________________
ચારિત્ર
૨૯૧
નાખે. તે વખતે સમ્યક્ દર્શન છે પણ સમ્યક્ ચારિત્ર નથી. એટલે કે આખું ફર્યું નથી. ચારિત્ર ક્યારે જમે થાય કે અહીં આગળ વર્તનમાં આવશે ત્યારે જર્મ થાય.
૨૯૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) થાય. અને સંયમ તો ?! અસંયમને અટકાવવો, એનું નામ સંયમ કહેવાય. એ તો આમ વ્યવહારમાં સંયમી માણસ કહેવાય.
પણ આ જ્ઞાન પછી હવે સંયમ આવવા માંડ્યો છે. ચારિત્રને લેવાદેવા નહીં. ચારિત્રવાનને જોઈને લોકો ખુશ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ બ્રહ્મચર્યનું એક્કેક્ટ આરાધન કરે, તો પછી પૂર્ણ ચારિત્રવાન થાય ને ?
દાદાશ્રી : કેમ ના થાય ?! જ્ઞાન આપેલું છે તેને થાય, બીજાને ન થાય. બીજો થોડો થોડો પ્રોગ્રેસ કરે. જ્ઞાનવાળા તો પૂર્ણ ચારિત્ર ! શીલવાન ગમે ને ?
પ્રશ્નકર્તા: શીલવાન ગમે. અમારાથી ચૂકી જવાય છે. મારે પણ અથડામણ થાય છે.
પરીક્ષા ચારિત્ર બળવાતતી પ્રશ્નકર્તા : ચારિત્ર બળવાન થયું ક્યારે કહેવાય ? અને ટેસ્ટ શું?
દાદાશ્રી : કોઈની સાથે અથડામણ ના થાય. આપણું મન અથડાય જ નહીં કોઈ જગ્યાએ તો ચારિત્ર બળવાન થયું કહેવાય. મન અથડાય નહીં, બુદ્ધિ ના અથડાય, ચિત્ત અથડાય નહીં, અહંકાર ના અથડાય, શરીર અથડાય નહીં, એડજસ્ટ એવરીવ્હેર.
પ્રશ્નકર્તા : મન ના અથડાય, બુદ્ધિ ના અથડાય એ જરા સમજાવો.
દાદાશ્રી : કોઈ જોડે ડખો ના થાય. અથડામણ ના થાય. કોઈનું મોટું ન ચડે આપણાથી. કોઈને દુઃખ ન થાય, કોઈને ત્રાસ ન થાય, એવરીવ્હેર એડજસ્ટ થયેલું.
પ્રશ્નકર્તા : અથડાઈને પ્રતિક્રમણ કરે તે ચારિત્ર જ કહેવાય ને ? દાદાશ્રી : ના. એ તો ચારિત્રમાં જવાની નિશાની છે. પ્રશ્નકર્તા : ચારિત્રવાન અને શીલવાન એ બેમાં શું ફેર ?
દાદાશ્રી : શીલવાન એટલે પૂર્ણ ચારિત્રનો હોય. ચારિત્રવાન એટલે અંશ શીલવાન અને શીલવાન એટલે સવાશ શીલવાન. એટલે આ જ્ઞાન છે તો તમારાથી ચારિત્ર આવે. નહીં તો ચારિત્ર જ ના હોય ને ? ધ્યાન-તપ ગૂંચવાડો ઊભો જ કર્યા કરે !
પ્રશ્નકર્તા: ચારિત્ર અને સંયમમાં શું ફેર, દાદા ? દાદાશ્રી : ચારિત્ર અને સંયમમાં તો બહુ ફેર ! ચારિત્ર એટલે તો કોઈને કિંચિત્માત્ર દુઃખ ન થાય, અથડામણ ના
દાદાશ્રી : આપણે જે કહીએ છીએને, એ તો સરવૈયું કહેવાય કે, જે ક્ષેત્રે જવાનું છે તે ક્ષેત્રની વાત. શીલવાન તીર્થંકર કહેવાય. અને શીલવાન થવાનું છે તે પછી જેટલું થયું એટલું સાચું. બીજું ખૂટે છે એ જાણવું જોઈએ, કે કેટલું ખૂટે છે !
ત્યારે આવ્યો નિશ્ચયમાં ! નિશ્ચયથી વ્યવહારથી રે, જ્ઞાનાદિક સ્વરૂપ રે.” - શ્રીમદ્ રાજચંદ્ર
નિશ્ચયથી તો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે અને વ્યવહારથી શું છે ? એનું એજ. એ ય જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ છે. આ વ્યવહાર એ ઈન્દ્રિયગમ્ય છે, ઈન્દ્રિયજ્ઞાન છે. વ્યવહાર ઈન્દ્રિય જ્ઞાન-દર્શન-ચારિત્ર છે અને પેલું છે તે અતીન્દ્રિય જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. પણ નિશ્ચય અને વ્યવહારથી જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ છે.
આ ચંદુભાઈ એ નાટકનો અવતાર છે. આ ‘તમે’ ‘ચંદુભાઈ નામનું નાટક ભજવવા આવ્યા છો, તમે અંદરખાને હું શુદ્ધાત્મા છું એવું