SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માઓને જે જ્ઞાન મળ્યું તે હવે આવતા ભવનું પરાક્રમ બનશે ! દાદાશ્રીનું જે પરાક્રમ છે તે ગતજ્ઞાન પરાક્રમ છે. પરાક્રમ ક્યારે કહેવાય કે વાણી પાતાળમાંથી નીકળે ત્યારે ! એ બોલે તેનાં જ શાસ્ત્રો રચાય ! [૫.૧] જ્ઞાન-દર્શન સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યાણિ મોક્ષમાર્ગ.” રત્નત્રયથી મોક્ષ. પરમાર્થ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એ જ્ઞાન અને શ્રુતજ્ઞાનથી, વાંચવાથી કે સાંભળવાથી થયું હોય. પણ એ પ્રાપ્ત થયા પછી એને આત્માની પ્રતીતિ બેસે, દર્શનમાં આવે આત્મા. પછી ચારિત્રમાં આવે ને મોક્ષ થાય. આધારે બધા અનુભવો થાય. એટલે શરૂઆતમાં દર્શનાત્મા થાય પછી જ્ઞાનાત્મા થાય. જ્ઞાનવાળાને પોતાના બહુ દોષ દેખાવા માંડે ને તેનાથી મુક્ત થાય. દર્શન કોનું કહેવાય ? બુદ્ધિનું કે પ્રજ્ઞાનું ? દર્શન તો પ્રજ્ઞાને ય દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા જ છીએ. પ્રતીતિ કોને બેસે છે ? અહંકારને ! પ્રતીતિ પ્રજ્ઞા કરાવે છે? ના. એ દાદાશ્રી જે આત્માનું જ્ઞાન આપે છે તે અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. જ્ઞાન મળતાં જ ભગવાનની કૃપાથી જ્ઞાન ફીટ થઈ જાય છે. રોંગ બિલિફ ઊડે છે ને રાઈટ બિલિફ બેસે છે. રાઈટ બિલિફ, રાઈટ જ્ઞાન ને રાઈટ ચારિત્ર એ ત્રણેવ સતુમાં સમાય. સમ્યક્ દર્શન એટલે ભ્રાંતિક દર્શનનો અભાવ ! દ્રષ્ટિ ફરે તો દર્શન. નહીં તો વિનાશી ચીજોમાંથી શ્રદ્ધા ઊઠી અને સનાતન વસ્તુ પર અતૂટ શ્રદ્ધા બેસે, એનું નામ સમ્યક્ દર્શન, દર્શન અને જ્ઞાન થાય પછી ચારિત્રમાં આવે. રાગ-દ્વેષ રહિતનું ચારિત્ર, એનું નામ સમ્યક્ ચારિત્ર. અજ્ઞાન ને અદર્શનનું ફળ શું? કષાય. અને જ્ઞાન અને દર્શનનું ફળ શું ? નિરંતર ‘સમાધિ'. સમ્યક્ દર્શન થાય એને સમક્તિી કહેવાય. એમાં એની દ્રષ્ટિ ફરી છે. સમ્યક્ દર્શન થયું પણ સમ્યક્ જ્ઞાન નથી થયું. સમકિત થયા પછી જે અનુભવ થાય એ બધું જ્ઞાનમાં જાય. પછી ચારિત્રમાં આવે.. શ્રદ્ધા એ આત્માનો ગુણ છે ? ના. શ્રદ્ધા એ મન, બુદ્ધિનો ગુણ છે. આત્માનો ગુણ તો દર્શન છે. શ્રદ્ધા અશ્રદ્ધા થઈ જાય, જ્યારે આત્માનું દર્શન ક્યારેય ફરે નહીં. પ્રતીતિ એટલે દર્શન અને લક્ષ એ જાગૃતિમાં જાય અને જે પ્રતીતિ થઈ તે અનુભવમાં આવવું તે જ્ઞાન કહેવાય. આત્માના અનુભવ અને જ્ઞાનમાં શું ફેર ? અનુભવ અંશે અંશે વધે ને જ્ઞાન સવાશ હોય. દાદાશ્રી જ્ઞાન આપે ત્યારે દર્શન સંપૂર્ણ થાય છે પણ જ્ઞાન અંશે અંશે થાય. જ્ઞાન” આપે ત્યારે જાગૃતિ ઉત્પન્ન થાય. અને એ જાગૃતિના દર્શનનો અર્થ શું કે “હું ભગવાન છું' એવી શ્રદ્ધા બેઠી. પણ નિશ્ચયથી ભગવાન છું, વ્યવહારથી તો વકીલ છું કે ડૉક્ટર છું. ખુદને જાણે એ ખુદા. પણ એ શ્રદ્ધામાં થયો છે, જ્ઞાનમાં નથી. ખુદા તો દાદા છે !!! અક્રમમાં જ્ઞાનવિધિમાં પહેલાં અનંત કાળના પાપો ભસ્મીભૂત થાય છે, પછી આત્માની પ્રતીતિ બેસે છે. પછી આત્માનો થોડો થોડો અનુભવ થાય છે તેની શરૂઆત થઈ જાય છે. અક્રમમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. દર્શન પૂરું જ મળે છે, પછી અનુભવ થતાં થતાં જ્ઞાનમાં આવે એટલે પછી ચારિત્રમાં આવે. દાદાશ્રી સંક્ષિપ્તમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું સમજાવતાં કહે છે કે ‘હું શુદ્ધાત્મા છું' ને ‘ચંદુ’ એ ફાઈલ છે, એવી પ્રતીતિ બેસી ગઈ એને સમ્યક્ દર્શન કહ્યું. પછી ફાઈલમાં શું શું છે ને આ બીજામાં શું શું છે એ બધું જ જાણે એ જ્ઞાન અને જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ ચારિત્ર.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy