________________
૪૧૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૪૧૫
દાદાશ્રી : ના, ‘જ્ઞાની’ એય ‘હું નહીં. પણ ‘હું બધાને જાણું છું. ત્રણસો સાઠ ડિગ્રીનો ‘જ્ઞાની’ છે, તેને પણ જાણું છું.
પ્રશ્નકર્તા : એવું કોણ કહે છે ? “હું ? દાદાશ્રી : “હું' કહે છે. પ્રશ્નકર્તા : અને બાવો ? દાદાશ્રી : “ત્રણસો સાઠ ડિગ્રીનો જ્ઞાની છું” એમ બોલે છે તે. પ્રશ્નકર્તા : ત્રણસો સાઠ ડિગ્રી બોલે છે ?
દાદાશ્રી : અમે નથી કહેતા, ‘બાવો’ થઈને, હું ત્રણસો છપ્પન ડિગ્રીનો જ્ઞાની છું ?
પ્રશ્નકર્તા હું ત્રણસો ઓગણસાઠ ડિગ્રીનો જ્ઞાની છું, એવું બોલે છે તે બાવો.
પ્રશ્નકર્તા ક્યારે આવે દાદા ? એ પદ ક્યારે આવે ? દાદાશ્રી : ત્રણસો સાઠ ડિગ્રી થાય ત્યારે.
મંગળદાસ' પર શી અસર ? પ્રશ્નકર્તા : આ બાવો ત્રણસો પિસ્તાળીસની ઉપર જાય તો મંગળદાસમાં શું ફેરફાર થાય ?
દાદાશ્રી : મંગળદાસમાં ફેરફાર કંઈ ના થાય. એ તો એની પ્રકૃતિમાં જ હોય. ફેરફાર થયા કરે છે બાવો જ. ‘હું ફક્ત જોયા કરે.
પ્રશ્નકર્તા: આ બાવો એ કયા આધારે ફેરફાર થાય છે ? દાદાશ્રી : ઇફેક્ટના આધારે.
પ્રશ્નકર્તા : મંગળદાસની ઇફેક્ટને આધારે ? બાવાને ફેરવે છે કોણ ? એટલે કે જ્ઞાન કે બહારની અસરો ? બાવો કયા આધારે ફેરફાર થાય છે ?
દાદાશ્રી : ઇફેક્ટના આધારે. (જ્ઞાને કરીને જેટલી ઈફેક્ટ ભોગવાઈ ગઈ તેટલો બાવો આગળ વધે. એમ સમજવું)
પ્રશ્નકર્તા ઃ ઇફેક્ટ મંગળદાસની ? દાદાશ્રી : વળી મંગળદાસની ઇફેક્ટ હોતી હશે ? પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : તે બાવો. પ્રશ્નકર્તા : એને જાણે છે તે જ. દાદાશ્રી : તે મૂળ. પ્રશ્નકર્તા : મૂળ એ ‘હું કીધું.
દાદાશ્રી : મૂળ એ “'. જ્યાં શબ્દ પહોંચે નહીં ત્યાં ‘હું છતાં બધું એમાંથી ઉદ્ભવ થાય છે. તને બાવો દેખાય છે ને ? બાવો ઊડીને એ મૂળ જોડે અભેદ થઈ જાય. એટલે પછી આ બાવો ઊડી ગયો ! બાવો અને હું, બેની વચ્ચે જે પડ છે એ પડ નીકળી જાય એટલે હું થઈ ગયો.
પ્રશ્નકર્તા : એ શું પડે છે?
દાદાશ્રી : જે એને ભોગવે એની. મંગળદાસ એની પોતાની ભોગવે. બાવો એની ભોગવે.
પ્રશ્નકર્તા: એ ત્રણસો પિસ્તાળીસમાંથી ત્રણસો છેતાલીસ આવે, ત્રણસો સુડતાલીસ આવે, એ ક્યા આધારે આવે છે ?
દાદાશ્રી : એ જેટલું (જ્ઞાને કરીને) ભોગવાઈ ગયું એટલું આમાં આવ્યો એટલે ‘હું’માં આવ્યો એટલો વધ્યો.
દાદાશ્રી : એ જ પડ પેલું મૂળની ચોંટ છે ફક્ત, દરઅસલ ચોંટ. એ ચોંટ નીકળી ગઈ એટલે ઊડી ગયું. એ પદને આવતાં વારે ય ના લાગે.