SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - અજ્ઞાન ૨૩૧ ૨૩૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) વિજ્ઞાન ચેતન જ્ઞાન. રાત-દહાડો ચેતવ ચેતવ કરે. અને બંધાવા જ દે નહીં, આખો દહાડો બંધન આવે તે ઘડીએ ત્યાં એને ફેરવી નાખીને બંધાવા જ ના દે, બંધનમાં આવવા ના દે. બંધનમાં આવતો હોય તોય એને છોડાવડાવે. અને આ તો જ્ઞાન જ નહીં. આ પુસ્તકોમાં લખ્યું છે, એ તો પુસ્તકીયું જ્ઞાન, સ્થૂળ જ્ઞાન. એ અજ્ઞાન છે પણ એ ય જો અજ્ઞાને મજબૂત કરી લે તો જ્ઞાનમાં અધિકારી થયો. પણ અજ્ઞાને ય મજબૂત ક્યાં કર્યું છે ?! આ તો હિન્દુસ્તાનમાં જે જ્ઞાનીઓ છેને, તે અજ્ઞાનના જ્ઞાનીઓ કહેવાય છે કે જે શાસ્ત્ર જાણે. અલ્યા મૂઆ, મેલને પૂળો ! તે જાણીને તારામાં શું ફેરફાર થયો ? ફેરફાર થયો તો સારું. લોઢાનું સોનું થયો તો. સાચું, નહીં તો છે એવો ને એવો ! પ્રશ્નકર્તા : હા, એ તો દેખીતી વાત છે ને ! દાદાશ્રી : તેનાથી મોક્ષ થાય. સાચું જ્ઞાન ચેતન હોય અને માયાવી જ્ઞાન ચેતન ના હોય. તમે જાણો પણ કશું થાય નહીં. ક્રિયા કશું ના થાય, જાણીએ એટલું જ. અને પેલું જાણ્યા પછી એની મેળે જ થયા કરે. સાચું જ્ઞાન કોને કહેવાય ? જાણ્યું એટલે થાય જ, એની મેળે જ થાય. આપણે કરવું ના પડે. આપણે રસ્તે ચાલતાં હોય અને આડું અવળું જોઈને ચાલતા હોય અને ઓચિંતું નીચે સાપ જોયો. તે ઘડીએ ક્રિયા કેવી થાય ? કૂદી જાય પેલો ઓચિંતું. જોયું ય ઓચિંતું અને કૂદે છે ય ઓચિંતું. જ્ઞાનનું ફળ છે એ. સાચું જ્ઞાન ના હોય તો ના થાય. પ્રશ્નકર્તા: તો દાદા, જ્ઞાન કેટલા પ્રકારના ? દાદાશ્રી : જ્ઞાનના બીજા બહુ પ્રકાર જ નથી. એક અજ્ઞાન જ્ઞાન, જે જ્ઞાન અજ્ઞાન સ્વરૂપે છે બીજું વિજ્ઞાન જ્ઞાન. બસ, બે જ પ્રકાર. પ્રશ્નકર્તા : એ બન્ને સમજાવો. દાદાશ્રી : જે જાણીએ છતાં જે જીવંત નથી, જે જ્ઞાન જીવંત નથી તે અજ્ઞાન જ્ઞાન કહેવાય. કાર્યકારી ના હોય, જ્ઞાન પોતે કાર્યકારી ના હોય અને આપણે કરવું પડે. જે જાણીએ તે આપણે કરવું પડે. જે જ્ઞાન પોતે જ કાર્યકારી હોય એ વિજ્ઞાન કહેવાય ને એ ચેતન જ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા : એક દાખલો આપીને, દાદા. દાદાશ્રી : આમ કોઈ સંતપુરુષ કહે, “ચોરી નહીં કરના, ઐસા નહીં કરના, ઐસા નહીં કરના.”, તે કહે પણ એ જ્ઞાન પછી કામ કરે નહીં, એ તો આપણે કરવું પડે. ચોરી બંધ કરવી પડે આપણે. અને બંધ ના કરીએ ત્યાં સુધી એ ચોરી બંધ ના થાય, એ જ્ઞાન બંધ કરી શકે ખરું ? એ જાણીએ એટલે બંધ થઈ જાય ? પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન એમ કહેવાય ? દાદાશ્રી : ના. વિજ્ઞાન એટલે એબ્સોલ્યુટ જ્ઞાન. જ્ઞાન એ છે તે આત્મજ્ઞાન થતાં સુધીનું જ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાન સ્પર્શે ત્યાં સુધીનું જ્ઞાન કહેવાય છે અને તે પછી આગળ એને વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન એ એબ્સોલ્યુટ કહેવાય. એટલે જ્ઞાન એ કરવું પડે અને વિજ્ઞાન એની મેળે ક્રિયા થયા કરે. જ્ઞાન-વિજ્ઞાનના પરિણામો ! હું આત્મા આખોય જાણું છું. સવાશ રીતે, અંશે અંશ જાણું છું અને આ (માઈકનું) જ્ઞાન આવડતું નથી. એ શું કહેવાય ? તો આ આત્મજ્ઞાનમાં સમાય નહીં ? (માઈક માટે) પ્રશ્નકર્તા : આ માઈક્રોફોન તો જડ છે, અનાત્મ છે. પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ને આ તો જાણવાથી જ ફેરફાર થઈ જાય. શું થઈ જાય? દાદાશ્રી : આ સજેક્ટીવ જ્ઞાન છે. અને સજ્જેક્ટીવ જ્ઞાન, બધું ઓજેક્ટીવ હોય. આત્મા માટે ઓન્નેક્ટીવ. આ સજેક્ટીવ જ્ઞાન કહેવાય. એ જે સજેક્ટમાં ઊંડો ઉતર્યો હોય તે આને જાણે. અહંકારી જ્ઞાન અને
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy