________________
ડિપાર્ટમેન્ટમાં રહે એ ચારિત્ર. ફોરેનમાં આવે જ નહીં એ ખરું ચારિત્ર.
ક્રમિકમાં વ્યવહાર ચારિત્ર હોય તો જ નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત થાય. અક્રમ વિજ્ઞાનમાં આવું કંઈ જ જોઈએ નહીં.
કોઈને ધોલ મારી એ મિથ્યા ચારિત્ર કહેવાય. મારવાની શ્રદ્ધા એ મિથ્યા દર્શન અને મારવાનો ભાવ થયો એ મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનમાં હું ચંદુભાઈ, આનો સસરો, આનો બાપ એ નિશ્ચયથી વર્તે એટલે મિથ્યા ચારિત્રમાં આવે.
પહેલું સમ્યક્ દર્શન થાય એટલે આગળ એની મેળે સમ્યક્ જ્ઞાન ને સમ્યક્ ચારિત્રમાં આવે. એટલે કિંમત જ સમ્યક્ દર્શનની છે !
ના થવામાં જે કષ્ટ પડે તે વખતે જે તપ કરવું પડે, તે મોક્ષનું તપ કહેવાય.
પુદ્ગલનાં દરેક પરિણામને, હર્ષ કે શોકનાં, પરંપરિણામ જાણું, તેનું નામ સમ્યક્ ચારિત્ર કહેવાય. | દર્શનશુદ્ધિ એટલે દર્શન મોહ ખલાસ થાય. દર્શનમોહ ગયા પછી બાહ્ય સંયોગોમાં તન્મયાકાર થાય તે ચારિત્રમોહ અને એ ચારિત્ર મોહનીયને જે જ્ઞાન ‘જુએ” એ સમ્યક્ ચારિત્ર.
અક્રમમાં દાદાશ્રીએ મહાત્માઓને સમ્યક્દર્શનમાં જ નહીં પણ સમ્યક ચારિત્રમાં મૂકી દીધા છે ! એ સિવાય મિથ્યાત્વ મોહનીય હોય.
પરમાર્થ સમકિત એટલે શું? હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે છે. એ ચારિત્રની ભૂમિકામાં આવ્યું કહેવાય. ચારિત્ર મોહનીય જેમ ઘટતું જાય તેમ શુદ્ધ ચારિત્ર વધતું જાય. ચારિત્ર મોહનીય હોય ત્યાં સુધી કેવળચારિત્ર પ્રગટે નહીં.
સંયમ અને ચારિત્રમાં શું ફેર ? સંયમ પરિણામ એ જ ચારિત્ર છે. એ ક્ષયોપશમમાં છે, ક્ષાયિક નથી. સંયમ પરિણામ બંધ થઈ જાય એ ક્ષાયક ચારિત્ર !
જ્ઞાન મળ્યા પછી જ રિયલ ચારિત્રનાં અંશો મહાત્માઓ ભાળે છે. બાકી વ્યવહાર ચારિત્ર જ બધું હોય. આ નિશ્ચય ચારિત્ર તો જગત જાણતું જ નથી કે શું હોય ?
નિશ્ચયનું જ્ઞાન-દર્શન ને ચારિત્ર એ રૂપી નથી, અરૂપી છે. લોકો રૂપી ચારિત્ર ખોળે છે. બોલો ક્યાંથી એનો મેળ ખાય ? લોક તો કપડાં બદલે તેને ચારિત્ર કહે અને “ચારિત્ર વિના મોક્ષ નથી’ કહે. પણ ક્યું ચારિત્ર ? વીતરાગોનું કે લોકોએ માનેલું ?
સમ્યક્ દર્શનથી ચારિત્રમાં ન અવાય, જ્ઞાનથી અવાય. દર્શનથી જ્ઞાનમાં અવાય અને તેનાથી પછી ચારિત્રમાં આવે.
સરાગ ચારિત્ર બહું ઊંચી વસ્તુ. એ જ્ઞાનીઓને હોય. સંપૂર્ણ જ્ઞાની થાય ત્યારે વીતરાગ ચારિત્ર. કિંચિત્માત્ર રાગ-દ્વેષ નહીં એમાં. સો ટકા વીતરાગતા હોય.
કષાય ના થાય તે ચારિત્ર ઊંચું પણ ખરું ચારિત્ર તો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. પછી બુદ્ધિ ઈમોશનલ ના કરે. જ્યાં બુદ્ધિ ઊભી થાય ત્યાં ઈમોશનલપણું આવે જ.
મહાત્માઓ અને અજ્ઞાનીમાં પ્રતિક્રિયામાં ફેર શું? આખોય ફેર. અજ્ઞાની ભગવાન જેવી વાત કરે પણ તેના આર્તધ્યાન-રૌદ્રધ્યાન નિરંતર ચાલુ જ હોય ! અને મહાત્માઓને આર્તધ્યાન રૌદ્રધ્યાન બંધ જ હોય. એને સંસારમાં રહીને મોક્ષ કહ્યો.
જ્ઞાન અને અજ્ઞાન ભેગું ના થવા દે, એનું નામ ચારિત્ર. અને ભેગું
આત્માનું જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ જુદાં જુદાં વિભાગો નથી હોતા. પણ આ તો ત્યાં સુધી પહોંચતા રસ્તે ચઢતો ચઢતો આવે તેમાં પહેલું દર્શન પછી જ્ઞાન ને પછી ચારિત્ર. પણ છે મૂળ એકનું એક જ. પોતે જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદ એનું ચારિત્ર એ પરિણામ છે.
મોક્ષે જતાં બે પ્રકારનાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. એક વ્યવહારમાં બીજું નિશ્ચયમાં. વ્યવહાર જ્ઞાન, વ્યવહાર દર્શન, વ્યવહાર ચારિત્ર ને વ્યવહાર તપ એ બધું બાહ્ય છે. અશુભ છોડી શુભમાં આવે, તે શુભ ચારિત્ર. પછી શુદ્ધ ચારિત્ર થાય. શુભ ચારિત્રમાં માન-અપમાન હોય નહીં.
42
43