SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદાન એ જ અહંકાર. એ પોતે જ. પણ આમ ખરેખર અહંકાર જુદો પડે છે. પણ આ જ્ઞાન-અજ્ઞાનના આધારે જ “એ” કરે છે. જ્યાં જ્ઞાન અને અજ્ઞાન બેઉ ભેગું હોય ત્યાં અહંકાર હોય જ. જ્ઞાન મળ્યા પછીનો પુરુષ ભાગ એ કયો ? જ્ઞાન એ જ પરમાત્મા, જ્ઞાન એ જ પુરુષ. જ્ઞાન-અજ્ઞાન ભેગું એ પ્રકૃતિ. જ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય. દાદાશ્રીને ૧૯૫૮માં સૂરત સ્ટેશને જ્ઞાન થયું તે પહેલાં સ્થિતિ કેવી હતી ? અહંકારી. બંધન દશા જોયેલી ને પછી મુક્ત દશા અનુભવી ! જ્ઞાન કઈ રીતે થયું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. જ્ઞાન સમયની સ્થિતિ કેવી ? મહીં આવરણ ખસે ને સૂઝ પડે ત્યારે ગૂંચામણમાંથી બહાર નીકળતાં કેવું ફીલ થાય તેવું અજ્ઞાન આવરણ તૂટતાં જ “જગત શું છે ? કોણ ચલાવે છે ? કેવી રીતે ચાલે છે ? હું કોણ છું. ? આ કોણ છે ?” એ બધું જ્ઞાન ખુલ્લું થઈ ગયું ! આત્મા સ્વાધીન કે પરાધીન ? અજ્ઞાનના આધારે પરાધીન ને જ્ઞાનના આધારે સ્વાધીન છે. સ્વપુરુષાર્થ સ્વતંત્ર છે ને ભ્રાંતિનો પુરુષાર્થ સંજોગોને આધીન છે ! અજ્ઞાન દશામાં ખરો પુરુષાર્થ હોય જ નહીં. એ તો પુણ્યના બળે જ્ઞાન એટલે પ્રકાશ, સમજ નહીં. જ્ઞાનનો પ્રકાશ ધરીએ તો જ સામાને સમજમાં આવે. જ્ઞાન કોઈ દેખાડે પછી જ આપણી સમજણમાં એ આવે અને પછી વર્તનમાં આવે. સમજણમાં ના હોય તો જ્ઞાન પ્રકાશ ગમે તેટલો ધરીએ તો ય વર્તનમાં ના આવે. એટલે સમજણ ને જ્ઞાન બે જુદી વસ્તુ છે. જ્ઞાન પરિણામ સૂર્યના કિરણ જેવું. શેયને જ્ઞાન શેયાકાર દેખાડે. ચાલે. સિનેમામાં જવું હોય તો જલ્દી જવાય ને સત્સંગમાં નહીં, તો તેનું શું કારણ ? સિનેમામાં મન સહકાર આપે. એટલે એ અધોગતિમાં જાય. ધ્યેય પૂર્વક જવામાં મહેનત. સ્લીપ તો સહેજે થવાય. મન એ અજ્ઞાન પરિણામની ગાંઠ છે. જ્ઞાનની ગાંઠો પડે ? ના, કદિય નહીં. જ્ઞાનની મહીં પુદ્ગલ ભળે તો જ ગાંઠ પડે. એટલે અજ્ઞાન પરિણામ પુદ્ગલ સાથે હોય જ. અજ્ઞાનમાં સ્પંદન હોય, જ્ઞાનમાં નહીં. જ્ઞાનપ્રાપ્તિનું સાધન શું? પ્રત્યક્ષ જ્ઞાની એ જ એકમેવ સાધન છે. અને જે જે સ્વયંબુદ્ધ થયેલા, તેમને ય આગલા અવતારમાં સદ્ગુરુ મળેલા. સત્સંગમાં સંજોગોને આધીન ના અવાયું તો સંજોગ કોને આધીન ? કર્મને આધીન. કર્મ કોને આધીન ? એનું સ્વરૂપ સમજાવતા દાદાશ્રી એક અદ્ભૂત ફોડ આપે છે, કે ખરેખર આપણે શું છીએ ? જેટલું આપણું જ્ઞાન કે જેટલું આપણું અજ્ઞાન એ જ આપણે. અને તે પ્રમાણે સંજોગો બાઝે અને તે પ્રમાણે કર્મ થાય. ઊંચા માણસને ઊંચી જાતનું જ્ઞાન હોવાને કારણે ઊંચી જાતના કર્મ બાંધે, હલકા માણસને નીચી જાતનું હોવાથી નીચી જાતના કર્મ બાંધે. એટલે અહંકાર કે નામ એ પોતે નથી પણ “આ પોતે” છે. “આ પોતે' એટલે શું ? જ્ઞાન ને અજ્ઞાને તે જ એ પોતે, એ જ એનું ઉપાદાન ! પણ આ ઝીણું ના સમજાય એટલે અહીં એના પ્રતિનિધિ એવા અહંકારનો સ્વીકાર કરીએ છીએ. આ બહુ ઊંડી વાત છે. દાદાશ્રીના જ્ઞાન ને તીર્થકરોના જ્ઞાનમાં ફેર ? ના, પ્રકાશ એક જ પ્રકારનો હોય. એમાં ફેર ના હોય. હા, દેશ-કાળને આધીન ભાષાફેર હોય. શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા. શુભ જ્ઞાન એ શુભ આત્મા, અશુભ જ્ઞાન એ અશુભ આત્મા. આદિવાસી આફ્રિકનો જાનવરોને કાપી નાખે મઝા માટે, ખાવા માટે નહીં. એ અશુદ્ધ જ્ઞાન. બીજા ફોરેનરો બકરાં કાપે પણ તેને ખાય. એ અશુભ જ્ઞાન કહેવાય. કારણ કે હેતુ ખાવાની છે માટે અશુદ્ધ ના કહેવાય. એથી આગળ શુભ જ્ઞાન ને શુભ સમજણ આવે. કોઈને મારશો નહીં. કોઈને દુઃખ દેશો નહીં. કોઈ મને દુ:ખ દે તો પણ હું તેમને દુ:ખ 34
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy