________________
જ્ઞાન - અજ્ઞાન
૨૩૯
૨૪૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
વર્તનમાં આવતાં વાર લાગે. રાગ-દ્વેષ ગયા એટલે આત્મા પ્રાપ્ત થયો કહેવાય. આત્મા પ્રાપ્ત થયો સો ટકા કહેવાય. સો ટકા આત્મારૂપ થઈ ગયા છીએ આપણે. આ બધો કચરો માલ જે ભરેલો છે તે નીકળી જાય, તેમ તેમ પરિણામ પામે.
દાદાશ્રી : ના, તે ઘડીએ મોટું હસે, તેને ય અમે જાણીએ. મોટું હસે, મહીં લાગણીઓ ઊભરાય તે ય જાણીએ.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમને કંઈ અસર જ ના થાય, તો તે અસર થતી નથી, તે સંપૂર્ણ જુદાપણું રહે છે તેથી કે અંદર પ્રક્રિયા થાય છે તેથી ?
પ્રશ્નકર્તા : દાદા, માન ઊભું થાય ત્યારે આપણને ગમતું તો ના હોય કે આ ખોટું જ છે આમ. ત્યાં જાગૃતિ શું રાખવી જોઈએ આપણે આમ કે ખાલી જોયા જ કરવાનું એ જ ?
- દાદાશ્રી : પ્રક્રિયા-પ્રક્રિયા કશું જ નહિ. પહેલાં શું થતું હતું કે જ્ઞાતાશેય એક થઈ જાય અને હવે જુદું રહે.
પ્રશ્નકર્તા : જ્ઞાની હોય, તેને ફુલહાર ચઢાવે ત્યારે મોટું હસે તેને ય પોતે જાણે.
- દાદાશ્રી : ના, ના. એ માન ઊભું થાય તે જોવાનું છે. એનું નામ જ્ઞાન. જોનાર એ જ્ઞાન કહેવાય અને ઊભું થાય છે એ અજ્ઞાન છે. અજ્ઞાનને જુએ જ્ઞાન. પછી એક અંશ માન હો કે પચાસ અંશ માન હો પણ અજ્ઞાનને જુએ એ જ્ઞાની. એ અજ્ઞાન છે એવું તમને ખબર પડેને ?
પ્રશ્નકર્તા : માનવાળું અજ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : માનવાળું એ અજ્ઞાન છે એવું તમને ખબર પડેને ? એ અજ્ઞાનને જુઓ છો એટલા માટે તમે જ્ઞાની. નહીં તો અજ્ઞાનની ખબર પડે નહીં અજ્ઞાનીને ! એમાં કોઇ ભૂલ નથી.
પ્રશ્નકર્તા : જેટલા રાગ-દ્વેષ સહેલાઇથી નીકળી ગયા એટલું આ નીકળતું નથી ઝટ !
દાદાશ્રી : નીકળી ગયા નથી રાગ-દ્વેષ, તમે કાઢયા નથી. એ તો આત્મા પ્રાપ્ત થયાની નિશાની છે.
સર્વે જ્ઞાતીઓતો પુરુષાર્થ સરખો ! પેલો ગાળો ભાંડે છે તે કોને ભાંડે છે એ મારા ખ્યાલમાં હોય, તે મહીં મને પેસે નહિ.
પ્રશ્નકર્તા અને ફુલ-હાર પહેરાવે, સન્માન કરે ત્યારે ય પણ એવું જ રહે ?
- દાદાશ્રી : હસે એટલું જ નહિ પણ, લાગણીઓ-બાગણીઓ બધી જ પેલા અજ્ઞાની જેવી દેખાય. અને તેને ય પોતે જુએ ને જાણે.
પ્રશ્નકર્તા : આ લાગણીઓ પણ પૂર્વના કર્મનો ઉદય ગણાય ?
દાદાશ્રી : હા, પૂર્વકર્મનો ઉદય ગણાય. પહેલાંના જ્ઞાનની શું અસર થાય છે, તેને આજનું જ્ઞાન જુએ છે.
પ્રશ્નકર્તા ઃ ભગવાન મહાવીર જે સંપૂર્ણ વીતરાગ હોય, તેને પણ આવું હોય ?
દાદાશ્રી : એ બધાંયને એક જ હોય ને ! પ્રશ્નકર્તા : બહાર લાગણીઓ બધી હોય ?
દાદાશ્રી : હા, બધી જ લાગણીઓ હોય. હસે, ખૂબ હસે. રડવાની જગ્યાએ રડે હ૩. હમણાં કોઈની મા મરી ગઈ હોય, તો પાંચ મિનિટ એ રડે કે ના ય રડે, અને રડે એટલે એનું જ્ઞાન જતું રહ્યું નથી. અગર તો હમણાં બહુ વેદના થાય, એનો હાથ કાપી નાખીએ તો આંખમાંથી પાણી ભરાય તો તે કંઈ જ્ઞાન જતું રહ્યું નથી.
આજનું જ્ઞાન જુદું, તો કષાય નહિ