________________
જ્ઞાન - અજ્ઞાન
૨૧૯
૨૨૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
આખા હિન્દુસ્તાનમાં કોઈને બેસે નહીં. આ સમજણ જુદી છે. તમને પહોંચે છે આ ! તમને બેસી જાય છે. જુઓને, અજાયબી છે ને ! નહીં તો ના બેસે.
દાદાશ્રી : કશુંય નહીં. જ્ઞાન પરિણામ એટલે આ સૂર્યના કિરણ જેવું. સૈયને એ પરિણામ દેખાડે. શેયને જ્ઞાન શૈયાકાર દેખાડે, બસ એટલું જ. રાગ-દ્વેષ હોય તો જ છે તે મન ઊભું થાય અને તો જ અજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: તો પછી જ્ઞાન કોને કહો છો ? અજ્ઞાન તો સમજ પડી. રાગ-દ્વેષનું પરિણામ અજ્ઞાન. અને જ્ઞાન ?
દાદાશ્રી: વીતરાગતા. ક્યાંય ચોંટે નહીં, તો ગાંઠ ના હોય. પ્રશ્નકર્તા : તો પછી એ જ્ઞાન એ ચેતન થયું ?
દાદાશ્રી : જ્ઞાન ચેતન છે. અજ્ઞાન એ ચેતન તો ખરું પણ મિશ્રતન.
પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાનની સારી ગાંઠો કેમ ના બાઝે ?
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન પરિણામનાં સ્પંદન તો છે જ ને !
દાદાશ્રી : ના. એને સ્પંદન ના હોય. સ્પંદન તો બધું અજ્ઞાનમાં જ હોય. જ્ઞાન પરિણામ તો, જેમ સૂર્યનારાયણનો આ પ્રકાશ પડે, એમાં સ્પંદન હોતું નથી. એ તો સ્વાભાવિકતા છે. અજ્ઞાન દશામાં સ્પંદન હોય. સ્પંદન એટલે મોજાં ઊઠવા. કો'ક ફેરો મોટા ઊઠે, કોઇ નાના ઊઠે.
એ જ્ઞાન પ્રકાશને ગાંઠો-બાંઠો ના હોય, તેથી નિગ્રંથ કહ્યું. નિગ્રંથ મુનિ કહ્યાં. ગાંઠવાળો તો ફૂટે હંમેશાં. ગાંઠને પાણી મળે એટલે ફૂટે. એટલે ક્રોધ-માન-માયા-લોભ એ બધી ગાંઠો કહેવાય. તે હમણે લક્ષ્મી દેખે લોભની ગાંઠ ફુટે હડહડાટ. આપણે લગ્નમાં જઈએ તો માનની ગાંઠ ફૂટે અને જ્ઞાનમાં ગાંઠ ના હોય તો ફૂટે નહીં કોઈ જગ્યાએ.
દાદાશ્રી : જ્ઞાનની ગાંઠો પડતી હશે ? જ્ઞાન પ્રકાશ કહેવાય. પ્રકાશની ગાંઠો હોય નહીં ને ?! પુદ્ગલ મહીં ભેગું ભળે ત્યારે ગાંઠ થાય.
અજ્ઞાત જ મોટું આવરણ !
પ્રશ્નકર્તા : અજ્ઞાન સિવાય બીજા કયા આવરણ હોય ?
દાદાશ્રી : અજ્ઞાન તો બહુ મોટું આવરણ છે. આખું જગત એમાં ફસાયું છે અને ભગવાનો ય પણ એમાં ફસાયા હતા. અજ્ઞાન આવરણ તે કંઈ જેવું તેવું મોટું છે ?!
પ્રશ્નકર્તા : હવે બેઠું. અજ્ઞાન પરિણામમાં પુદ્ગલ ભળે છે, એટલે જ ગાંઠો થઈ.
દાદાશ્રી : એ ભળે છે ત્યારે જ ને ! પણ અજ્ઞાન પરિણામ એ પુદ્ગલ સાથે હોય જ. ભળે એવું નહીં. અજ્ઞાન પરિણામ જ પુદ્ગલને લઈને છે. પુદ્ગલ ના હોત તો જ્ઞાન પરિણામ હોત. બેસતું નથી પાછું ? ઊભું થઈ ગયું?
પ્રશ્નકર્તા : ના, ના, બેઠું ને !
દાદાશ્રી : હા કહે તો બેસે પાછું. નહીં તો બેઠું હોય તો ય પાછું ઊભું થઈ જાય.
પ્રશ્નકર્તા : એ બરાબર બેઠું ના હોય, ત્યાં સુધી ઊભું થાયને ? દાદાશ્રી : ઊભું થઈ જાય, હી. એને બેસાડવું. બેસાડે ત્યારે છૂટકો.
હા, પણ આટલા શાસ્ત્રોથી ય જરાય ખસતું નથી. એવું જે અજ્ઞાન આવરણ એની તો વાત જ કેટલી મોટી ?! એની બાઉન્ડ્રી કેવડી મોટી ?! બીજું શું કરવા ખોળો છો ?
બીજું કશું આવરણ હોય જ નહીં. પણ આટલું અજ્ઞાન છે તોય નાભિપ્રદેશો થોડા ખુલ્લા છે. જેટલાં ખુલ્લાં હોય છે એટલું જીવન વ્યવહાર ચાલે. નહીં તો ઘોર અજ્ઞાનતા છે. બધું આવરણ જ છે એ તો, અજ્ઞાન જ છે. એનાં ગમે તેટલાં ટૂકડા કરો તો તેનું તે અજ્ઞાન જ છે.