SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૫૭ પ્રશ્નકર્તા : દાદા, એ બોજો હલકો કરવા આપને અરજ કરી છે. દાદાશ્રી : એ બરોબર છે. બોજો તમારે રાખવાનો નહીં. એ તો એની મેળે સામું જ આવવાનું હવે. આ આજ્ઞા પાળોને, એ પદ સામું આવવાનું. મારે ચોખ્ખું કહી દેવું જોઈએને કે શું છે આ ! કરેક્ટનેસ તો આવવી જોઈએને ! કેવળજ્ઞાન ! ઍબ્સોલ્યુટ ! ફોરેનવાળા સમજે ઍબ્સોલ્યુટ. એટલે અમે ફોરેનવાળાને લખેલું છે કે અમે થિયરી ઑફ ઍબ્સોલ્યુટમાં નહીં, થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમમાં છીએ. થિયરમ એટલે એના અનુભવમાં જ છીએ. પ્રશ્નકર્તા : સંપૂર્ણ જાગૃતિ, એનું નામ કેવળજ્ઞાન ? દાદાશ્રી : સંપૂર્ણ. અને અત્યારે તમારી જાગૃતિ વધી છે તે સંપૂર્ણ થવા માટે તૈયારી કરી રહી છે. સંપૂર્ણ જાગૃતિ એ જ નિરાલંબ કહેવાય. અત્યારે તો અવલંબન, તમારે મારી પાસે આવવું પડે કે નહીં હજુ ? મારું અવલંબન લેવું પડે કે ના લેવું પડે તમને ? એ અવલંબન કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું' એ અવલંબન. અત્યારે જ્ઞાનનો લાભ મળે છેને પૂરેપૂરો ? કોઈ પણ જગ્યાએ સમાધાન આપે એવું છે ને ? પ્રશ્નકર્તા પણ દાદા, એમાંથી આખો જ વિચાર આવેને, ઍબ્સોલ્યુટ જે શબ્દ આપણે કહીએ છીએ, એટલે કયું ચિત્ર ઊભું થાય ? દાદાશ્રી : આ મૂળ આત્મા છે ને, તે ઍબ્સોલ્યુટ. એને બીજા કોઇની જરૂર નહીં. ઍબ્સોલ્યુટ એટલે શું ? નિરાલંબ. એને કોઇના અવલંબનની જરૂર નહીં, પોતે પોતાના પ્રાણથી જ જીવી રહ્યો છે. એટલે આવો પ્રાણ નહીં. પોતે પોતાનાથી જ જીવી રહ્યો છે. નિરંતર સુખ, નિરંતર આનંદ તે જ આત્મા. તો શુદ્ધાત્માનો અનુભવ થયો. લક્ષ, પ્રતીતિ અને અનુભવ. બાકી મનમાં એમ માની બેસે કે આ અનુભવ થયો હવે પૂરું. એ હોય કામ પૂરું થયું ! ‘હું શુદ્ધાત્મા છું’ એ આત્માનો અનુભવ એ વાત સાચી છે. એમાં બે મત નહીં એ ! કારણ કે એ ત્રિકાળી વાત છે. અમુક કાળવર્તી નથી આ. આત્માની બધી વસ્તુ ત્રિકાળવર્તી હોય. અમુક કાળવર્તી ના હોય. મને એ અનુભવ ત્રિકાળી રહ્યા કરે. તમને ય ત્રિકાળી રહ્યા કરે પણ તમને આ બધાં મહીં બાધકો હોય છે. સંસારના વિદ્ગો બધાં. ‘હું શુદ્ધાત્મા છું' તે ય અવલંબન છે, શબ્દનું અવલંબન. પણ એ ઊંચું અવલંબન છે. એ મોક્ષમાર્ગનું છે. એની સુગંધી જુદી હોય ને ? પણ તેથી આગળ જવાનું છે. નિરાલંબ થવાનું છે. કેટલી ગજબની પુણ્ય કહેવાય ! આ વાત સાંભળવાની ના મળે. શાસ્ત્રોમાં હોય નહીં આ વાત ! પ્રશ્નકર્તા : તો એક-બે ભવમાં થઈ જાય ને નિરાલંબ ? દાદાશ્રી : થઈ જવાનું ને ! આ તો એની મેળે જ બધું હલકું પડી ગયું ને ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ ગયા. એટલે એકાવતારી થાય માણસ. કાયદો જ એ છે. અને વખતે બે અવતાર થશે તો ય શું ખોટ જવાની છે ? હવે આટલાં બધાં અવતાર બગાડ્યા. આપણને પોતાને ય લાગે કે હલકાંડૂલ થઈ ગયાં છે. | મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ તીર્થંકર હોય છે જ. ત્યારે બોલો, બ્રહ્માંડ તો પવિત્ર જ છે ને, જ્યારે જુઓ ત્યારે ? પ્રશ્નકર્તા : અમે તો દાદાનો વીઝા બતાડીશું. દાદાશ્રી : વીઝા તો બતાવવો પડે, તો એની મેળે કામ થાય. તેથી તીર્થંકરને જોતાં જ તમને આનંદનો પાર નહીં રહે. બધું જગત વિસ્મૃત થઈ જશે. જગતનું કશું ખાવાનું-પીવાનું નહીં ગમે. તે ઘડીએ પૂરું થઈ જશે. નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે. નિરાલંબ પછી અવલંબન રહ્યું નહીં કરું. પ્રશ્નકર્તા: ‘મારું અવલંબન તમને છે, હું નિરાલંબી છું એટલે કંઈ હવે આ શુદ્ધાત્મા પદની ડિગ્રીમાં પેઠાં, શરૂઆત થઇ પણ હજુ મૂળ આત્મા ઘણાં માઈલો છેટો છે પણ તમે મોક્ષના દરવાજામાં પેસી ગયા. મોક્ષ તમારો થઈ ગયો હવે. પણ અહીં આગળ અટકી ના જશો. આપને સમજાયું કે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એ કંઈ છેલ્લી દશા નથી. એ તો મોક્ષના દરવાજામાં પેઠાની ખાતરી થઈ ગઈ. એ મોક્ષમાં પેઠાં. એ
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy