________________
શાન - એજ્ઞાન
૨૨૧
૨૨૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જ્ઞાતીઓ જ સમજાવી શકે જ્ઞાત ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષોને જ્ઞાન થાય એ સમજાવી શકાય નહીં ?
દાદાશ્રી : એ સમજાવી શકવું સહેલું નથી. જ્ઞાન તો આમને હલ થયેલું છે, પણ એ સમજાવી શકાય નહીં. અમે એકલાં જ સમજાવી શકીએ, અગર તો આ નીરુબેન થોડું થોડું સમજાવે ! જે વધુ પરિચયમાં આવ્યાં હોય, એ થોડું થોડું સમજાવે. આ ભાઈ થોડું, બહુ જૂજ સમજાવે પણ સમજાવે ! પરિચયમાં આવ્યા ને ! પરિચય વધારે લેવો જોઈએ અમારી જોડે, તો બધું સમજાવી શકે !
જ્ઞાનપ્રાપ્તિનું એકમેવ સાધત. પ્રશ્નકર્તા : જ્ઞાનપ્રાપ્તિનું સાધન શું ?
દાદાશ્રી : અહીં કેન્ડલ હોય તો આપણને અજવાળું દેખાય. કેન્ડલ જ ના હોય તો અજવાળું જ ના દેખાય ને ? એટલે જ્યાં આગળ અજવાળું દેખાતું હોય તે જ્ઞાની હોય.
પ્રશ્નકર્તા : અચ્છા. ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે જ્ઞાન પામવા માટે ગુરૂની જરૂર ખરી ?
દાદાશ્રી : ગુરુની જ જરૂર. ગુરૂ વગર તો આ દુનિયામાં ચાલે જ નહિ. તમે સ્કૂલમાં ભણ્યા ત્યારથી ગુરુ. અહીંથી સ્ટેશને જવું હોય તો ય ગુરુ ખોળવો પડે, ના પૂછવું પડે ? જ્યાં જ્યાં પૂછવું પડે એ ગુરુ.
પ્રશ્નકર્તા : એટલે સ્વયં પ્રાપ્ત ના કરી શકે માણસ ?
દાદાશ્રી : ના, સ્વયં કશું પ્રાપ્ત ના કરે. આ દુનિયામાં કોઈને થયેલું ય નહીં. અને જે સ્વયંસિધ્ધ થયેલાને, સ્વયંબુદ્ધ, તે આગલા અવતારમાં પૂછી પૂછીને આવેલા. એટલે બધું પૂછી પૂછીને જ જગત ચાલ્યા કરે છે.
પ્રશ્નકર્તા આપ જે જ્ઞાન આપો છો, તે કેવળજ્ઞાન તીર્થકર જેવું
દાદાશ્રી : બધા તીર્થંકરોનું એક જ જાતનું જ્ઞાન. એમાં ફેરફાર કશો નહીં. ભાષાફેર પણ જ્ઞાન એક જ પ્રકારનું. અત્યારે ય એનું એ જ જ્ઞાન હોય પણ ભાષાફેર હોય, અનાદિકાળથી પુદગલનો પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ ફેર જ હોય છે. જ્ઞાન પ્રકાશ બધા જ્ઞાનીઓનો એક જ પ્રકાશ અને આ પુદ્ગલનો પ્રકાશ બધી લાઇટોનો એક જ જાતનો પ્રકાશ, એ બન્ને પ્રકાશ જુદા સ્વભાવના છે.
અજવાળામાં ફેર પડે નહીં. એટલે જ્ઞાન તો તેનું તે જ. આ ભગવાન મહાવીર એમ ના કહી શકે કે આ મારું જ્ઞાન છે. પરંપરાથી ચાલુ આવ્યું તે જ્ઞાન. પ્રકાશ તેનો તે જ. અમને લોકો કહે કે તમારું આગવું છે ? ત્યારે તો મેં કહ્યું કે ભઈ, ના, તને લાગે છે આગવું. પણ આ જ્ઞાન તો આગળથી આવ્યું છે. ભાષા-બાષા બધી આગવી હોય વખતે, જ્ઞાન તો તે આગળનું જ્ઞાન. કોઈ ઉત્પન્ન કરી શકે નહીં. કારણ કે પોતે જ જ્ઞાન છે, તેને ઉત્પન્ન શી રીતે કરી શકે અને ઉત્પન્ન થાય એ વિનાશ થાય. જે જ્ઞાન, આ બુદ્ધિજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે અને વિનાશ થાય છે.
એટલે જ્ઞાનના પ્રકાશ બે જાતનાં હોતાં નથી. જ્ઞાનનો પ્રકાશ એક જ જાતનો હોય. એટલે કહે છે મારે જ્ઞાનમાં અડધું રહેવાય છે ને અડધું નથી રહેવાતું, તે જ્ઞાન જ ન્હોય. એનું નામ અજ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાન. કાયમ માટે અજવાળું.
જ્ઞાન કોનું નામ કહેવાય ? તાળો બધી રીતે મળવો જોઇએ. વિરોધાભાસ ઉત્પન્ન થવો ના જોઇએ. જ્યાંથી બોલે ત્યાંથી, પચાસ વર્ષ પછીય એ વાક્ય મળતું આવવું જોઇએ અને જ્ઞાન જ ફળ આપે. જ્ઞાન સફળ જ હોય, પ્રકાશ છે એ તો !
શુદ્ધ જ્ઞાત એ જ પરમાત્મા ! પ્રશ્નકર્તા : જ્ઞાન એ પરમાત્માનો ગુણ ખરો ?
થાય ?
દાદાશ્રી : જ્ઞાન એ જ પરમાત્મા છે પણ આ જ્ઞાન નહીં. જે તમે જાણો છો ને, આ જગત જે જાણે છે ને, એ જ્ઞાન નહીં. જગત જે જાણે