________________
જ્ઞાન - અજ્ઞાન
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
છું પણ થતું નથી. એની મેળે ગાયા કરે. એવું કંઈ સાંભળેલું તમે કોઇ માણસ બોલતો હોય એવું ?
પ્રશ્નકર્તા ઃ ઘણાં ય બોલતા હોય છે.
દાદાશ્રી : બધા ય આ બોલે, આ જ બોલે છે. જાણેલું અવશ્ય થવું જ જોઇએ અને ના થાય તો જાણવું કે એણે જાણ્યું જ નથી. અને વિચારેલું જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય. એ તો જડ જ્ઞાન કહેવાય. જડ વિચારોથી જે ઉત્પન્ન થાય એ તો જડ છે. વિચારો જ જડ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન આ સહજ રીતે જે આવતું હશે કે સહજ રીતે થતું હશે એનું શું કારણ ?
દાદાશ્રી : એને બધું આગળ છે તે બીજા ભવોનો બધો માલ ભરેલોને, તે બધો સમજી સમજીને ભરેલો. તે સહજ રીતે ઉત્પન્ન થાય. સમજીને-જાણીને મહીં ભરેલો. વિચાર કરીને જાણેલું એ કામ લાગે નહીં. પછી સમજીને ભરેલું હોય તો કામ લાગે.
પ્રશ્નકર્તા: તે આ સમજીને ભરેલું હોય તો એ સહજમાં આવી જાય.
દાદાશ્રી : સહજમાં આવે તો જ એ વિજ્ઞાન કહેવાય, નહીં તો વિજ્ઞાન જ ના કહેવાય.
આ હિન્દુસ્તાનમાં એક પણે માણસ જ્ઞાન તો ભલે બાજુએ રહ્યું, પણ અજ્ઞાન જાણી શકે, તેના હું દર્શન કરવા તૈયાર છું. કોઇ અજ્ઞાન પણ સંપૂર્ણ જાણી શક્યો નથી હજુ. કારણ કે અજ્ઞાન જે સંપૂર્ણ જાણે, તે સામે કિનારે જ્ઞાનને સમજી જાય. જેમ ઘઉને જાણે એ કાંકરાને સમજી જાય અગર કાંકરાને જાણે એ ઘઉંને ઓળખી જાય. બેઉ શીખવું ના પડે, એક જ શીખવું પડે.
પૌલિક જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે અને આત્મજ્ઞાનને જ્ઞાન કહેવાય છે. તે જો પુદ્ગલનું બધું જ્ઞાન ના હોય તો આત્માનું જ્ઞાન થાય નહીં. કારણ કે ભૂલથાપ ખઈ જાય. એટલે એને નિર્ભેળ કરવા માટે બન્ને જ્ઞાન જોઇએ. આત્મા એકલો નિર્ભેળ બની શકે નહીં. જો પુદ્ગલનું જ્ઞાન ના હોય તો પછી થોડો ભેળસેળવાળો થઇ જાય.
પ્રશ્નકર્તા: જે કારણે આપણે જગતમાં આવ્યા એ જ કારણ આપણને મોક્ષે નહીં લઈ જાય ?
દાદાશ્રી : ના. જગતમાં લાવનારું કારણ જુદું હતું. આ કારણ જુદું. જગતમાં લાવનારું કારણ એ અજ્ઞાનતા હતી અને જ્ઞાનથી આ બાજુ મોક્ષે જઇએ. અજ્ઞાનથી જગત ભણી ચાલ્યા, હવે જ્ઞાનથી આ બીજી બાજુ એટલે મોક્ષે જઇએ. એટલે અજ્ઞાનથી જેટલું ચાલ્યા'તા એટલું બધુંય પાછું ફરવું પડશે, જો ચાલ્યા ના હોત તો ફરવું ના પડત પાછું. તે જે જે ખાંચામાં ફરી આવ્યા તે બધા ખાંચામાં રહીને પાછું આવવું પડશે. એટલે અજ્ઞાનથી ઊભું થયું'તું આ જગત, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. ‘હું કોણ છું' એ ભૂલી ગયો, એનું ભાન જતું રહ્યું. હવે ‘હું કોણ છું’ એવું ભાન કરાવીએ એટલે છૂટું થતું જાય.
માયાનું સાચું સ્વરૂપ ! પ્રશ્નકર્તા : માયા એટલે શું ?
દાદાશ્રી : માયા એટલે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે નહીં દેખાતાં, જુદાં જ સ્વરૂપે દેખાય, આપણને ભૂલાવામાં નાખી દે. એને એક
જરૂરી છે “બંધતતું જ્ઞાત' થવું! હજુ તો બંધનમાં આવ્યો છું એવું જાણતા નથી. ‘હું બંધનમાં છું' એ જાણે ત્યારે જાણવું કે આ માણસ કંઈક ઊંચી સમજણશક્તિ ધરાવે છે. બંધનમાં આવ્યો છું એમ જાણે, ત્યારથી જ છે તે મુક્તિની આરાધના કરે. નહીં તો કરે નહીંને ! આ તો નથી બંધનમાં આવ્યો, નથી મુક્ત થયો.
નથી ભલીવાર આમાં આવ્યો, નથી આમાં આવ્યો. ના સંસાર રૂડો દેખાયો, સંસારમાં પાર વગરની આધિ-વ્યાધિ ને ઉપાધિ અને ના મોક્ષમાર્ગની વાત થઈ !