________________
ક્યાં. હવે તમે ચોખ્ખા થઈને બેસી ગયા. હવે અમારું શું ? તમે અમને મેલાં ક્યાં, હવે તમે જ અમને ચોખ્ખા કરો. આપણે ભાવ કરીને તેને બગાડ્યા.
નીકળે, અજવાળું કંઈ નીકળે ?
જ્ઞાન હંમેશા સુખ જ આપે, અજ્ઞાન દુઃખ આપે.
આત્માનો જ્ઞાન પ્રકાશ એવો છે કે ક્યારેય અંધારું ના થાય, એનો ક્યારેય છાંયો ના પડે.
જ્ઞાનનો સ્વભાવ સદા સહુથી નિર્લેપ જ રહે. ક્રિયામાં ય જ્ઞાન ભેગું ના થાય.
હવે ચોખ્ખા કઈ રીતે કરવા ? ભાવ બગાડીને તેમને બગાડ્યા હવે સમભાવે નિકાલ કરીને ચોખ્ખા કરો અગર તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો. એટલે આપણે છૂટા ને એ ય છૂટા.
આપણે આપણી જ્ઞાયક સ્વભાવ છોડવાનો નથી. વિચાર આવે તેને જોવાના. એટલે એ સ્વચ્છ થઈ ખરી પડે.
અજ્ઞાન માન્યતા શું કહે છે કે મારો આત્મા પાપી છે ! પુદ્ગલ અશુદ્ધ છે એવું ના માને.
- દાદા જ્ઞાનરત્નો દરરોજ નવાં નવાં આપતાં જ જાય છે. દાદા કહે છે, “અમારી ઈચ્છા એવી કે અમારું કંઈ પણ કર્યું, અમને કોઈએ ચા પાઈ હોય, એને લાભ થાઓ.’ કરુણાની કેવી ચરમ સીમા !!!
જ્ઞાન લેનાર કોણ ? જે ભૂલો પડ્યો છે તે. જે ભોગવે છે તે. પોતે પરમાત્મા જ છે પણ પાછો શું કહે, હું દુખીયો છું. ચિંતા બહુ થાય છે. મને કયાય થાય છે. આ ખાલી ભૂત પેસી ગયું છે. જેમ રાત્રે કંઈક ખખડ્યું તો વહેમ પેઠો કે ભૂત છે. આખી રાત ફફડે, સવારે ઊઠીને જોયું તો ઉંદરડો હોય ! એના જેવું થયું છે. આ બધું ! સાચા ભોમિયા, જ્ઞાની મળે તો આ ભૂત કાઢે ને નિર્ભય ને વીતરાગ બનાવે !
‘પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે ને ‘પોતે પોતાના જ્ઞાનથી છૂટે છે. આત્મા તો જ્ઞાનવાળો છે જ.
જ્ઞાન મળે ત્યારે જ્ઞાની કોણ થાય છે ? હું અને મારું, જે બંધાયેલો કહે છે તે.
જ્ઞાની જ્ઞાન આપે એટલે અશુદ્ધ ચેતન એટલે કે પાવર ચેતન શુદ્ધ થાય છે. આ પાવર કોને હોય છે ? અહંકારને.
[૪] જ્ઞાત-અજ્ઞાત
જ્ઞાન-અજ્ઞાન વચ્ચે શું ભેદ ? અજ્ઞાન એ પણ એક પ્રકારનું જ્ઞાન છે, પ્રકાશ જ છે. પણ એ પર વસ્તુ વિનાશી વસ્તુ બતાવનારો પ્રકાશ છે. જ્યારે જ્ઞાન પોતાને તેમજ પારકાને ય પ્રકાશ કરનારી વસ્તુ છે. અજ્ઞાન, ‘હું કોણ છું' એ જાણવા ના દે.
પ્રાકૃત જ્ઞાન, પૌગલિક જ્ઞાન એ અજ્ઞાન છે. છતાં એક પ્રકારનું જ્ઞાન છે પણ આત્માના જ્ઞાનની અપેક્ષાએ આને અજ્ઞાન કહ્યું છે.
આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ હોવા છતાં ક્યાં ભૂલ થઈ ? ભૂલ કરી જ નથી. આ તો વિજ્ઞાનથી અહંકાર ઊભો થયો ને વિજ્ઞાનથી એ જાય. અહંકાર ઓગાળવો કઈ રીતે ? અક્રમજ્ઞાનથી બે કલાકમાં અહીં ઓગળી જાય ! ઘણાં લોકોના ઓગળી ગયા !
સંસાર ચલાવવા બુદ્ધિની જરૂર છે, એને અજ્ઞાન કહ્યું છે.
આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી. આવરણ આવે છે અને તેનાથી વિશેષજ્ઞાન થાય છે. પણ તે ય જ્ઞાન જ
અજ્ઞાનનું પ્રેરણા બળ કોણ ? સંયોગો.
જ્ઞાનનું પ્રેરણાબળ કોણ ? સંયોગો. ઑન્સી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.
અંધારાની ગમે તેટલી સ્લાઈસ પાડીએ તો તેમાંથી અંધારું જ
0