________________
ચારિત્ર
૨૮૯
૨૯૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : એ તો આપણાં કર્મનો ઉદયને ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ જ છે ને ! એને આપણે ‘વ્યવસ્થિત’ જ કહેવું.
ચારિત્રતા લક્ષણો ! પ્રશ્નકર્તા : ચારિત્ર ક્યારે કહેવાય ?
દાદાશ્રી : કંઈ પણ પેટમાં પાણી ના હલે ત્યારે એ ચારિત્ર કહેવાય. દર્શન એટલે પ્રતીતિ. આ જ્ઞાનની પ્રતીતિ બેસી ગઈ એ વાત તો સો ટકા થઈ. જ્ઞાન તો જેમ અનુભવમાં આવે તેમ લાગે કે આ છે તો નિર્દોષ ને આપણે દોષિત માન્યા, એ ભૂલ છે. એટલે આમ જ્ઞાનમાં આવ્યું એ થિયરમમાં આવ્યું.
એટલે પ્રતીતિ એ ભગવાન મહાવીરે થિયરી કહી. થિયરી જાણી પણ થિયરમમાં આવ્યું નથી, કહે છે. દર્શન એટલે થિયરી ઓફ એબ્સોલ્યુટીઝમ અને આ જ્ઞાન એટલે થિયરમ, થિયરમમાં થોડું થોડું આવ્યું પણ હજુ થિયરમના જેટલા માર્કસ મળે એટલાં જ તમને મળે, પણ બોનસ ના મળે તમને. અને આ જેને પેટનું પાણી ના હલે, તેને બોનસના આપે. ચારિત્ર હવે વધ્યું છે.
ચારિત્ર ઓળખાય શી રીતે ? ખબર શી રીતે પડે કે અંદર ચારિત્ર વર્તે છે ? એના બાહ્ય લક્ષણ શું ? ત્યારે કહે વીતરાગતા. આપણા મહાત્માઓ ય કહે કે અમને વીતરાગતા છે. પણ મહીં ગમો-અણગમો હોય. એ રાગ-દ્વેષની માસીના દીકરા.
પ્રશ્નકર્તા : ખરું દાદા. પણ રાગ-દ્વેષ ગયા એટલે માસીના દીકરાને બહુ ધમકાવે નહીં. એટલે રાગ-દ્વેષ કંઈ એવું રહે મનમાં......
દાદાશ્રી : માસીના દીકરા ચઢી બેઠા હતા પણ ! અમારા ભઈની ગાદી ઉપર છીએ, કહેશે. બધા કહેય ખરા, સગા માસીયાઈ થઈએ પાછાં.
પ્રશ્નકર્તા એટલે ગમો અને અણગમો જશે, ગમા અને અણગમાને
જાણશે અને જશે...
દાદાશ્રી : જશે કહીએ તો એની ઉપર દ્વેષ થાય. જાય કે આવે એ આપણે જોવાની જરૂર નથી. આપણે આપણી મેળે પ્રગતિ કરતાં કરતાં એની મેળે જ જતાં રહે, ખરી પડે.
પ્રશ્નકર્તા: ખરી પડે. જશે એમ કહીએ.... દાદાશ્રી : એ દ્વેષ કહેવાય. પ્રશ્નકર્તા : આપણે આપણી પ્રગતિ કરતાં એની મેળે ખરી પડે... દાદાશ્રી : એ જ રસ્તો વીતરાગનો.
સમ્યક્ ચારિત્ર વન્યું ત્યારે ગણાય ! પ્રશ્નકર્તા: કોઈ વસ્તુ આપણે જોઈ, જેમાં આપણું ધ્યાન ન જવું જોઈએ તે જગ્યાએ આપણું ધ્યાન ગયું. એટલે તે વખતે તો ભલે ધ્યાન ગયું, પણ આપણે એને જુદું જોયું, અને તેને પાછું વાળી શકો અને કંઈ કાર્ય ના થાય તો હવે એ કોનું ચારિત્ર, શાનું ચારિત્ર ?
દાદાશ્રી : એ જ સાચું આત્મચારિત્ર. એ જ ચારિત્ર કહેવાય. ભગવાને સમ્યક્ ચારિત્ર તે એને જ કહ્યું.
પ્રશ્નકર્તા : સમ્યક્ ચારિત્ર એ ભાવસ્વરૂપને, દ્રવ્ય તો નહીં ?
દાદાશ્રી : હા, તે ભાવસ્વરૂપ એટલે આપણે જ્ઞાતા-દ્રષ્ટા ને એ શેય થયું તો એ સમ્યક્ ચારિત્ર. એટલું સમ્યક્ ચારિત્ર તમારું જમે થયું. અને તે વખતે એમ માનો કે આ જ્ઞાન આપ્યું હોય અને સમ્યક્ ચારિત્ર ન પણ રહે. કારણ કે એવિડન્સ છે પાછલાં. એવિડન્સ છે એટલે મિથ્યાચારિત્ર થયું તો તેને જો તમે જાણકાર રહો તો મિથ્યાચારિત્રનું જોખમ લાંબું હોતું નથી, અતિશય તન્મયાકાર થઈ જાય, મૂછિત હઉ થઈ જાય તે ખોટું કહેવાય. તે આપણું જ્ઞાન એવું મૂર્જિતભાવ કરવાવાળું નથી. એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. આ તો એ જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો હોય છતાંય છે તે જોયમાં જોયાકાર કરી