________________
ચારિત્ર
૨૭૫
૨૭૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હોય. ત્યાગ ચારિત્રમાં ના હોય. અને એ ચારિત્ર દેહનું કહેવાય. અને આત્માનું ચારિત્ર તો જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, બસ. ચંદુભાઈનું અપમાન થયું ત્યારે તમે જ્ઞાતા-દ્રષ્ટામાં રહો અને ચંદુભાઈને કહો કે “અમે છીએ તમારી
બહાર જે છે એ ભ્રાંતિનું છે ચારિત્ર. ભ્રાંતિમાંથી નીકળવાના ફાંફા છે. ‘બહુ દહાડા ફાંફાં માર્યા પણ કશું વળે નહીં ને ! અને દાદા તમારી પાસે એક કલાકમાં બધું મળી ગયું. ચારિત્ર હક મળી ગયું', કહે છે.
વીતરાગોતું ચાસ્ત્રિ છે અરૂપી ! આંખે દેખાય એ ચારિત્રને ભગવાન ચારિત્ર કહેતાં જ નથી. જ્ઞાનદર્શન-ચારિત્ર એ બધાં આંખે દેખાય નહીં એવી વસ્તુ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી એ વસ્તુ. એટલે એ ચારિત્ર તો જુદું જ હોય.
એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી, અરૂપી છે. આ લોકો રૂપી ખોળે છે ! પ્રત્યક્ષ દેખાતું ખોળે છે. એ રૂપી નથી. રૂપી અને અરૂપીમાં તો બહુ ફેર. ભગવાન, વીતરાગોનું કહેલું રૂપી નથી, અરૂપી છે અને બીજા લોકોએ કહેલું રૂપી છે. પણ જેને મોક્ષે જવું હોય, તેને વીતરાગોનું કહેવું માન્ય કરવું પડશે. વીતરાગ સિવાય બીજા કોઈની વાત મોક્ષને માટે માન્ય ન હોય. એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેય અરૂપી હોવાં જોઈએ. એ દ્રષ્ટિએ તો, આ કપડાં પહેરીને અમે એટલે અમારા ચારિત્રને આ લોકો ચારિત્ર ન કહે. પણ તે અમને વાંધો નથી. દુઃચારિત્ર કહે તો ય વાંધો નથી. અમારે તો અમારું અરૂપી જ્ઞાન, દર્શન, ચારિત્ર અમારી પાસે છે. આ રૂપી બધી ફોરેન બાબત છે. અને આ ફોરેન (વ્યવહાર) બાબતમાં અમે બહુ હાથ ઘાલતાં નથી, સુપરફલુઅસ રહીએ છીએ. આ બધી ફોરેન બાબત, રૂપી બધી ફોરેન છે.
પ્રશ્નકર્તા : આપે એવું હમણાં કહ્યું કે જ્ઞાનથી ચારિત્ર બદલાય, દર્શનથી ચારિત્ર ના બદલાય.
દાદાશ્રી : દર્શનથી જ્ઞાનમાં આવે. દર્શન એટલે શું કે કોઈ પણ વસ્તુ સાચી છે એની પ્રતીતિ થઈ, એનું નામ દર્શન. પ્રતીતિ ના થઈ, એનું નામ દર્શન ના કહેવાય. આ વાત સાચી તો તે આ અજ્ઞાની માણસો ય કહેશે કે ભાઈ, આ વાત સાચી છે. પણ એને પ્રતીતિ નથી થયેલી.
પ્રશ્નકર્તા: જ્ઞાનથી ચારિત્ર બદલાય, એટલે કયું ચારિત્ર બદલાય ?
દાદાશ્રી : આ જે આત્માનું ચારિત્ર જે હોય મૂળ, તે મૂળ ઊભું થાય, યથાર્થ ચારિત્ર. ત્યાં સુધી ગૂંચવાડામાં રમ્યા કરતું હોય. ના આમાં હોય, ના પેલામાં હોય અને ગૂંચવાડામાં રમ્યા કરે.
કિંમત છે નિશ્ચય ચાસ્ત્રિી ! પ્રશ્નકર્તા ઃ ચારિત્ર શું કહેવાય ? નિશ્ચય એને ચારિત્ર કહેવાય ? ચારિત્ર એટલે શું ? સમજાવો.
દાદાશ્રી : ચારિત્ર તો આ વ્યવહાર ચારિત્ર તો આ બધા છે તે. પણ તે આય ખરેખર ચારિત્ર ના કહેવાય. વ્યવહાર ચારિત્ર શાસ્ત્રના આધીન હોવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે હોવું જોઈએ. આ ચારિત્ર જ ના કહેવાયને ! વ્રત-નિયમો બધું વ્યવહાર ચારિત્રમાં આવી જાય. ત્યાગ ના
અજ્ઞાની માણસોય છે તે ઘરમાં માટલી ફૂટી જાય છેને, તો એનું જ્ઞાન બદલાતું નથી. જ્ઞાતા-દ્રષ્ટા હોય તે ઘડીએ પણ પેલું અહંકારી જ્ઞાતાદ્રષ્ટા. ત્યાં કષાયમાં જતો નથી. શાથી જતો નથી કે આની શી કિંમત છે આ ! માટલું તૂટી ગયું તેની ! એની કિંમત નથી. એટલે એને રાગ-દ્વેષ થતાં નથી. એટલે એનું ચારિત્ર બદલાતું નથી. ત્યારે કહે છે એ, મૂળ તો પ્રતીતિ બેઠી હતી કે આ ઓછી કિંમતની છે અને એક-બે ફેરો તૂટી ગયેલું હોય એટલે પછી અનુભવમાં આવેલું હોય. એટલે ફરી તૂટી જાય તો એને મહીં બદલાય નહીં કશુંય. એટલે પણ તે ઘડીએ એનું ચારિત્ર ઊંચું કહેવાય. બહારેય કષાય ના થાય, એનું નામ ચારિત્ર.
અને આમાં તો કષાયની ક્યાં વાત રહી ? આમાં તો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તે જ ચારિત્ર. પોતાનો છોકરો એક મણ દૂધ પણે ઢોળ્યા કરે છે અને પોતે જ્ઞાતા-દ્રષ્ટામાં રહે છે એ ચારિત્ર. ઈમોશનલ ના થાય.