________________
૪૧૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૪૧૭ જ નહીં બાવો. નીચે પડી જાય ખરો પણ ચઢે નહીં.
પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા એને ચઢાવી દે છે ?
દાદાશ્રી : પ્રજ્ઞાને લીધે ઉપર ચઢતો જાય. અને પ્રજ્ઞાની ગેરહાજરીમાં પડી જાય. જાગૃતિ ગઈ કે નીચે પડ્યો. હું બોલું છું તે કામ લાગશે કે ?
પ્રશ્નકર્તા : હા, દાદા. વાત તો બહુ સ્પષ્ટ છે એકદમ. ક્લિયર સમજાય એવી છે. હવે આમાં મંગળદાસની ઇફેક્ટ જે આવે એ બાવાને એની અસર કેટલી પડે છે એમ ?
દાદાશ્રી : મંગળદાસ પોતે પોતાની ઈફેક્ટ ભોગવે અને પોતાની ના હોય બાવાની ઈફેક્ટ હોય તો બાવો ભોગવે.
પ્રશ્નકર્તા અથવા બાવાની ઇફેક્ટ મંગળદાસ પર આવે ?
પ્રશ્નકર્તા: બાવો “” માં જાય છે ?
દાદાશ્રી : ત્યારે બીજું કોણ જાય ? એ ત્રણસો છપ્પનવાળો બાવો વધતો વધતો ત્રણસો સાઇઠ થશે. ઓગણસાઇઠ ત્યાં સુધી બાવો અને સાઈઠ થયો તો એ પોતે !
પ્રશ્નકર્તા અને હું ત્યારે હતો જ, રહે જ છે? “હું” દરેક વખતે હતો અને રહે જ છે ?
દાદાશ્રી : ‘તો હોય જ ને ! પ્રશ્નકર્તા ઃ તો આ “હું” બાવાને કંઈ સમજણ પાડે એવું બને છે?
દાદાશ્રી : બને ને ! (અહીં “” પ્રજ્ઞા સ્વરૂપે કામ કરે છે તેમ સમજવું.)
પ્રશ્નકર્તા : અને એ સમજણથી બાવો ‘હું’ પાસે આવે એવું બને છે ? દાદાશ્રી : હા, એ સમજણથી જ આવેને, બીજું શું ?'
પ્રશ્નકર્તા એટલે એ શું છે બધું? એટલે બાવાને પ્રગતિ માંડવી હોય તો શું હોય છે વચ્ચે ?
દાદાશ્રી : બીજી શી પ્રગતિ માંડવાની ? આ ‘હું કહે એટલું જ. ‘હું'ને શબ્દ ના હોય.
પ્રશ્નકર્તા: ‘હું'ને શબ્દ ના હોય ? તો એ કઈ રીતે સમજણ પાડે છે એને ?
દાદાશ્રી : એ તો પેલી શક્તિ ખરીને, પ્રજ્ઞાશક્તિ, એ ‘હું'નો ભાગ, પ્યોર જ છે.
પ્રશ્નકર્તા : બરોબર.
દાદાશ્રી : ઇફેક્ટ તો સામસામે આવે-જાય ખરી, પણ એની પોતાની એટલે પોતાની જ. મંગળદાસ છે તે તારી ઇચ્છા હોય તો ફેરફાર ના થાય. બાવાની ઇચ્છા હોય કે મંગળદાસમાં આવું ફેરફાર થાય તો ફેરફાર ના થાય અને મંગળદાસની ઇચ્છા હોય તો ય આ બાવો ફેરફાર ના થાય.
પ્રશ્નકર્તા : ઘણી વખતે દાદા એવું બને છે કે આપણે એક સમજણ પ્રમાણે ચાલતા હોઈએ, હવે એ સમજણ તો બાવાની હોય કે ભઈ, આ પંખો ના ખાવો જોઈએ, પણ પછી અમુક સંજોગોમાં પાછી એની બિલિફ ફરે, કે ના, પંખો ખાય તો બહુ સારું. એટલે પછી એની બિલિફ એવી ફરે. એટલે પછી પાછું આ પ્રકૃતિને પંખો સારો લાગે.
દાદાશ્રી : પછી ?
પ્રશ્નકર્તા: એટલે આ જે પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ ઇફેક્ટમાં આવે છે, એની પાછળ જ્ઞાન બાવાને જે પ્રાપ્ત થયું છે એ કારણભૂત હોય છે ?
દાદાશ્રી : બાવાથી જ પ્રકૃતિ બંધાય છે. બાવો જ પ્રકૃતિ બાંધે છે. પ્રકૃતિ, પ્રકૃતિને બાંધતી નથી. પહેલાં બાવાએ બાંધેલી હતી. તે એ થોડો
દાદાશ્રી : પણ એની સંજ્ઞાથી એ થઈ જાય, શબ્દ ના હોય. એની હાજરીથી આ બધું ચાલે છે. એ ના હોય તો ના ચાલે આ બધું. ઊંચે ચઢે