________________
ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમાં, ‘દાદા દાદા’ કરે કે દાદાનું નિદિધ્યાસન તો ય બેડો પાર થાય.
શુદ્ધાત્મા શબ્દનો આધાર અધવચ્ચે ના છોડાય ? એ ક્યારે છૂટશે? બધી ફાઈલો પૂરી થશે ત્યારે.
આપણે જેવા મહાવીર ભગવાન શુદ્ધાત્મા હતા, તેવાં શુદ્ધાત્મા છીએ.
દાદાશ્રી કહે છે કે નિરાલંબ તો અમે એકલા જ હોઈએ. ચૌદમું ગુઠાણું એટલે શું ? દેહ સાથે નિરપેક્ષ. ત્યાં સુધી સાપેક્ષનો આધાર છે. એટલે કે ગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી ગઈ, બિસ્તરા બહાર નંખાયા ને પોતે ગાડીમાં છે. બિસ્તરા રહી જાય તો ય વાંધો નહીં.
આવી પડેલાં કપડાં પહેરે, બધું આવી પડેલું વાપરે તો કામ થાય. સત્સંગમાં જવા જે સાધન મળે તે ઠીક ને ના મળે તો ચાલતાય જાય !
દાદાશ્રી કહે છે, અમને તો આ સત્સંગ ય બોજાવાળો લાગે છે. પણ તમારા માટે એ હજુ કામનો છે પણ ધ્યેય એવો રાખવો જોઈએ કે અંતે બીજા સત્સંગની જરૂર ના રહે. પોતે પોતાના જ સત્સંગમાં રહેવું.
અવલંબનને દેશી ભાષામાં ઓળંબો કહેવાય. આધારમાં લોડ પડે, અવલંબનમાં ના પડે. દિવાલ કરતાં પહેલાં ઓળંબો મૂકવો પડે તો જ એ સીધી થાય ને ? અવલંબનથી રેગ્યુલર થાય બધું. એવી રીતે આ શુદ્ધાત્માના ઓળંબાથી આત્મા એક્યુરેટ રહી શકે. પૂર્ણ દશા થાય પછી ‘શુદ્ધાત્મા'ના ઓળંબાની જરૂર રહેતી નથી, નિરાલંબદશા ને !
જ્યારે આધાર ખસેડી લઈએ તો તે નિરાધાર તરત થઈ જાય. નિરાલંબ થતાં વાર લાગે. ‘મેં કર્યું એ ભાવથી આધાર મળે છે ને ‘વ્યવસ્થિત કર્યું, મેં નહીં.’ તો આધાર ગયો ને થયો નિરાધાર. આત્મામાં કોઈ આધાર-આધારી સંબંધ નથી.
કર્તાભાવથી કર્મને આધાર મળે. તેનાથી પ્રકૃતિ થાય ને એક-એક આધાર પકડાતાં સંસાર ખડો થઈ જાય ! જ્ઞાનીની આજ્ઞામાં રહે તો અકર્મ દશામાં આવે.
શુદ્ધાત્માનું અવલંબન કોને ? પ્રજ્ઞાને !
નિરાલંબ થવું એ જ કેવળજ્ઞાન થતું જવું. નિરાલંબ તે નિરાવરણ બેઉ સાથે થતું જાય. એક-બે ભવમાં નિરાલંબ થાય.
દાદાશ્રીને કોનું આલંબન ? લોકોનું. કેમ ? બધાંને મોક્ષ પમાડવો છે તેટલા પૂરતું. બાકી પોતે હવે નથી રહ્યા માલિક દેહના, મનના કે વાણીના.
કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ એ જ પરમજ્યોતિ. સ્વભાવમાં નિરાલંબ દશા છે. વિશેષભાવમાં અવલંબન છે બધાં. તે અવલંબનવાળો (દાદાનો બાવો) જો રોફ મારતો હોય તો દાદાશ્રી કહે અમે તરત જ એના અવલંબનમાંથી છૂટીને નિરાલંબ થઈ જઈએ. અને એને કહી દઈએ કે ‘બસ, બહુ થઈ ગયું, આઈ ડોન્ટ વોન્ટ’ એમ કરીને એનો ટેકો પાછો ખેંચી લે !
દાદાશ્રી કહે છે કે મારા કેટલાંય અવતારોના ફળરૂપે આ નિરાલંબ દશા પ્રાપ્ત થઈ છે ! પોતે નિશ્ચય કરીને આની પાછળ પડે તો થઈ શકે એમ છે. પહેલાં સ્થળમાં પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમમાં નિરાલંબ થવાય.
નિરાલંબ દશા પ્રાપ્ત કરવા કેવું હોય કે માથે આવી પડેલું ખાય,
ભેદજ્ઞાનના અવલંબને શુદ્ધાત્મા પદ મળે. ભેદજ્ઞાન જ્ઞાનીના અવલંબને મળે. નિરાલંબ પદ જ્ઞાનીની આજ્ઞામાં રહેતાં મળે.
અહીં સ્વરૂપનો આધાર છે. તેથી આ બધાંમાં ક્યાંય લોડ ના હોય. ને બીજો અહંકારનો આધાર છે, જે સામાન્ય લોકોને છે.
સંસાર અજ્ઞાનના આધારે છે. અજ્ઞાન એ જ માયા, સ્વરૂપની અજ્ઞાનતા. અજ્ઞાનને મળે છે પાછો અહમૂનો ટેકો ! એ ટેકો જાય તો છૂટાય.
રિલેટિવ માત્ર આધાર-આધારી સંબંધવાળું છે. દેહ પિત્ત, વાયુ, કફ, શરીરના અંગો-ઉપાંગો આધાર-આધારીવાળા છે.
50
કા