________________
જ્ઞાન - દર્શન
૨૪૯
૨૫૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ત્યારે તપ પૂરું થઈ ગયું. તપ આવે ને તપ ના થાય તો ચારિત્રને બહારેય મૂકી દે, ઊડાડી દે. તપ થવું એ ભાગ ચારિત્રમાં ગયો. એટલામાં તપ થયું, એનું નામ ચારિત્ર. તપ પૂરું થયા પછી જ ચારિત્ર હોય.
ક્રમિક માર્ગમાં જ્ઞાન પ્રમાણે, જ્ઞાનના અનુભવથી પ્રતીતિ પ્રાપ્ત થાય. આપણને આ અક્રમ માર્ગમાં પ્રતીતિ પ્રમાણે અનુભવ થાય, એટલું જ્ઞાન પ્રગટ થાય. જે પ્રતીતિ થયેલી, તે અનુભવમાં આવવું, એનું નામ જ્ઞાન થયું કહેવાય.
દર્શત કહેવાય કોતું ? પ્રશ્નકર્તા : આ જે દર્શનમાં આવે છે, એ દર્શન એ પ્રજ્ઞાનો ગુણ છે કે બુદ્ધિનો ? દર્શન કોનું કહેવાય ?
દાદાશ્રી : એ તો પ્રજ્ઞાને ય દેખાડનારી વસ્તુ છે. પ્રજ્ઞાને ય દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા છીએ. એની પ્રતીતિ બેસે પહેલી ને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : એ પ્રતીતિ કોને, પ્રજ્ઞાને બેસે છે ?
દાદાશ્રી : પ્રતીતિ અહંકારને બેસે છે કે ‘હું ખરેખર આ નથી, આ છું.” જે અહંકારને પ્રતીતિ હતી કે ‘હું ચંદુભાઈ છું' તે એ પ્રતીતિ ઊઠીને અહીં બેઠી, એનું નામ દર્શન.
પ્રશ્નકર્તા : એ પ્રતીતિ પ્રજ્ઞાને લીધે બેસે છે ? એ પ્રજ્ઞા કરાવે
સમાં સમાય એ ત્રણેવ ! પ્રશ્નકર્તા ઃ બિલિફથી સત્ય મળે ?
દાદાશ્રી : આ જગતે ય રોંગ બિલિફ છે. રોંગ બિલિફથી આ જગત ઊભું થયું છે અને રાઈટ બિલિફથી પેલું મળે. બિલિફ સિવાય કશું નથી. બિલિફથી કશું વધારે બગડ્યું નથી. એટલો બિલિફવાળો જ ભાગ સડ્યો છે. જ્ઞાન સડ્યું નથી. જો જ્ઞાન સડ્યું હોત તો તો પછી ખલાસ થઈ જાય. બિલિફ એકલી જ સડી છે. તો બિલિફ તે રોંગ બિલિફ ઊડાડી દઈએ અને રાઈટ બિલિફ બેસાડી દઈએ એટલે આવી ગયું.
પ્રશ્નકર્તા : તો રાઈટ બિલિફ અને સત્ય વચ્ચે અંતર કેટલું ?
દાદાશ્રી : રાઈટ બિલિફ અને સત્ય ? ના, એ સત્ છે ને રાઈટ બિલિફ, રાઈટ જ્ઞાન અને રાઈટ ચારિત્ર; ત્રણેવ સમાં સમાય. સત્ આમાં સમાય નહીં. સત્ આમાંની એક ચીજમાં ના સમાય.
પ્રશ્નકર્તા : ફરી સમજાવો.
દાદાશ્રી : રાઈટ બિલિફ, રાઈટ જ્ઞાન અને રાઈટ ચારિત્ર એ ત્રણેય આ સત્ શબ્દની અંદર સમાય. પણ સત્ આમાંના એકમાં સમાય નહીં કે રાઈટ બિલિફમાં કે એમાં સમાય નહીં. સત્ એવડું મોટું છે કે આ ત્રણેય સમાઈ જાય પણ સત્ પેલાં કોઈમાં સમાય નહીં.
પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લઈએ પછી આ ત્રણમાંથી બાકી રહેતું નથીને અમારે ?
દાદાશ્રી : બાકી આપણું આ જ્ઞાન જ એવું છે ને કે ત્રણેયને સ્પર્શ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, એટલે ત્રણેવ અંશે જાગ્રત થાય છે. પણ પછી સવાશે ધીમે ધીમે જેમ આજ્ઞા પાળશે તેમ આ થતું જાય.
કોઈ તમને પૂછે કે તમે ભગવાન ખરાં કે ભગવાનનાં ભગત ? ત્યારે આ ચંદુભાઈ કો'કને શું કહે, જવાબ શું આપે ?
દાદાશ્રી : ના. પ્રજ્ઞા નથી કરાવતી. આ હું જે જ્ઞાન આપું છું તે કરાવે છે અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. હું જ્ઞાન આપું છું ને દાદા ભગવાનની કૃપાથી ‘ખરેખર આમ જ છે' એવું લાગે. ‘આજ સુધીનું ખોટું છે આ, આજ સુધીની માન્યતા બધી ખોટી છે.’ રોંગ બિલિફ હતી, તે રાઈટ બિલિફ થઈ ગઈ, બસ. બુદ્ધિની વચ્ચે ડખલ છે જ નહીં.