________________
૪૧૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૪૧૩
શુદ્ધાત્મા ને ‘હું ચંદુભાઈને આવું પદ. તમને એ ખ્યાલ આવવા માંડ્યો એટલે મેં કહ્યું કે ના, શુદ્ધાત્મા થયા નથી, થઈ રહ્યા છો. એ વચલું સ્ટેજ બાવાનું આપ્યું. પ્રશ્નકર્તા : બરાબર. વચલું સ્ટેજ બાવાનું આપ્યું. હા, સમજ પડી.
ત્યારથી ડ્રેસવાળો બાવો ! દાદાશ્રી : જયાં સુધી એ શબ્દ છે ત્યાં સુધી બાવાજી. ‘હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી બાવાજી, ‘હું જ્ઞાની છું ત્યાં સુધી બાવાજી, ત્રણસો છપ્પન ડિગ્રી હોય તે બાવાજી, ત્રણસો ઓગણસાઠ ડિગ્રીએ ય બાવાજી. અને હું એટલે હું પૂરો સમજ્યો નહીં મને લાગે છે ? શું બાવાનો અર્થ ?
પ્રશ્નકર્તા : ત્રણસો સાંઠ ડિગ્રીએ કમ્પ્લિટ અને ત્રણસો ઓગણસાઠ સુધી બાવો. ત્રણસો છપ્પન ડિગ્રીએ બાવો.
દાદાશ્રી : ત્રણસો સાંઠ ડિગ્રી શબ્દ એ બાવો અને શબ્દ વગરનું એ સેલ્ફ. કોઈ કહે છે, હું ત્રણસો સાંઠ ડિગ્રી છું તે બાવો. શબ્દ નથી, અવાજ નથી ત્યાં પછી બાવો નથી, એ મૂળ છે.
ભોગવવાં પડશે, એવું જાણ્યું ત્યારથી જ એ બાવો થઈ ગયો. પણ બાવાને એક્ઝક્ટ ડ્રેસ નહીં. એક્ઝક્ટ ડ્રેસ તો, ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય ત્યારથી એ એઝેક્ટ ડ્રેસમાં આવ્યો. ખરેખર બાવો અહીંથી કહેવાય, પેલો બાવો તો ગણાય જ. અને મંગળદાસ છું, વિલિયમ છું, સુલેમાન છું, એ બધા મંગળદાસ, કારણ કે એ પોતે (માનેલું હું) શું જાણે કે ભગવાન કરે છે અને હું તો સુલેમાન છું.
પ્રશ્નકર્તા દેહાધ્યાસ મને વર્તે છે, એનાથી છૂટવું છે એવું એને ભાન થયું ત્યારથી એ બાવો.
દાદાશ્રી : દેહાધ્યાસ શબ્દ ભાને ય નથી. પ્રશ્નકર્તા ? તો એ બાવો ના કહેવાય ?
દાદાશ્રી : એ જ બાવો. બાવાની શરૂઆત કહેવાય. દેહાધ્યાસ ભાન થાય, એ તો પછી મોટો, મોટો બાવો, રોફવાળો, પણ તે કપડાંવાળો બાવો નહીં, અસલ બાવો નહીં. અસલ બાવો જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારથી અસલ બાવો.
પ્રશ્નકર્તા: ડ્રેસવાળો બાવો ?
દાદાશ્રી : ડ્રેસવાળો, ફૂલ ડ્રેસ. લોક ત્યારે કોઈ વખાણે ત્યારે એવું કહે કે, ના ભઈ, બાવાજી આવ્યા. પેલો બાવો કહે કે ના ય કહે. એ એના ઘરનો બાવો.
અમારો બાવો જદો છે. આ મજુરનો ય બાવો કહેવાય. અહીંનો મજૂર ઇન્ડિયાનો તે બાવો. કારણ કે એ જાણે, મારી સ્ત્રી, નહીં જાણે કયા અવતારની વરવી છે, કયા અવતારનું વેર બાંધ્યું છે, હેરાન-હેરાન કરી નાખ્યો મને. હજુ ભૂલાયું નથી ગયા અવતારનું.
મંગળદાસને, બાવાને, બધાને જે જાણે તે ‘હું'. ત્રણસો સાઠ ડિગ્રીનો જ્ઞાની છે, તે “હું કહું છું. પણ ‘જ્ઞાની” એ “હું નથી.
પ્રશ્નકર્તા : બાવો તે હું નહીં ?
પ્રશ્નકર્તા: એટલે પોતાનું ‘હું શુદ્ધાત્મા છું” ભાન થયા પછી બાવો કહેવાય કે ત્યાર પહેલાં પણ ?
દાદાશ્રી : બધેથી જ બાવો, ત્યાર પહેલાંથી.. પ્રશ્નકર્તા : ત્યાર પહેલાંથી જ ? પુનર્જન્મ સમજે ત્યારથી ?
દાદાશ્રી : ‘હું કર્તા છું' એવું ભાન થયા પછી, ‘હું કરું છું અને હું ભોગવું છું” મારા કર્મો, ત્યારથી બાવો.
પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું કે બાવાનો જન્મ અમે જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી જ થાય છે. ત્યાં સુધી બાવો નથી હોતો.
દાદાશ્રી : ના, બાવાનો જન્મ તો, ‘હું કર્તા છું અને મારે મારાં કર્મ