________________
ચારિત્ર
શકે. સમ્યક્ ચારિત્રને પોતાની ભાષામાં સમજી જાય લોકો અને કેવળચારિત્ર ના ઓળખાય, દેખાય નહીં. ઈન્દ્રિયગમ્ય નથી હોતું, જ્ઞાનગમ્ય છે. એટલે સમ્યક્ ચારિત્ર એ ઈન્દ્રિયગમ્ય છે.
૨૯૯
કષાયરહિત ચારિત્ર એ સમ્યક્ ચારિત્ર ને કેવળચારિત્ર એ છેલ્લું ચારિત્ર છે.
પ્રશ્નકર્તા : યથાખ્યાત ચારિત્ર અને કેવળચારિત્ર એમાં શું ફેર ?
દાદાશ્રી : યથાખ્યાત ચારિત્ર એટલે તો જ્ઞાતા-દ્રષ્ટા. જ્ઞાયકપણું જેમ છે તેમ. યથાખ્યાત ચારિત્ર પછી કેવળચારિત્ર છે, કેવળજ્ઞાન થયા પછી કેવળચારિત્ર ! છેલ્લું એ !