________________
જ્ઞાન - દર્શન
૨૫૧.
૨૫૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદા છે, ત્યાં જાવ. શ્રદ્ધામાં ખુદા છું. ખુદને જાણે એ ખુદો. બીજો ખુદો કંઈથી લાવ્યો ? જુઓને, ખુદા ને શિવની લડાઈઓ ચાલે જ છે ને બહાર ?
તિજ પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા એ જ ચાસ્ત્રિ !
હવે કોઈ કહેશે, આ જ્ઞાન પછી ચંદુભાઈનું વર્તન કેમ આવું છે ? ત્યારે હું કહું કે ભઈ, એમના વર્તન સામ્ ના જોશો. કારણ કે એમની બિલિફ જુદી છે અને એમનું વર્તન જુદું છે. બિલિફ ઓર જ પ્રકારની છે.
તમારું વર્તન જુદું છે ને બિલિફમાં જુદું છે, એ તમને અનુભવ થયેલો ને ? કારણ કે આ વર્તન છે એ પહેલાંની બિલિફના આધારે છે અને આજે તમારી પાસે બિલિફ નવી થયેલી છે. એટલે આનું જે વર્તન આવશે એ ઓર જ પ્રકારનું આવશે. પહેલાં બિલિફમાં બેસે ત્યાર પછી વર્તનમાં આવે.
પ્રશ્નકર્તા : વ્યવહારથી ભક્ત કહેવું પડે. દાદાશ્રી : ના, પણ ભગવાન છો, એવું તમને કહે તો ? પ્રશ્નકર્તા : ભગવાન છું, કહેવાય. દાદાશ્રી : કેવી રીતે પણ ? પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' એટલે. દાદાશ્રી : ના, પણ આખો ભગવાન છું? પ્રશ્નકર્તા: નર નારાયણ. ચંદુભાઈ નર અને હું નારાયણ.
દાદાશ્રી : ના, એવું નથી. બિલિફમાં, શ્રદ્ધાએ કરીને, હું ભગવાન છું એ શ્રદ્ધા અને બેઠેલી છે. થઈ ગયો નથી, હજુ શ્રદ્ધા બેઠી જ છે. હજુ થઈ જશે, ત્યારે કહીશ. પછી આવજો, તમે માંગો એ આપીશ, કહીએ. પણ ત્યારે કોઈ કહેશ, તું ભગત નહીં ? ત્યારે શું કહું પાછો ?
પ્રશ્નકર્તા : ભગવાન ને ભક્ત જુદાં હોય.
દાદાશ્રી : ભગત છું એમ કહેવાય. પણ વ્યવહારથી. નિશ્ચયથી એટલે ખરી રીતે ‘હું ભગવાન છું.’ એવી મને શ્રદ્ધા બેસી ગઈ છે. “ ભગવાન છું' એવી શ્રદ્ધા બેસી જાય, ત્યારે પછી છૂટકારો થઈ ગયો. દર્શનનો અર્થ જ એ. કે હું ભગવાન છું એવી શ્રદ્ધા બેઠી, એનું નામ દર્શન અને જ્ઞાન એટલે ‘હું ભગવાન છું” એવું તારા અનુભવમાં છે, એમ. પેલું શ્રદ્ધામાં છે, આ અનુભવમાં છે.
કોણ છું એવું કહે જ ને ! હું શ્રદ્ધાથી ભગવાન છું એ શ્રદ્ધા છે. પણ નિશ્ચયથી. એ બધું નિશ્ચય કહેવાય અને વ્યવહારથી જે હો તે, હું ચંદુભાઈ છું, આમનો હું ફોલોઅર છું, વકીલ છું, કહેવાનું બધું વ્યવહારથી છે.
ખુદને જાણે એ ખુદા, પણ શ્રદ્ધામાં ખુદા છે. ખુદા થયો નથી. હજુ જ્ઞાનમાં ખુદા નથી, જો જ્ઞાનમાં ખુદા હોય તો જ છે તે પેલો પૂછવા આવે. તેને તમારે કહેવું પડે કે ભઈ, જ્ઞાનમાં ખુદા થયો નથી. જ્ઞાનમાં ખુદા તો
પ્રશ્નકર્તા: સમ્યક્ દર્શન થયા પછી બિલિફ કઈ રીતે કહી શકાય ?
દાદાશ્રી : ના, ના. એ તો આપણે બિલિફથી ઓળખાવીએ છીએ એને. એને સમ્યક્ દર્શન કહીએ. પણ આ અંગ્રેજી ભણેલા લોકોને બિલિફથી ઓળખાવીએ છીએ. બાકી બિલિફ તો વ્યવહારુ વસ્તુ છે, એ કંઈ મુખ્ય વસ્તુ નથી. સમ્યક્ દર્શન મુખ્ય વસ્તુ છે. પણ આપણે અંગુલિનિર્દેશ કરવા માટે બિલિફ શબ્દ વાપરીએ છીએ. કંઈક એને માટે ઓળખવા માટે કહેવું પડેને ?
પ્રશ્નકર્તા: કહેવું જોઈએ, ઇન્ડીકેટર. દાદાશ્રી : ઇન્ડીકેટર. પ્રશ્નકર્તા ઃ રાઈટ બિલીફ એ જ સમ્યક્ દર્શનને ?
દાદાશ્રી : હા. આત્માની પ્રતીતિ બેસવી એ જ સમ્યક્ દર્શન અને આત્મા સિવાય બીજું શું ? ત્યારે કહે, પુદ્ગલ. એવી પ્રતીતિ બેઠી, એ બધું સમ્યક્ દર્શન.