________________
૪૧૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૪૧૯
ભાગ પ્રકૃતિ થઈ ગયો અને બીજું બાવાની પાસે રહ્યો. જ્ઞાનથી, જે જ્ઞાનનાં સંજોગો મળે, તેનાથી ચેન્સેબલ થાય એ બાવા પાસે રહે. અને જે ચેન્કેબલ ના થાય એ પ્રકૃતિમાં રહ્યા.
પ્રશ્નકર્તા : એક્કેક્ટ છે એવું ! હવે બાવા પાસેનું જ્ઞાન ચેન્કેબલ છે ?
દાદાશ્રી : જ્ઞાન હંમેશાં ચેન્જબલ જ હોય. બાવા પાસે નહીં તો ગમે તેની પાસે. જ્ઞાન એટલે અજ્ઞાન અને અજ્ઞાન એ એક પ્રકારનું જ્ઞાન છે. છેવટે બધું જ્ઞાનમાં જ સમાય છે. અજ્ઞાન-જ્ઞાન, અર્ધદગ્ધ જ્ઞાન, અર્ધદગ્ધ અજ્ઞાન. બધું જ્ઞાનમાં જ જાય અને જ્ઞાન જ બધું ફેરફાર કરે, અને પ્યોર જ્ઞાન એ તો ભગવાન જ છે. અને બીજે બધે નીચેનું છે તે ભેદ પડ્યા, આ બાવો, જ્ઞાન એ ય બાવાનું, અજ્ઞાન એ ય બાવાનું.
કઈ ડિગ્રીએ, જ્ઞાતી પદ - ભગવાન પદ ?
પ્રશ્નકર્તા : એટલે આ બાજુ બાવો ત્રણસો પિસ્તાળીસ કે ત્રણસો પચાસ હોય અને આ બાજુ ‘હું ત્રણસો સાંઠ હોય એવું બને એટ એ ટાઈમ બની શકે છે ?
દાદાશ્રી : હોયને ! એ જ અમારું છે. પ્રશ્નકર્તા : એટલે બાવો ત્રણસો છપ્પને છે. દાદાશ્રી : બાવો ત્રણસો છપ્પન ડિગ્રીએ છે. પ્રશ્નકર્તા : અને તમે ત્રણસોને સાઈઠે.
દાદાશ્રી : “' ત્રણસો સાઇઠ ઉપર અને તીર્થંકરનું બેઉ ત્રણસો સાઇઠ.
પ્રશ્નકર્તા : કેવળીઓનું ય બેઉ ત્રણસો સાઇઠ.
દાદાશ્રી : કેવળીઓનું બેઉ ત્રણસોને સાઈઠ હોય કે ના પણ હોય, પણ તીર્થંકરને તો બેઉ ત્રણસો સાઇઠ.
ભેદ, ત્રણસો સાઠ તે ત્રણસો છપ્પત ડિગ્રીતો !
પ્રશ્નકર્તા : તીર્થકરોની ત્રણસોને સાંઠ ડિગ્રી અને આપની ત્રણસો છપ્પન ડિગ્રીની, તે ભેદ સમજાવશો.
અમે જ્ઞાની. જ્ઞાનીને શું હોય ? જ્ઞાની કેમ કહેવાય ? એંસી ટકા, નેવું ટકા, પંચાણું, નવ્વાણું ટકા સુધી જ્ઞાની અને સો ટકે પોતે.
પ્રશ્નકર્તા: તમે કહ્યું ને કે ત્રણસોને ઓગણસાઠ સુધી બાવો અને ત્રણસો સાઠ થઈ જાય એટલે બાવો ખલાસ.
દાદાશ્રી : પછી તો ભગવાન થયો ! એ ત્રણસોને ઓગણસાઠ સુધી જ્ઞાની. એટલે ત્રણસોને પિસ્તાળીસથી ઉપર લગભગ ત્રણસો ઓગણસાઈઠ સુધી એ જ્ઞાની કહેવાય. પણ બાવામાં જ જાય બધાય.
બધા સ્ટેશનો અમે જોયેલા. તમારે બધા સ્ટેશનો જોવા પડશે. હું કેવળજ્ઞાન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું.
અમારે દાદા ભગવાનનાં દર્શન કરવાં છે (અરીસામાં જોઈને બોલે છે). આ દેહધારી દેખાય તે દાદા ભગવાન ! એવું છે ને, ત્રણસો પંચાવન ડિગ્રી થાય ત્યારથી, તે ત્રણસો સાઠ ડિગ્રી સુધી બધા ભગવાન જ કહેવાય !
દાદાશ્રી : ત્રણસો સાંઠવાળા છે તે આવું બોલે નહીં, ઠંડો તમને મોક્ષ આપું. અને જો હું તો ખટપટ કરું છુંને ! હેંડો મોક્ષ આપું. ઓહોહો, મોટા મોક્ષ આપવાવાળા આવ્યા ! સંડાસ નહીં થતું ત્યારે જુલાબ લેવો પડે છે ! મોટા મોક્ષ આપવાવાળા આવ્યા ! આ તો એવું છેને એ કશું બોલે નહીં, એ વીતરાગ, અને અમે ખટપટિયા વીતરાગ. એ ખટપટ કરે છે તે શા હારુ? શું પેટમાં દુખે છે તે ખટપટ કરો છો ?
પ્રશ્નકર્તા : બીજાના માટે.
દાદાશ્રી : મનમાં એમ ભાવ છે કે જેવું હું સુખ પામ્યો એવું બધા