________________
નિરાલંબ
૩૦૧
[૬] તિરાલંબ
આધાર છૂટી જાય ત્યારે ઓહો, આ બધા છે તેનાં કરતાં મારું સારું છે, વળી પાછો એવાં અહંકારથી જીવે. આ રોજ જીવવાનો શેના આધારે ? જ્યાં સુધી એને સાચું અવલંબન ના ઉત્પન્ન થાય, જ્યાં ત્રિકાળી અવલંબન, આ સનાતન અવલંબન, ત્યાં સુધી જીવવાનો આધાર જ નહીં ને ! લોકોને જુએ તે પાછું જીવે. તે આપણા કરતાં જુઓ, બધા ઘણાં માણસો દુઃખી છે. આમ છે, તેમ છે. એ આધારે જીવેને પછી. એટલે આ જગત બહુ મોટું અવલંબન છે. પણ એ આધાર બધા નાશવંત. એ પાછું જતું રહે ત્યારે પાછું મનમાં ગૂંચાઈ જાય.
ફક્ત જ્ઞાની પુરુષ આધારી ના હોય, નિરાલંબ હોય. કોઈ આલંબન નહીં. જગત અવલંબનથી જીવી રહ્યું છે, આધારથી જીવી રહ્યું છે. જ્યારે એ આધારનો નિરાધાર થાય ત્યારે કલ્પાંત કરે. જ્ઞાની પુરુષ પોતે ઍબ્સોલ્યુટ થયા હોવાથી એમને આધાર-આધારી સંબંધ રહ્યો નથી. ઍબ્સોલ્યુટ ! ભલેને આ ભાવના રહી જગત કલ્યાણની, પણ પોતે થયા છે તો ઍબ્સોલ્યુટ ! એબ્સોલ્યુટ એટલે નિરાલંબ. કોઈ અવલંબનની એમને જરૂર નહીં. ! સ્વતંત્ર કેવળ, કેવળ જ, બીજું કંઇ મિલ્ચર(ભેળસેળ) નહીં.
આધાર-આધારી સંબંધે ટક્યો સંસાર !
ભયંકર દુ:ખોમાં ત્રાસ ત્રાસ થઈ ગયા છે, પણ શા આધારે જીવે છે ? એનો કંઈ આધાર તો હશે ને ? એ બહાર નીકળ્યા પછી કહેશે, “આ બધાથી હું મોટો છું, બસ'. એના આધારે જીવે છે. આધાર તો હોયને જીવવાનો ! આ દરેક માણસો આધારથી જીવે છે. શેના આધારે જીવે છે ? આ મજૂરો કરતાં આપણે સુખી. આ જે આદીવાસી હોયને, મેં કહ્યું, ‘તમે જીવો છો શા આધારે ? કંઈ તમારું... ?” “ચાર ગાયોનો ઉપરી હું છું.’ ‘હું ! ચાર ગાયો, બે-ત્રણ વાછરડાંનો હું ઉપરી !' એટલાં આધારથી જીવી રહ્યાં છે બધાં.
જગતમાં ક્યો આધાર શાશ્વત ?
પહેલાં શા આધારે જીવતાં હતાં ? પ્રશ્નકર્તા : મનની ઇચ્છાઓ.
કોઈનો આધાર રાખે. અહંકારનો આધાર રાખે, રૂપના આધારે, કોઈ સગાં-વહાલાનો આધાર રાખે, કોઈ વિષયનો આધાર, બીજાનો, ત્રીજાનો, એના આધારે જીવે આ બધા. ત્યારે બીજું શેના આધારે જીવે ? ખોરાકથી તો દેહ જીવે, મન શેના આધારે જીવે ? આ બધા અવલંબનોથી જ જીવે. બુદ્ધિ શેના આધારે જીવે ? જે એનો ખોરાક એનાથી જીવે. પણ સનાતન અવલંબન હોય તો કોઈ દહાડો ય છૂટે નહીં. તમે જ્ઞાન લેતાં પહેલાં છે તે બધાં અવલંબન લેતાં હતાં. અવલંબન હોય ત્યાં પછી આ તો રાંડે તો ય રડવા બેસે. કોઈ ને કોઈ પણ આધાર હોય આનો ! જ્યારે
દાદાશ્રી : એ બધા આધાર ખોટાં હતાં. એ ક્યારે નિરાધાર થઈ જાય એ કહેવાય નહીં. કારણ કે પોતાનું કોઈ થાય જ નહીં ને ? આ જગતમાં પોતાનું કોઈ ક્યારેય પણ થાય નહીં. થોડીવાર થાય તો જ્યારે કંઈ મતભેદ પડે કે જુદું. અને મતભેદ પડતાં વાર ના લાગે ને ? એટલે આ આધાર ખોટાં છે. એક પોતાનાં શુદ્ધાત્માનો આધાર એકલો જ સાચો છે અને જો પ્રાપ્ત થઈ જાય તો પછી નિરાંત જ ને ? બાકી આ આધારમાં તો લોકો માર ખાઈ ખાઈને થાક્યા છે. તેથી જ આ કંટાળી ગયા છેને લોકો. કેટલાંક વળી પૈસાનો આધાર રાખે. પૈસાના આધારે જીવાય છે ? પૈસા ક્યારે