SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - અજ્ઞાન ૨૪૧ ૨૪૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા : ટોટલ સેપરેશન થાય એટલે ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણપણે ગયા ? દાદાશ્રી : એ તો પ્રતીતિ થઈ જાય ત્યાંથી જ ખલાસ થઈ જાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ થાય ત્યાંથી જ ખલાસ થઈ જાય. ક્રોધ-માનમાયા-લોભ ક્યારે કહેવાય ? ઉદયનું જ્ઞાન અને આજનું જ્ઞાન એક થઈ જાય, એનું નામ ક્રોધ-માન-માયા-લોભ. આજનું જ્ઞાન જુદું રહેતું હોય, તેને ક્રોધ-માન-માયા-લોભ કહેવાય નહિ. એટલે સંયોગ બેનો ભેગો થાય ત્યારે ક્રોધ કહેવાય, નહિ તો ક્રોધ ના કહેવાય. એની ડેફીનેશન હોય. અંદરથી ચંદુભાઈ ક્રોધ કરતાં હોય ને તમે કહો કે ના, આમ ના થવું જોઈએ. એટલે અભિપ્રાય તદન જુદો છે. એટલે આ હિંસકભાવ અને આ અહિંસકભાવ. બેની વચ્ચેનો તન્મયાકાર ભાવ ઊડી ગયો ક્રોધ-માન-માયા-લોભમાં, ચારેયમાં હિંસકભાવ હોય છે તે ઊડી જાય છે. એને પોતાને આજનો હિંસકભાવ નથી. એનું નામ ક્રોધ નહિ. પ્રશ્નકર્તા : ટોટલ સેપરેશન થાય એટલે પ્રજ્ઞાનો ઉદય થાય અને લૌકિક બુદ્ધિ છે એ ચાલી જાય ? છૂટું થઈ જાય. મન ગૂંચોમાંથી મુક્ત થતું જાય. અજ્ઞાનથી પરિગ્રહ ઊભા થતાં જાય અને પરિગ્રહથી ગૂંચો પડતી જાય. અને જ્ઞાનથી પછી પાછી ગૂંચો ઊકલે ને પછી પરિગ્રહ છૂટી જાય. પ્રશ્નકર્તા : પરિગ્રહ છે તે જ્ઞાન અને અજ્ઞાન ઉપર આધાર રાખે છે ? દાદાશ્રી : હંઅ. જ્ઞાન, અજ્ઞાન ને પરિગ્રહ. અજ્ઞાનથી પરિગ્રહ ઊભા થાય અને જ્ઞાન કરીને ગૂંચો ઉકલે તેમ પરિગ્રહ છૂટા થાય. ગતજ્ઞાનતા આધારે પરાક્રમ ! આ તમને અત્યારે જ્ઞાન મળ્યું. આવતા ભવે પરાક્રમ ઉત્પન્ન થાય. આ દાદાનું જે પરાક્રમ છે તે ગતજ્ઞાન પરાક્રમ છે. તમને આ જે જ્ઞાન મળ્યું, તેનું પરાક્રમ આવતે ભવે આવે. ત્યાં સુધી પરાક્રમ ઉત્પન્ન થાય નહીં. ત્યાં સુધી તે પરિણમે નહીં. જ્યારે પરિણમે ત્યારે એનું ફળ આપે. પ્રશ્નકર્તા : એટલે આપને અત્યારે જે પરાક્રમ ઉત્પન્ન થયું, તે ગતજ્ઞાનના આધારે ? દાદાશ્રી : હા. ગતજ્ઞાન તેનું આ પરાક્રમ છે. પરાક્રમ ક્યારે કહેવાય કે શબ્દો પાતાળમાંથી નીકળે ત્યારે. અહીં મારા બોલેલા તમે શબ્દ બોલો એ ના ચાલે. પાતાળના શબ્દો, મહીંથી શાસ્ત્રો બોલાતા હોય, એને પરાક્રમ કહેવાય, ગતજ્ઞાન પરાક્રમ ! દાદાશ્રી : છૂટું પડી જાય એટલે બુદ્ધિ ખલાસ થઈ જાય. અને પ્રજ્ઞાનો અનુભવ તો પહેલેથી જ થાય. સંપૂર્ણ છૂટું ના પડી જાય તો ય એને પ્રતીતિ બેસે ને એક બાજુ પ્રજ્ઞા શરૂ થઈ જાય. અજ્ઞાતથી પરિગ્રહ, પરિગ્રહથી ગૂંચ, જ્ઞાનથી ઉલે ! દરેક ગૂંચનાં ઉકેલ પાછળ એક જ્ઞાન રહેલું હોય. જગત ગૂંચોનો જ સ્ટોક છે. એક જ જ્ઞાનથી બધી ગૂંચો ના ઉકલે. જ્ઞાન વગર તો ગૂંચ ઉકલે જ નહીંને ! પ્રશ્નકર્તા : એ તો ઉકલે છે ત્યારે, પણ ગૂંચ પડતી વખતે શું ? દાદાશ્રી : એ અજ્ઞાનથી ગૂંચ પડે, નહીં તો પડે નહીંને ! અને ગૂંચ જ્ઞાનથી ઊકલી જાય. એટલે ગૂંચ ઊકલે તો પછી સમાધાન થાય અને મન
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy