________________
જ્ઞાન - અજ્ઞાન
૨૩૭
૨૩૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
છે, જ્ઞાન એ જ મોક્ષ છે. એટલે જ્ઞાનમાં રહેવું. જ્ઞાનમાં ક્યારે રહેવાય ? ચંદુભાઈને ઓળખીએ એટલે જ્ઞાનમાં રહેવાય. ચંદુભાઈને સંપૂર્ણ પ્રકારે ઓળખીએ, ફલાણી જગ્યાએ જરા વાંકા છે, ફલાણી જગ્યાએ સીધા છે, બધું સારી રીતે ઓળખીએ. ભગવાને એટલું જ કહ્યું કે શેયને જાણો. પહેલું શેય શું ? ત્યારે કહે, પાડોશીનું. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, એને જાણો. એ જોય છે ને તમે જ્ઞાતા
છો.
અજ્ઞાનમાં પેસવા ના દે, એનું નામ જ્ઞાન. ચંદુભાઈ કોઈની જોડે વકીલાતમાં બોલતા હોય. એમાં ખરી રીતે તો અજ્ઞાન જ છે એ. કારણ કે કાયદેસરનું ના હોયને ! ગેરકાયદેસર ને કાયદેસર બન્નેવ અજ્ઞાન. પણ તેમાં ‘તમે' ના પેસો મહીં, ‘તમે' જોયા કરો.
અજ્ઞાન મહીંથી ઊભું થવાનું થયું કે જ્ઞાન હાજર થઈ જાય કે આ ફાકી ફાકું ? ત્યારે હોરૂ પેલું જ્ઞાન હાજર થઈ જાય. અલ્યા, એ તો મરી જવાય. એ હાજર થઈ ગયું કે પાછું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : એ જ્ઞાન જે હાજર થઈ જાય એ પ્રજ્ઞાનો ભાગ ?
દાદાશ્રી : ના. એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે, જે કરવું પડે, એને જ્ઞાન કહેવાય. અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન.
આ મુમુક્ષુઓનું જ્ઞાન નથી આ કે જીજ્ઞાસુઓનું જ્ઞાન નથી આ. આ તો જ્ઞાનીઓનું જ્ઞાન છે. તમે પોતે જ જ્ઞાની થઈ જાવ છો હવે, આ જ્ઞાન થયું ત્યારથી જ તમે જ્ઞાની થયા. એટલે તમે જ્ઞાની કહેવાઓ ખરાં પણ કો'ક પૂછે કે લ્યો, આનું કહો જોઈએ, તો પછી જવાબ દેતાં આવડે નહીં, કારણ કે એસ્પીરીયન્સપૂર્વક થતાં નથી આવેલા. આ જ્ઞાન તમને રસ્તે જતાં પ્રાપ્ત થયેલું છે.
ડિસ્ચાર્જ માત સાથે જ્ઞાન જાગૃતિ ! પ્રશ્નકર્તા : દાદા, હવે મને જ્ઞાન લીધા પછી અને છેલ્લા એકબે વર્ષથી કોઈના પર રાગ-દ્વેષ થયેલો હોય એવું આમ લાગે નહીં. ખરેખર થતો જ નથી લગભગ. પણ આ જે માનની જે લાગણી અનુભવાય છે. ને એ એટલી સહેલાઈથી જતી નથી આમ.
દાદાશ્રી : એ જવા દેવાની નથી, એ જોવાનું છે, એ ડિસ્ચાર્જ છે અને અત્યારે ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ છે તો અજ્ઞાનનું પરિણામ છે. એમાં ‘તમને' રાગ-દ્વેષ નથી થતાં, એ આત્મા પ્રાપ્ત કર્યાનું પરિણામ છે. હવે પેલું ડિસ્ચાર્જ છે, એ નીકળ્યા કરવાનું.
પ્રશ્નકર્તા : એટલે આમ ગમે.
દાદાશ્રી : તમારે કહેવું, ‘બહુ રોફ મારો છો કે ? સારી મઝા છે તમને કશો વાંધો નહીં. પણ હવે આ ફરી જરા રાગે ચાલો, હવે.’ એ વાંધો નહીં, એ ડિસ્ચાર્જ પરિણામ છે.
પ્રશ્નકર્તા : ના. પણ થોડુંક અડચણ, પેલું રીયલાયઝેશન માટે થોડું ઓસ્ટ્રેકલરૂપ ના થાય ?
દાદાશ્રી : હા, પ્રજ્ઞાનો !
પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું એટલે અજ્ઞાનનું આવરણ તો ગયું. તો હવે ક્યા આવરણ રહ્યા ?
દાદાશ્રી : મૂળ આવરણ ગયું. હવે બીજા આવરણ રહ્યા. રૂટ કોઝ ગયું. હવે એવું ઉપરના છે તે પાંદડા સૂકાશે, ડાળો સૂકાશે, થડ સૂકાશે ત્યારે. આ રૂટ કોઝ કાઢી નાખ્યું, કાપી નાખ્યું તો ય પણ લીલું તો દેખાય ને ઉપર, થોડાક દહાડા ?
કેવળજ્ઞાન થાય એટલે થઈ રહ્યું, બધું આવરણ ગયું. એ નિરાવરણ જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : ‘શુદ્ધાત્મા છું' એ જ્ઞાન છે ?
દાદાશ્રી : ના, રિયલાઈઝ તો બધું થઈ ગયેલું છે. પણ આ