________________
૩૬૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૬૧
એવો છે. તમારામાં એવો આત્મા છે ને આમનામાં ય એવો આત્મા છે. ફાંસીએ ચઢાવે તોય દેહ ફાંસીએ ચઢે, આત્મા ના ચઢે. બોલો હવે, એ કેવો આત્મા હશે ? દેહને વીંધે તોય આત્મા ના વીંધાય. બોલો પછી, એવો આત્મા જેને પ્રાપ્ત થઈ ગયો, અને પછી ભો ખરો કશો?
પ્રશ્નકર્તા : કશો નહીં, પછી શેનો ભો ?
દાદાશ્રી : આખા જગતમાં કોઈ ચીજ એવી નથી કે નિરાલંબને સ્પર્શ કરી શકે. ચોગરદમ એટમ બોમ્બ સળગતા હોય એની વચ્ચે એ હોય પણ સ્પર્શ ના કરી શકે નિરાલંબને.
તિરલંબ એ કેવળજ્ઞાત સ્વરૂપી આત્મા ! પેલા ગજસુકુમાર મૂળ આત્માના આધારે સગડીનો તાપ જીરવી શક્યા હતા. માણસ એવો પ્રયોગ કરી જુએ તો ? અરે, એકંય જ્ઞાની પણ એ ના કરી શકે અને ગજસુકુમારને તો છેલ્લો મૂળભૂત આત્મા પ્રાપ્ત થયેલો, નેમીનાથ ભગવાન પાસે પ્રાપ્ત થયો હતો.
પ્રશ્નકર્તા : ગજસુકુમારને જે જ્ઞાન આપ્યું'તું નેમીનાથ ભગવાને એ બહુ જુદા જ પ્રકારનું જ્ઞાન હતું ?
એટલે આ ન હોય, તે ન હોય, ફલાણું ન હોય, આ નહીં, તે નહીં. આ નહીં, એ નહીં, એ નહીં, એ નહીં, એ નહીં..એ. ભગવાન તું કેવો નિરાલંબ !
ભગવાને તેમને સમજાવ્યું હતું કે, “મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ ના કરશો. શુદ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દરૂપ છે. ત્યારે તો સૂક્ષ્મ સ્વરૂપમાં જતા રહેજો.” એમણે પૂછયું, ‘સૂક્ષ્મ સ્વરૂપ શું છે?” ત્યારે ભગવાને સમજાવેલું કે, “ફકત કેવળજ્ઞાન જ છે, બીજી કોઈ વસ્તુ નથી.” ત્યારે ગજસુકુમારે પૂછ્યું, ‘કેવળજ્ઞાનનો અર્થ મને સમજાવો.” ત્યારે ભગવાને સમજાવ્યું, ‘કેવળજ્ઞાન એ આકાશ જેવું સૂક્ષ્મ છે; જયારે અગ્નિ સ્થળ છે. તે સ્થૂળ, સૂક્ષ્મને કોઈ દહાડો બાળી શકે નહીં. મારો, કાપો, બાળો તો ય પોતાના કેવળજ્ઞાન સ્વરૂપને કંઇ જ અસર થાય તેમ નથી. અને ગજસુકુમાર સાથે અંગારા ધીકતા હતા ત્યારે ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું” એમ બોલ્યા ત્યાં ખોપરી ફાટી, પણ કશી જ અસર તેમને ના
થઇ !
દાદાશ્રી : એ પ્રકારનું જ્ઞાન અમને છે પણ એટલી સ્થિરતા નથી શરીરની. કારણ કે એમને તો ભગવાન જોડે જ વાત થયેલી. નેમીનાથ ભગવાનની કૃપા ઉતરી સીધી. બાકી જ્ઞાન અમારી પાસે છે, એ જ જ્ઞાન છે. છેલ્લામાં છેલ્લું જ્ઞાન.
પ્રશ્નકર્તા : તો પછી કયું જ્ઞાન એ ? દાદાશ્રી : પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન. પ્રશ્નકર્તા : નિરાલંબ આત્મા, એમને સંપૂર્ણ પ્રાપ્ત થઈ ગયો?
દાદાશ્રી : નિરાલંબ આત્મા તો છેલ્લો જ પ્રાપ્ત થયેલો, નહીં તો સગડી બાળે તો ના રહે એને. બીજી જગ્યાએ જ જતું રહે. છેલ્લો આત્મા
‘શુદ્ધાત્મા’ શબ્દ એ તો ખાલી સંજ્ઞા જ છે. એનાથી ‘હું શુદ્ધ જ છું, ત્રણેય કાળ શુદ્ધ જ છું’ એ સંજ્ઞામાં રહેવાય. શુદ્ધતા માટે નિઃશંકપણું ઉત્પન્ન થાય. ત્યાર પછીનું પદ એટલે “કેવળજ્ઞાન સ્વરૂપ” “આપણે” ! તમે (મહાત્માઓ) ‘શુદ્ધાત્મા’ તરીકે રહો, અમે ‘કેવળજ્ઞાન’ તરીકે રહીએ !
આખા વર્લ્ડનો અજાયબ પુરુષ છે ‘આ’ ! કેવળજ્ઞાન સ્વરૂપી” આત્મા જાણ્યો, તેને “જાણ્યું” કહેવાય.
‘કેવળજ્ઞાન સ્વરૂપ” એટલે “એબ્સોલ્યુટ’ જ્ઞાનસ્વરૂપ છે. કેવળજ્ઞાન આકાશ જેવું. આકાશ જેવો સ્વભાવ છે, અરૂપી છે ! આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે. આકાશને આમ અગ્નિ અડાડીએ તો તે દઝાય નહીં. અગ્નિ સ્થૂળ છે. બીજી બધી જ વસ્તુ આત્મા કરતાં સ્થળ છે!
કેવળજ્ઞાન સ્વરૂપ કેવું દેખાય ? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ ખાલી દેખાય, બીજું કશું દેખાય નહીં. કોઇ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ ધીમે ધીમે અભ્યાસ કરતા જવાનું છે.