________________
૪૦૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૪૦૫
દાદાશ્રી : ના ‘હું મંગળદાસ છું’ માને છે એ બાવો સ્વરૂપે છે. સમજ પડીને ! એ રીતે છે !
પ્રશ્નકર્તા તો એવું આ વ્યવહારમાં થયું એવું આ રિયલમાં કેવી રીતે હોય છે ?
પ્રશ્નકર્તા એટલે મંગળદાસ તો બાજુમાં જ રહી જાય છે. દાદાશ્રી : હા, મંગળદાસ તો કશું ફેરફાર જ ના થાય. નામધારી છે. પ્રશ્નકર્તા : હંઅ. નામધારી છે. અને બાવાની સમજણ વધતી જાય.
દાદાશ્રી : વધતી જાય, કાયમ આ બધા મહાત્માઓ બાવા કહેવાય. કારણ કે પોતાનું નામ રિલેટિવને સ્વીકારતા નથી ને રિયલમાં બાવો છે, કહેશે.
પ્રશ્નકર્તા : અચ્છા, રિલેટિવ છૂટ્યો અને બાવા સ્વરૂપ થયું અને એ બાવા સ્વરૂપ વધતું વધતું રિયલ થાય છે ?
દાદાશ્રી : રિયલ થઈ જાય છે.
પોતાને સમજાતું જાય ધીમે ધીમે. મંગળદાસનું પદ છૂટ્ય જ છે. હવે ‘' ને બાવો રહ્યાં.
દાદાશ્રી : “હું” એ રિયલ છે. એ તો છેલ્લું જ્ઞાન. શબ્દ બોલવો ત્યાં છેલ્લું જ્ઞાન. એ બોલ ના બોલવું એ વિજ્ઞાન. એટલે રિલેટિવમાં ‘હુંનું જ્ઞાન છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે અને મંગળદાસ એ કમ્પ્લિટ રિલેટિવ છે. મંગળદાસ તો કાયમનો છે જ અને બાવો વધતો જાય છે.
પ્રશ્નકર્તા: બાવો વધતો જાય પણ ‘હું તો એનું એ જ રહે છે ને? દાદાશ્રી : “તો એનું એ જ રહે.
પ્રશ્નકર્તા: અને “” પછી ત્યારે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય કે જ્યારે ફૂલ જ્ઞાન થયું. બાવો ફૂલ થાય ત્યારે.
દાદાશ્રી : “હું છે તે જ્ઞાન સ્વરૂપ, નવ્વાણું છે ત્યાં સુધી અને પેલું સો થયું કે એ વિજ્ઞાન.
પ્રશ્નકર્તા: ‘હું’ વિજ્ઞાન સ્વરૂપ થઈ ગયો. દાદાશ્રી : બોલે છે ત્યાં સુધી ‘હું બાવો.
પ્રશ્નકર્તા : પણ એટલે જ્યાં સુધી બોલ ચાલુ જ રહ્યા કરશે ત્યાં સુધી ‘હું વિજ્ઞાન સ્વરૂપ નથી થતું?
દાદાશ્રી : ત્યાં સુધી ‘હું જ્ઞાન સ્વરૂપ છું. પણ રિયલી વિજ્ઞાન સ્વરૂપ છું.
પ્રશ્નકર્તા: હવે જ્ઞાન સ્વરૂપ તો એને કહેવાય કે જ્યારે બોલાયા કરતું હોય એટલે કે વાણી નીકળ્યા કરતી હોય ત્યારે હું ક્યાં છે ?
દાદાશ્રી : ત્યાં સુધી હું એ બાવાજી સ્વરૂપે છે.
પ્રશ્નકર્તા: હવે “હું” ને બાવો, તો હું બાવાને જ્ઞાન વધારવામાં હેલ્પ કરે, એવું બને છે ?
દાદાશ્રી : ના. (કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા કેવળ પ્રકાશક જ છે.) પ્રશ્નકર્તા : તો બાવાનું જ્ઞાન કેવી રીતે વધે છે ?
દાદાશ્રી : જેમ જેમ કર્મ છૂટતા જાય તેમ. ફાઈલ નો નિકાલ થતો જાય. અને તે કોણ નિકાલ કરે છે ? વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા: વ્યવસ્થિત નિકાલ કરે, બરોબર. એટલે એના ટાઈમે બધું ભેગું થાય ત્યારે નિકાલ થયા કરે.
દાદાશ્રી : ઈફેક્ટનો નિકાલ થતો જ રહ્યો છે. કોઝીઝ ઉત્પન્ન થતાં
“હું” ને “બાવો’ ત્રણસો સાઠે એક ! હું એમ પૂછું કે કોણ બોલ્યું ? તો એ કહે છે, નીરુ બોલી. પછી