________________
જ્ઞાન - અજ્ઞાન
૨૧૭
૨૧૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : ના સમજાય.
પ્રશ્નકર્તા ઃ કે અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ અહંકાર કરે છે એ.
દાદાશ્રી : આ તો ભઈ આવ્યા તેથી વાત નીકળી, નહીં તો નીકળે નહીં ને આવી ઝીણી વાત. વાત તો મેં કહી દીધી. વાત સમજવા જેવી છે, ઝીણી છે.
જ્ઞાત એટલે પ્રકાશ, સમજ નહીં પ્રશ્નકર્તા: ‘જ્ઞાન એટલે પ્રકાશ, સમજ નહીં' તે સમજાવો.
દાદાશ્રી : જ્ઞાનથી પ્રકાશ આપણે ધરીએ કોઈને તો એને સમજમાં આવે કે આ વાત આવી રીતે કરવાની છે. જ્ઞાનનો પ્રકાશ ના હોય તો સમજમાં જ આવે નહીંને ! સમજ વસ્તુ જુદી છે અને જ્ઞાન વસ્તુ જુદી છે. જ્ઞાન આપણે બોલીએ, એટલે એની સમજમાં આવે કે સ્ટેશન આ બાજુ છે, આમ છે, તેમ છે. આ રસ્તેથી આ રસ્તે, આ રસ્તે એની સમજણમાં બેસી જાય. કહેશે, ‘હા, બરોબર. હા, મને ખ્યાલ આવ્યો.” એટલે સમજણ વસ્તુ જુદી છે ને જ્ઞાન એ પ્રકાશ છે અને સમજણ એટલે એ પ્રકાશથી આપણને ફળ મળે છે. અને ફળથી પછી કાર્ય થાય છે.
એટલે આ જ્ઞાન-અજ્ઞાનને લઈને કર્મ થાય છે. એ ઉપાદાન અને એ અહંકાર જે કહો તે એ. એ પોતે જ. પણ આમ ખરેખર અહંકાર જુદો પડે છે. અહંકાર જુદો દેખાય અને આ તો જ્ઞાન અને અજ્ઞાન, પ્રકાશ ને અંધારું તેના આધારે જ એ કરે છે.
પ્રશ્નકર્તા : હા. પણ જ્ઞાન હોય, અજ્ઞાન હોય અને અહંકાર ના હોય તો પછી શું થાય ? તો કર્મ થાય જ નહીં ને ?
અહીંથી સ્ટેશન જવાનું જ્ઞાન એ તમને સમજણ પાડે. જ્ઞાન કહે પહેલું, નકશો ચીતરી આપે બધું, તો તમારી સમજણમાં આવે પછી તમે કહો કે મને સમજણ પડી. જ્ઞાન કોઈ દેખાડે તો પછી શું કહો તમે ?
દાદાશ્રી : અહંકાર હોય જ. જ્યાં જ્ઞાન ને અજ્ઞાન બે ભેગું હોય ત્યાં અહંકાર હોય જ.
પ્રશ્નકર્તા : સમજણ પડી.
પ્રશ્નકર્તા: અજ્ઞાન હોય એટલે અહંકાર હોય ?
દાદાશ્રી : હોય જ. જ્યારે અજ્ઞાન જતું રહે ત્યારે અહંકાર જતો રહે. ત્યાં સુધી જ્ઞાન ને અજ્ઞાન જોડે રહેવાનું. એને ક્ષયપક્ષમ કહેવામાં આવે
દાદાશ્રી : “મને સમજણ પડી ! એ સમજણ એ વસ્તુ જુદી છે, જ્ઞાન વસ્તુ જુદી છે. સમજણ પડે એ વર્તનમાં આવે પછી. સમજણ ના હોય તો જ્ઞાન ગમે એટલું પ્રકાશ ધરીએ તોય વર્તનમાં આવે નહીં.
અ
.
અજ્ઞાત પુદ્ગલ કેવી રીતે ? પ્રશ્નકર્તા : અજ્ઞાન પુદ્ગલ છે, જ્ઞાન પુદ્ગલ નથી એ કેમનું,
પ્રશ્નકર્તા: તો જ્ઞાન મળ્યા પછી જે પુરુષ થાય છે તો પુરુષ કયો ભાગ કહેવાય ?
કહેશો?
દાદાશ્રી : જ્ઞાન એ જ પુરુષ. એમાં વળી ભાગ કેવો ? અજ્ઞાન એ છે તે પ્રકૃતિ. જ્ઞાન-અજ્ઞાનનું ભેગું સ્વરૂપ એ પ્રકૃતિ. જ્ઞાન એ જ પુરુષ, એ જ પરમાત્મા. જ્ઞાન એ જ આત્મા છે. જે જ્ઞાન, વિજ્ઞાનસ્વરૂપનું હોય એ આત્મા છે, એ જ પરમાત્મા છે.
દાદાશ્રી : મન, એ પુદ્ગલ છે અને અજ્ઞાનનું કુતુહલ પરિણામ છે. મન એ અજ્ઞાન પરિણામની ગાંઠ છે. બાકી જ્ઞાન પરિણામની ગાંઠો નથી હોતી.
પ્રશ્નકર્તા : તો પછી મનનું જ્ઞાન પરિણામમાં શું થાય ?