________________
જ્ઞાન - અજ્ઞાન
૧૯૩
૧૯૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ઉપાધિ. આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત એવો આત્મા, નિરંતર સમાધિ સ્વરૂપ!
આમાં “પોતે' કોણ ?
થાય છે, મને ક્રોધ થાય છે, મને લોભ થાય છે. એટલે જે દુઃખિયો છે, એને દુઃખથી મુક્ત કરાવવા માટે કરીએ છીએ ! બાકી મુક્ત જ છો ‘તમે' તો. પણ તમારી સમજણમાં, તમે દુ:ખિયા છો એ પેસી ગયું છે, ભૂત પેસી ગયું છે. ખાલી ભૂત છે, એ ભૂત જ કાઢવાનું છે.
આપણે અહીંયા આગળ રાત્રે સૂઈ ગયા હોય અને દહાડે છે તે ભૂતની વાતો સાંભળી-વાંચી હોય, રાત્રે એકલાં સૂઈ ગયા હોય અને જોડેની રૂમમાંથી પ્યાલો ખખડ્યો, ઉંદરડાએ ખખડાવ્યો, એ આપણા મનમાં અસર સાડા બાર વાગે થઇ કે ભૂત આવ્યું. એટલે ભડકનાં માર્યા જોવા ય ના જઇએ. આખી રાત વેદન કર્યા કરીએ. અને સવારમાં વહેલાં ઊઠતાં જ ત્યાં તપાસ કરીએ ત્યારે તો ઉંદરડાએ કર્યું હોય.
એ ભૂત છ કલાક આટલું બધું હેરાન કરે છે. તો આ ભૂત પેઠેલું અનંત અવતાર હેરાન કરે, અજ્ઞાનતાનું ભૂત. બાકી નહીં તો તમે મુક્ત જ છો. તમને કોઇ બંધન છે જ નહીં.પણ તમને એવી અસર થવી જોઇએ. અનુભવ એવો થવો જોઇએ.
અને સબ સંત પુરુષો બતાતા હૈ. મૈસા બતાતા હૈ? કાન બૂટી પકડો ! “અરે ભઈ, આ તો મારો દમ નીકળી જાય છે. મારો હાથ દુખે છે ને ! આમ પકડાયને સીધું.’ તે સીધું ના પકડાવે. કારણ કે એણે વાંકું પકડેલું છે. અને મેં તો સીધું પકડેલું છે તે સીધું પકડાતી દેવડાવું. કારણ કે હું જોઇને બોલું છું. જગતના સંતો નીચે રહીને વિચારીને બોલે છે જ્યારે હું ઉપર રહી અને વગર વિચાર્યું આંખો મીંચીને બોલું છું. કારણ કે બધું મારા અનુભવમાં આવેલું છે ને ઉપર ચઢેલો છું. ઉપર ચઢીને બોલું છું. આ અને લોકો નીચે રહીને વર્ણન કરે છે. તેનો માર ખવડાવ્યોને બધો. - સાચો ભોમિયો મળ્યો હોત તો આ દશા જ ન હોત ને ! અને જપ કરાવ્યાં, તપ કરાવ્યાં, શાના હારુ મૂઆ આ બધું ખેતર ખેડાવડાવ્યા ? ખેતર ખેડે એટલે પાછાં એનો દંડ, એનો જોવા-જાણવા આવવું પડે ને ! પાછું ખાવા જવું પડે ને પાછું વાવવા જવું પડે ને નથું ઉપાધિ ઉપાધિ ને
‘પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે. “પોતે પોતાના જ્ઞાનથી છૂટી જાય. ‘આત્મા’ તો જ્ઞાનવાળો જ છે, પણ ‘આ’ જો જ્ઞાનવાળું થાય, બેઉ છૂટાં પડી જાય.
પ્રશ્નકર્તા ઃ તો તમે ‘આને જ્ઞાનવાળું કરો છો ? દાદાશ્રી : હા, તો બીજા કોને ? પેલો તો આજેય જ્ઞાની જ છેને! પ્રશ્નકર્તા ઃ એટલે આવરણો જતાં રહે ?
દાદાશ્રી : આવરણો જતાં રહે, બસ. આ આવરણ છે એ ઊડી જાય, એટલે વ્યક્ત થાય. અવ્યક્ત છે તે વ્યક્ત થાય.
પ્રશ્નકર્તા તો જ્ઞાની કોણ થાય છે, તમે જ્ઞાન આપો છો ત્યારે ? દાદાશ્રી : અજ્ઞાની છે તે જ્ઞાની થાય છે. આત્મા તો જ્ઞાની જ છે. પ્રશ્નકર્તા : અજ્ઞાની કોણ છે ?
દાદાશ્રી : આ હું અને મારું, જે બંધાયેલો કહે છે કે, મને દુઃખ છે, એ અજ્ઞાની છે.
પ્રશ્નકર્તા : એટલે અશુદ્ધ ચેતનને તે ચેતન કરો છો, એવું થયું કહેવાય બીજી ભાષામાં ?
દાદાશ્રી : હા, અશુદ્ધ ચેતનને શુદ્ધ કરીએ છીએ. અશુદ્ધ ચેતન જે છે, તે પાછું મૂળ ચેતન નથી, પાવર ચેતન છે. એટલે એને અમે શુદ્ધ કરીએ છીએ. એ સંપૂર્ણ શુદ્ધ થાય તો બેઉ છૂટાં પડી જાય.
પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મા બોલો એટલે પાવર ચેતન જે છે, એનો પાવર વધતો જાય ?