________________
૩૫૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૫૯
વાંધો નથી.’ આવું કહો છો તમે ?
દાદાશ્રી : વાત ખરી છે ને ! પણ મારું અવલંબન તો તમારે રાખે છૂટકો જ નથી. અને હું નિરાલંબી છું. એટલે તમારો ઉપરી હું એકલો રહ્યો, મારો ઉપરી કોઈ છે નહિ.
પ્રશ્નકર્તા : પણ દાદા, તમે જ્ઞાનીની નિશાનીઓ બતાવતાંને, તેમાંની એક આ નિશાની છે કે તારાં ગમે તે પ્રશ્ન હોય, તે પ્રશ્નનાં દરેકનાં જવાબ આપવા એને બદલે તને એવી જ વસ્તુ દેખાડી દઉં કે તું તારા પ્રશ્નોનું તું સમાધાન કરી લે.
- દાદાશ્રી : તારાં પ્રશ્નો તું સોલ્યુશન કરી લે. હું ક્યાં માથાકૂટો કરું ? અને હજુ તો પચાસ હજાર માણસો આવશે, લાખ માણસ આવે, શું કહેવાય કાલે પાછું ? હું ભાંજગડમાં ક્યાં પડું ? મારો હેતુ શો છે કે જે સુખ પામ્યો છું તે સુખ તમે પામો. મારો હેતુ પૂરો થઈ ગયો. બસ થઈ ગયું ! કેટલાંય માણસો કહે છે, ‘દાદાજી, અમારાથી છ-છ મહિના સુધી નથી અવાતું.’ કહ્યું, ‘તમને આનંદ રહે છે ને ?” ત્યારે કહે, ‘અમારી પૂર્ણાહૂતિ લાગે છે. દાદા મને હાજર રહે છે.’ તે બહુ થઈ ગયું, પછી અમારે કંઈ અહીં આવો કે જાવ એવું એ નથી . જેનું અવલંબન લીધું હોય, ત્યાં એમને આપણી પાસેથી કંઈ જોઈતું હોય ત્યારે આપણને ભાંજગડ થાય. અહીં અમારે તો કોઈની પાસેથી કંઈ જોઈતું જ નથી.
જ્ઞાન બધું આપી દીધેલું છે. આગળ તો, એક ફક્ત મારી સ્થિતિને લઈને જ હું આગળ રહી શક્યો છું. આગળ તરતો જ હોઉં તમારા કરતાં. એટલે એ તમને લાભ થાય છે જોડે રહેવાથી. બાકી બીજાં બધાં જે ગુપ્ત રાખી મેલતાં થોડું ઘણું એ તો બહુ ગોટાળિયું છે. એવું ના હોવું જોઈએ. કારણ કે પેલો જે હોય તે આપી દે. ભલેને પછી એ ના આવે આપણી પાસે. આપણે કંઈ એની પાસે આ સેવા માટે નથી આપ્યું આ. એનાં ઉદ્ધાર માટે આપ્યું છે. અને મારે સેવા જોઈતી નથી. મને તો ઉદ્ધાર થઈ ગયેલો છે, બધું થઈ ગયું છે, મારે શેના માટે સેવા જોઈએ ? એટલે બધું પૂર્ણ જ આપી દઈએ છીએ, જેને હોય તેને.
પ્રશ્નકર્તા : એટલે પેલું કહે છે ને, લેશમાત્ર પણ જેને ઈચ્છા ન હોય.
દાદાશ્રી : હા, લેશમાત્ર, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. જ્યાં ભગવાન પાસે ઈચ્છા નથી રાખી, તમારી પાસે શી રીતે રાખું ? આ તો ઘણું પામ્યા છે. આવું તો કોઈ બાવો પામેલો નહીં એવું પામ્યા છે. હવે એનો અસંતોષ ન રાખતા.
શિયમ ઓફ ઍબ્સોલ્યુટીઝમ ! પ્રશ્નકર્તા: આ વાક્ય જરા સમજવું છે અને અમે જાતે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમમાં છીએ. થિયરી જ નહીં પણ થિયરમમાં છીએ.
દાદાશ્રી : હા. થિયરીમાં અમારે બોલવા ખાતર કહેવું પડે, બાકી અમે તો, થિયરમમાં જ છીએ. નિરાલંબમાં જ છીએ. કોઈ અવલંબન નથી રહ્યું એવી નિરાલંબ સ્થિતિ.
પ્રશ્નકર્તા : ઍબ્સોલ્યુટ સ્થિતિનું વર્ણન સમજાવો જરા.
દાદાશ્રી : ઍબ્સોલ્યુટ સ્થિતિ એટલે પરસમય બંધ થઈ ગયો. આ કાળનો નાનામાં નાનો ભાગ, એનું નામ સમય કહેવાય. આ પળ છે, એ સમય નથી, એનો બહુ સૂક્ષ્મ ભાગ એને સમય કહેવાય છે, એક સમય પણ પરસમય નહીં, એનું નામ ઍબ્સોલ્યુટ. અને એબ્સોલ્યુટ થયા પછી અવલંબન ના હોય, નિરાલંબ સ્થિતિ હોય.
પ્રશ્નકર્તા : નિરાલંબ સ્થિતિ તો ઍબ્સોલ્યુટ થયા વગર પણ અનુભવ કરાયને ?
દાદાશ્રી : ના. ઍબ્સોલ્યુટ થયા પછી જ નિરાલંબ થાય. એટલે ત્યાંથી એબ્સોલ્યુટ શરૂ થયું ત્યાંથી તે સંપૂર્ણ ઍબ્સોલ્યુટ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ઍબ્સોલ્યુટ સ્થિતિ છે. ઍબ્સોલ્યુટની બિગિનિંગ છે અને એન્ડ પણ છે.
તિરાલંબ દશા ત્યાં નિર્ભયતા, વીતરાગતા ! આત્મા નિરાલંબ છે, બિલકુલ નિરાલંબ છે. કોઈ વસ્તુ ટચ થાય નહીં