________________
ચારિત્ર
૨૭૧
૨૭ર
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : સ્થિરતા તો આત્માનો ગુણ છે, પણ ચારિત્ર એટલે શું? આ બધું ચાલે છે એને જોવું ને જાણવું, એનું નામ ચારિત્ર. જોવું અને જાણવું જ અને પરમાનંદમાં રહેવું, એનું નામ ચારિત્ર. એ છેલ્લું ચારિત્ર કહેવાય. જોવું અને જાણવું, જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી - આ ત્રણ પોતાના એમાં જ હોય.
આત્મામાં સ્થિરતા એ ચારિત્ર કહ્યું પણ એ ક્રમિક માર્ગનું ચારિત્ર છે. આપણું ચારિત્ર, જ્ઞાતા-દ્રષ્ટા એ ચારિત્ર. સ્થિરતા તો થયેલી જ છે ને ! લક્ષ બેઠેલું છે તે સ્થિરતા તો થયેલી જ છે ને ! જ્ઞાતા-દ્રષ્ટા જેટલો રહ્યો એટલું ચારિત્ર કહેવાય. કો'ક ગાળો ભાંડે અને એ જોવા-જાણવામાં રહે. મનમાં ખરાબ વિચાર આવે અને જોયા-જાણ્યા કરે. અડે નહીં, એકાકાર થાય નહીં, જોયા-જાણ્યા કરે એ ચારિત્ર છે. અને ક્રમિક માર્ગમાં આત્મામાં સ્થિર થવું એ ચારિત્ર છે. એ ચારિત્ર અંશ ચારિત્ર કહેવાય છે. ધીમે ધીમે સવાશ થાય, ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા થાય. ત્યાં સુધી એમને જ્ઞાતા-દ્રષ્ટા હોય નહીં, સ્થિરતા હોય. સાચું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ. જ્ઞાતા જ્ઞાતાભાવમાં આવે એ આત્મચારિત્ર કહેવાય.
ક્રમિકમાં વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્રમાં !
પ્રશ્નકર્તા : નિશ્ચય ચારિત્ર માટે વ્યવહાર ચારિત્ર એ અગત્યનું છે ને ? એ સ્ટેપ છે અત્યારે કંઈક ? એ હોય તો જ..
સહેલી વાત છે બા ! આ લોકો ક્રમિકમાં માર ખઈ ખઈને મરી ગયા તોય નહીં ઠેકાણું પડતુંને ! અને આ તો વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન છે. શોધખોળ છે એક જાતની. જ્ઞાન તેનું તે જ. પણ શોધખોળ છે હાઈ લેવલની ! આપણે ત્યાં બ્રહ્મચર્ય ચારિત્ર પાળે તે એવાં કેટલાં હશે ? સોબસો જણ હશે ! તેમાં બે-પાંચ જણ અમારી પાસે બ્રહ્મચર્ય વ્રત લઈ ગયા છે તે ય વરસ-વરસ દહાડાનું.
હવે આ ક્રમિક માર્ગ શું કહે છે કે જ્યાં ચારિત્ર નથી, ત્યાં કશું છે જ નહીં અને આપણું તો આ વિજ્ઞાન કહે છે કે તેને લાગતું-વળગતું નથી. જો તને આવડે તો આ કશું અડતું નથી. બેઉ નિજ નિજ સ્વભાવમાં વર્તે છે.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ જુદાં ને હું જુદો ?
દાદાશ્રી : હા, એ જુદે જુદા વર્તે જ છે. એમ જ છે. પણ તે ક્રમિક માર્ગમાં આ અક્રમ ઘુસાડાય નહીં. કારણ કે ક્રમિક માર્ગ કાયમનો માર્ગ છે અને આ અમુક ટાઈમ પૂરતો છે.
મિથ્યા જ્ઞાત - મિથ્યા દર્શન - મિથ્યા ચાસ્ત્રિ !
પ્રશ્નકર્તા: જ્ઞાન-દર્શન ચારિત્ર યથાર્થતાએ કરીને પરિણમવું એ શું કહેવા માગો છો આપ ?
દાદાશ્રી : આ લોકોને અજ્ઞાન પરિણમ્યું છે એટલે કહે છે ને કે ‘તું શું સમજે છે ? હમણે ધોલ મારીશ તને.’ એ અજ્ઞાન પરિણમ્યું કહેવાય. તે ચંદુભાઈ ધોલ મારતા હોય તો પોતાને ગમતું ના હોય, આ છે તે જ્ઞાન પરિણમ્યું, ચંદુભાઈ ઊંધું કરે, તમને ગમે ખરું ? કારણ કે એ જ્ઞાન પરિણમ્યું અને પેલું અજ્ઞાન પરિણમે. એ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, આ બધા પરિણમે. પેલું અજ્ઞાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ પરિણમે. ધોલ માર્યું એ ચારિત્ર કહેવાય. મારવાનો ભાવ થયો એ જ્ઞાન કહેવાય, મારવાની જે શ્રદ્ધા છે એ દર્શન કહેવાય. અને મારવું એ ચારિત્ર કહેવાય. જ્ઞાનદર્શન-ચારિત્ર પેલું(અજ્ઞાન). એવું આ(જ્ઞાનમાં) ય જ્ઞાન-દર્શન-ચારિત્ર.
દાદાશ્રી : આ જ્ઞાન મળ્યું છેને તે અક્રમ વિજ્ઞાન છે, એટલે વ્યવહાર ચારિત્ર, એ અત્યારે આપણે અહીં આગળ જરૂર નહીં. બાકી ક્રમિક વિજ્ઞાનમાં વ્યવહાર ચારિત્ર હોય તો જ નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત થાય. હવે વ્યવહાર ચારિત્ર કરતાં કરતાં તો આ કેટલાં અવતારો ભટકી જાય !
પ્રશ્નકર્તા : પણ આપણે એની જરૂર નહીંને ! આપણે વ્યવહાર ચારિત્રને મેળવીને પછી જ મોક્ષે જવાય એવું નહીં ?
દાદાશ્રી : ના. આ અક્રમ વિજ્ઞાન છે માટે જરૂર નહીં, નહીં તો પેલું સાંધા જ તૂટી જાય. એ બે વિષયોની વૃત્તિઓ બંધ કરવી, એ તો કંઈ