત્ર બિલિફ જ છે. એ ખલાસ થાય તો ફિઝિકલ (મંગળદાસ)ની કોઈ જવાબદારી રહેતી નથી.
ચંદુભાઈ નામ છે તેને ઈમ્પ્યૉર સોલે પકડી લીધું કે ‘હું જ ચંદુભાઈ છું’ એ રોંગ બિલિફ બેસી ગઈ. ‘હું ચંદુ છું’ એ ફર્સ્ટ રોંગ બિલિફ છે. પોતે કહે છે કે હું ચંદુ છું. એ જ અહંકાર છે. જ્ઞાન મળે છે ત્યારે અહંકાર ફ્રેકચર થઈ જાય ને રાઈટ બિલિફ બેસી જાય કે ‘હું શુદ્ધાત્મા છું.’
60
હવે ‘તમે’ શુદ્ધાત્મા ને ‘તમારે' હવે (બાવાનો) મિશ્રચેતનનો નિકાલ કરવાનો અને નિશ્ચેતન ચેતન (મંગળદાસ) એની મેળે સહજ ભાવે ચાલ્યા કરે.
દાદાશ્રી કહે છે, “અમે વ્યવહારમાં લઘુત્તમ ને નિશ્ચયમાં ગુરુત્તમ!' ‘અમે અને ભગવાન એકાકાર છીએ અને જુદાંય છીએ ! કેવળજ્ઞાન થાય ત્યારે એકાકાર થઈ જાય. જ્યારે અમે દર્શન કરાવીએ, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' તે ઘડીએ ભગવાન તરીકે રહેવાનું. તેથી બધા ઉલ્લાસમાં આવે ને ! અને વાતો કરીએ, સત્સંગ કરીએ ત્યારે ભગવાનથી જુદાં ! અત્યારે જુદાં. જો કે આ બોલે છે તે ટેપરેકર્ડ બોલે ને. તેનો હું જ્ઞાતા-દ્રષ્ટા છું.'
પ્રશ્નકર્તા દાદાશ્રીને પૂછે કે આ ‘અમે’ ભગવાન જોડે એકાકાર તે ત્યારે ‘અમે’ એમનાથી જુદાં તો આમાં ‘અમે’ કોણ ? ત્યારે દાદાશ્રી કહે છે, ૩૫૬ ડિગ્રીવાળો ભાગ છે તે જ્ઞાની પુરુષ, જે અંબાલાલભઈ જ્ઞાની થયા. એના એ જ હું બાવો ને મંગળદાસ.
મઠીયું ખાય છે મંગળદાસ, સ્વાદ વેદે છે બાવો ને જાણે છે તે આત્મા. મજા કરનારો બાવો ને જાણો ‘તમે’ !
તમે ચંદુભાઈ સાંભળનાર, અંબાલાલ બોલનાર, જ્ઞાની ભોગવનાર અને ‘અમે’ જાણનાર !
ખાનારા ‘તમે’ નહીં, હાથ ખવડાવે. ચાવનાર દાંત, વેદનાર મહીં બાવાજી. કડવા-મીઠાના વેદનાર બાવાજી અને જાણનારો ‘હું પોતે !’ જ્ઞાનીએ બાવો છે ત્યાં સુધી વેદકતા. મૂળ પુરુષ કેવળજ્ઞાન સ્વરૂપ જાણનારો.
સ્થૂળ તે મંગળદાસ, પછી સૂક્ષ્મ ભાગ રહ્યો અને કારણ ભાગ રહ્યો એ બન્ને બાવાના અને હું શુદ્ધાત્મા. આટલામાં આખું અક્રમ વિજ્ઞાન આવી ગયું ! હવે બાવાનો નિકાલ કરવાનો સમભાવે.
જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મા તરીકે જુદાં પડ્યા. હવે જેમ જેમ ગર્વરસ ચાખતા બંધ થવાય તેમ તેમ માર્કસ વધવાના. ગર્વરસ આપે તો માર્કસ
61