________________
જ્ઞાન - અજ્ઞાન
૧૯૭
૧૯૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
રહે છે અને આ પ્રતિષ્ઠિત આત્મા એના નર્કના ચારિત્રમાં હોય છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠા કરેલી વસ્તુ. ‘આપણે' મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ છીએ ને ? એ પ્રતિષ્ઠા ફળ આપે છે પછી, એક્ટ્રકટનેસ કહેવાય.
છમાં આત્મ ય છે, એ છ વસ્તુ સમસરણ થયા કરે છે, નિરંતર પરિવર્તન થયા કરે છે. એ પરિવર્તનમાં ભેગા થાય, તેનાથી આ વ્યતિરેક ગુણો બધા ઉત્પન્ન થયા.
સ્વરૂપનું અજ્ઞાન તેથી કરીને સ્વરૂપમાં કંઈ આઘુંપાછું થયું નથી. તારું ‘હું'પણું બદલાયેલું છે. એ ગમે તે કો'કના ધક્કાથી બદલાયું કે એની વે (કોઈ પણ રસ્તે) બદલાયું. પણ બદલાયેલું છે એકઝેકટ. માટે એ ‘હું પણું એના મૂળ જગ્યાએ બેસી જાય એટલે થઈ ગયું. કશું છે જ નહીં આમાં. અસ્તિત્વ તો છે જ. પણ વસ્તુત્વનું તને ભાન રહ્યું નથી. માટે એ ભાન તારું આવી જાય તો તું તે જ રૂપે છું. આત્મા ફરી સમો કરવો પડતો હોત તો તો કોઈનો ય ના થાય. પછી આ તો લોકો એમ જાણે છે કે આ સમો કરીએ. એને સ્થિર કરીએ તો એની ચંચળતા જાય એ બધું આ ડખામાં પડી ગયા છે.
બજોતું આદિ વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન કે અજ્ઞાન એ બન્નેનું આદિ કયું ?
દાદાશ્રી : બન્નેનું આદિ વિજ્ઞાન. મૂળ આત્મા, વિજ્ઞાનમય આત્મા. એમાંથી આ જ્ઞાન ને અજ્ઞાન, તડકો-છાંયડો બે શરૂ થઈ ગયા. એને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થયા એટલે ક્રોધ-માનમાયા-લોભ ઊભા થયા. તેમાં ક્રોધ ને માન એનાથી ‘હું' થયું અને લોભ અને કપટથી ‘મારું થયું.
પ્રશ્નકર્તા : વ્યતિરેક ગુણો જે ઉત્પન્ન થયા એટલે અજ્ઞાન ઊભું થયું?
દાદાશ્રી : વ્યતિરેક ગુણો એ જ અજ્ઞાન. તે ના હોય તો કશું છે નહીં. એ બેના ભેગા થવાથી ઊભું થયું.
પ્રશ્નકર્તા : વિજ્ઞાનમાંથી જ્ઞાન અને અજ્ઞાન કેવી રીતે ઊભું થયું ? દાદાશ્રી : આ વિજ્ઞાન એટલે આત્મા. આ છ વસ્તુઓ ભેગી થઈ,
એટલે આ છ વસ્તુઓ ભેગા થવાથી, વ્યતિરેક ગુણો ઊભાં થયા અને વ્યતિરેક ગુણોનો આ સંસાર છે બધો. છ વસ્તુઓ છૂટી પાડવાથી વ્યતિરેક ગુણો ઊડી જાય કે બધું ઊડી ગયું.
અહંકારતી ઉત્પતિ ! પ્રશ્નકર્તા : પણ આ અહંકાર ના હોત તો આત્મશોધ કેવી રીતે થાત? સાપેક્ષ તો ખરું ને કંઈક ?
દાદાશ્રી : એ ના હોત કે હોત, એ તો અજ્ઞાનતાનો સ્વભાવ છે કે અજ્ઞાનતા વગર અહંકાર ઊભો જ ના રહે. અજ્ઞાનતા હતી ત્યાં સુધી અમને યુ અહંકાર હતો..
પ્રશ્નકર્તા : અહંકાર ક્યાંથી આવ્યો ને કોને આવ્યો ?
દાદાશ્રી : ક્યાંથી આવ્યો ને ક્યારે નહીં. આ જે ભોગવે છેને, તે અહંકાર છે.
પ્રશ્નકર્તા : કોને અહંકાર આવ્યો ? દાદાશ્રી : જેને અણસમજણ તેને. અજ્ઞાનને અહંકાર આવ્યો. પ્રશ્નકર્તા : અજ્ઞાન કોનું ?
દાદાશ્રી : બે વસ્તુ. અજ્ઞાન અને જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા અને અજ્ઞાન એટલે અનાત્મા. તેને અહંકાર આવ્યો, અજ્ઞાનને. એટલે અહંકાર આવ્યો તેનું આ બધું ઊભું થઈ ગયું. તે રાત-દહાડો ચિંતા-ઉપાધિઓ, સંસારમાં ના ગમે તોય પડી રહેવું પડેને, ક્યાં જાય છે ? ક્યાં જવાય ? ત્યાં ને ત્યાં જ. એટલે અહીં ખાટલામાં સૂઈ રહેવાનુંને, ઊંઘ ના આવે તોય ?
પ્રશ્નકર્તા : અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયો ?