________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પામો. બીજું કંઈ જોઈતું નથી, દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. પણ એય ભાવ છેને ! ભાવ છે ત્યાં સુધી એ ડિગ્રી ઓછી. કંઈ પણ ભાવ છે ત્યાં સુધી વીતરાગ સંપૂર્ણ નહીં. એટલે ચાર ડિગ્રી અમારી ઓછી છે. અને પેલા તો કશું બોલે નહીં. ઊંધામાં ઊંધું થતું હોય તોય એ જુએ કે આ ઊંધુ થઈ રહ્યું છે તોય ના બોલે. અક્ષરે ય બોલે નહીં, વીતરાગ. આપણને કામ લાગે પેલા ખટપટિયા.
૪૨૦
પ્રશ્નકર્તા : દાદા સત્તાવન, અઠ્ઠાવન ને ઓગણસાઇઠનું શું પછી ? દાદાશ્રી : એ તો ડિગ્રી પછી વધતી હોયને, એ દશા બહુ ઓર ઊંચી હોય. એ દશા ઘણી ઊંચી હોય.
પ્રશ્નકર્તા ઃ અમને કંઈક જરા ઉતરે એવું કહોને ?
[:
દાદાશ્રી : એ જેમ જેમ આવશેને ત્યારે સમજાશે.
પ્રશ્નકર્તા ઃ ત્રણસો સાઠવાળાને આ જગત કેવું દેખાય ?
દાદાશ્રી : કોઈ જીવ દુઃખી છે નહીં, કોઈ સુખી છે નહીં, કોઈ દોષિત નથી. બધું રેગ્યુલર જ છે. સર્વ જીવો નિર્દોષ જ દેખાય, અમનેય નિર્દોષ દેખાય છે. પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે, શ્રદ્ધામાં અને જ્ઞાનમાં. ચારિત્રમાં નથી એટલે અમે બોલીએ કે આ તેં ખોટું કર્યું, આ આનું સારું. સારું-ખોટું બોલે છે ત્યાં સુધી વર્તનમાં નિર્દોષ નથી દેખાતા ! પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે ખરા, પણ એ હજુ વર્તનમાં આવ્યું નથી. તે વર્તનમાં આવશે ત્યારે ત્રણસો સાઠ પૂરી થઈ જશે અમારી. આ મનમાં કશુંય નહીં અમારે, રાગ-દ્વેષ જરાય નહીં. વાતોમાં બોલીએ.
‘હું', ‘બાવો', ‘મંગળદાસ' સમજે કોણ ?
પ્રશ્નકર્તા : પણ એ જ્ઞાનની જરૂર કે જે જ્ઞાન બાવાને હું માં બેસાડી દે ? છેલ્લું જ્ઞાન...
દાદાશ્રી : ના, એ જાણે કે આ ચંદુભાઈ હું જ છું. એનો એ જ છું
હું, બાવો, મંગળદાસ
ને, કહેશે. એટલે હવે ભટકવાનું થયું. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્યૉર થઈ જાય. પછી વાંધો નહીં. પ્યૉર જ્ઞાનને પોતે ‘હું છું’ એમ કહે છે, પ્યૉર જ્ઞાન, શ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રીથી જ ‘હું છું’ તે માન્યતા થઈ. ત્યાંથી જેટલો આગળ આવ્યો, તેમાં ત્રણસો પિસ્તાળીસ ડિગ્રીએ આવે ત્યારથી એ જ્ઞાની પુરુષ કહેવાય.
હોય ?
૪૨૧
પ્રશ્નકર્તા : હવે બાવાની શુદ્ધ સ્થિતિ થવી, એમાં મંગળદાસ ગમે તેવો
દાદાશ્રી : મંગળદાસને આપણે શું લેવા-દેવા ? મંગળદાસ તો એની ડિઝાઈન બદલાય જ નહીં ! ઇફેક્ટ થઈ ગયેલી. ડિઝાઈનેબલ (અચેન્જેબલ) ઇફેક્ટ થઈ ગયેલી છે એ. તે નાનપણમાં જન્મ પહેલાં થઈ ગયેલી, તે બદલાય નહીં. આ બદલાય.
પ્રશ્નકર્તા : બાવા પાસે જેટલું અજ્ઞાન છે એટલી અસર કરેને એને ? દાદાશ્રી : તેટલું જ.
પ્રશ્નકર્તા : અને એ વિજ્ઞાનમાં આવી ગયો તો અસર ના થવા દે ? દાદાશ્રી : ત્રણસો સાઇઠવાળાને તો થાય જ નહીં.
પ્રશ્નકર્તા : ના થાય. એટલે ખરેખર મંગળદાસની અસર બાવા ઉપર આવી શકે એવું નથી. આની (બાવાની) અણસમજણ હોય એટલી અસર પેલાની (મંગળદાસ) આવે.
દાદાશ્રી : નહીં તો અસર આવે જ નહીં.
પ્રશ્નકર્તા : બરોબર. અને આપ જે વાત કરો છોને, આપ એ પ્યૉર જ્ઞાનની વાત કરો છો કે પેલી એકેય અસર સ્વીકારવાની જ નથી હોતી બાવાએ.
દાદાશ્રી : પછી ?
પ્રશ્નકર્તા : એટલે એમ કે આપને જે વચ્ચેનું જે બાવાનું પદ છે તે