________________
છે !
અને તે ગમે તે થઈ શકે તેમ છે ! એ પુદ્ગલની છેલ્લી દશા
આ જ્ઞાન થતાં જ દાદાશ્રીને જગત કલ્યાણની ભાવના જાગી ! અને ‘વ્યવસ્થિત’ એમને નિમિત્ત બનાવ્યા !
વીતરાગતા ઉત્પન્ન થાય પછી કરુણા ઉત્પન્ન થાય. કરુણાવાળાને દેહનું, વાણીનું કે મનનું માલિકીપણું ના હોય. કરુણા એ આત્માનો ગુણ નથી. વીતરાગ થયાનું એ લક્ષણ છે. સહજ ક્ષમા, સહજ વિનમ્રતા, સહજ સરળતા, આ બધાં વીતરાગમાં ગુણો હોય. આ આત્માના ગુણો નથી. વીતરાગતા એ ય આત્માનો ગુણ નથી. આ તો વ્યવહારને લીધે લક્ષણ ઊભાં થયાં છે !
દાદાશ્રી ખટપટીયા વીતરાગ, નિસ્વાર્થ ખટપટ ! રાત-દા’ડો લોકોને કેમ કરીને મોક્ષે તેડી જાઉં એની જ ખટપટ ચાલતી હોય ! તેથી તેમને ખટપટીયા વીતરાગ કહ્યા ! તીર્થંકરોમાં કિંચિત્ માત્ર ખટપટ ના હોય.
દાદાશ્રી કહે છે, ‘મારે જગતની કોઈ ચીજ જોઈતી નથી. લક્ષ્મી, વિષય, માન, કિર્તી, કંઈ જ જોઈતું નથી. એક એવો ભાવ રહે કે જગતનું કલ્યાણ થવું જ જોઈએ અને તે થવાનું છે જ. આ જ અમારો ભેખ છે.’
સંપૂર્ણ વીતરાગતા એનું નામ શુદ્ધ પ્રેમ. દાદાશ્રી કહે છે, ‘અમે પ્રેમ સ્વરૂપ થયા છીએ, જગતે ક્યારેય ના જોયો હોય તેવો પ્રેમ ઉત્પન્ન થયો છે. વીતરાગતામાં ચાર ડિગ્રી ખૂટી, ચૌદશ રહી એટલે પ્રેમ લોકોને દેખાય. પૂનમવાળા વીતરાગનો પૂર્ણ પ્રેમ હોય પણ તે દેખાય નહીં. પણ ખરો પ્રેમ એમનો જ કહેવાય.
દાદાશ્રી કહે છે કે અમને પૂનમ નથી થઈ પણ અંદર પોતાને માટે શક્તિ એટલી કામ કરતી હોય કે પૂનમ થયેલી હોય એવું લાગે!!!
[3] મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય ‘પુદ્ગલ’ !
વીતરાગ હોય ત્યાં શબ્દ-વાણી ના રહે. સંપૂર્ણ જડ ને ચેતન બે છૂટાં જ પડી ગયાં હોય !
ભૂલ કરનારું પુદ્ગલ ને ભૂલ પકડનારું ય પુદ્ગલ અને આત્મા તો તેને ‘જાણનારો.’ આપણે ભૂલને પકડનારા શા માટે થવાનું ? ભૂલને જાણનારા થાવ.
આપણે ફાઈલ નં. એકને કચરો દેખાડ દેખાડ કરવાનો. દેખાડનારા આપણે ને ચોખ્ખા કરનારા એ !
આમાં પ્રજ્ઞા દેખાડે અહંકારને અને એણે ચોખ્ખું કરવાનું. અહંકાર એટલે પુદ્ગલ ને આત્મા બે ભેગાં થયેલા તે છે. પુદ્ગલ કર્તાભાવથી ભેગું થયું ને આત્મા જ્ઞાતાભાવથી, પોતાનું જ્ઞાતાપણું થયું એટલે છૂટ્યો. અને પેલાનું કર્તાપણું ગયું એટલે એ છૂટ્યો.
અવળો ભાવ કરે છે તે પુદ્ગલ, સવળો ભાવ કરે છે તે ય પુદ્ગલ અને તેનો જાણનારા શુદ્ધાત્મા ! પરાક્રમ કોણ કરે છે ? તે ય પુદ્ગલ કરે છે. ગયા ભવમાં અજ્ઞાનતાથી જેને પુરુષાર્થ માનતા હતા, તે આજે પરાક્રમરૂપે આવ્યું.
અતિક્રમણે ય પુદ્ગલ કરે ને પ્રતિક્રમણે ય પુદ્ગલ કરે. એનો જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છે.
મેલું કર્યું તે ય પુદ્ગલ ને ચોખ્ખું કરે તે ય પુદ્ગલ જ. અને માને છે કે ‘મેં કર્યું’ એ અહંકાર ! અને મેં આમાં કશું નથી કર્યું, એનું નામ
શુદ્ધાત્મા.
જેટલું જ્ઞાન સાંભળ્યું, તેના પર શ્રદ્ધા બેસે પણ તેને તરત થોડું વર્તનમાં આવે ? એ નિરંતર ખ્યાલમાં ના રહે. વર્તન હોય તો નિરંતર ખ્યાલમાં રહે. ધીમે ધીમે વધે. ચોખ્ખું કરવા જાય છે ને તે રૂપ થઈ જાય છે. ઠપકા સામાયિકમાં જુદું ના રહે તો પોતે ઠપકો આપનાર થઈ જાય. એટલે ખૂબ ડિપ્રેશનમાં આવી જાય.
દર્શનમાં આવે તે જેમ જેમ અનુભવમાં આવતું જાય તેમ તેમ વર્તનમાં આવે.
પુદ્ગલ શું કહે છે ? અમે તો ચોખ્ખા જ હતા. તમે અમને મેલા
29