________________
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દઈએ એટલે શુદ્ધ થયા. ચાર્જ કરતી વખતે રાગ-દ્વેષ ર્યા એટલે અશુદ્ધ થયા અને ડિસ્ચાર્જ કરતી વખતે જોઈને જવા દો એટલે વીતરાગતાથી જવા દો એટલે શુદ્ધ થઈ ગયા.
પ્રશ્નકર્તા : દાદા, પણ પુદ્ગલને શું કરવું ? ખરી વસ્તુ તો આત્મા છે !
વિશ્રસા તો આ જીવમાત્રને થાય છે જો કે, પણ એમને બંધ પાડીને વિશ્રસા થાય છે, જ્યારે અહીં બંધ પડ્યા સિવાય સંવરપૂર્વક વિશ્રા થાય છે.
સાબુય પોતે તે કપડું ય પોતે ! પ્રશ્નકર્તા : એ તો એ વખતે એને એમ તો વિચાર થાય કે અત્યાર સુધી જે પુદ્ગલ છે એ ‘હું છું’ એમ માનીને ચાલ્યો તે ય મારી ભૂલ છે ભઈ, હવે હું ભૂલ સુધારું છું. અને તારી જોડે જ સંયોગ થયો તે મહેરબાની કરી ને હવે તું સંયોગ છોડ, આ સિવાય બીજું શું છે ?
દાદાશ્રી : કશુંય નહીં. તમારો જ્ઞાયક સ્વભાવ છોડશો નહીં. શું થઈ રહ્યું છે એ જોયા કરો, શેયને. પુદ્ગલ શેય છે અને તમે જ્ઞાયક છો. મનમાં જે વિચારો આવ્યા એ બધાય શેય છે અને તમે જ્ઞાયક છો. એ વિચારો સારા-ખોટા તમારે હવે જોવાનું રહ્યું નહીં. તમારે તો એને આ શેય છે. માટે જોવાના. એને જુઓ એટલે સ્વચ્છ થઈને પછી ઊડી જાય છે. એને શુદ્ધ કરવાની જરૂર. આપણે શુદ્ધ થયા પણ એને શુદ્ધ કરીએ, તો આપણે છૂટા થઈએ, બસ. એ ફાઈલો છે.
પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા બતાવ્યો, હવે એને બીજું તો કંઈ રહ્યું નહીં.
દાદાશ્રી : ના, ના. એ શું છોડી આપે ? પાવર ચેતન બિચારું ! કઈ રીતે કેટલું કરે ? એ શું છોડવાનું હતું ? આપણા જોવાથી એ છૂટી જ જાય. તે એક-એક દોરો છૂટતો ગયો. તે પણ આવા લાખ દોરા હોય, તે લાખે ય છૂટતા જાય ને ફરી ના બંધાય. આપણે છૂટા થઈ ગયા. દોરો દોરાને ઘેર ગયો, આપણે આપણા ઘેર ગયા, એમાં શું બાકી રહ્યું ?
પ્રશ્નકર્તા : તો આપણે આ બધું બોલવાનું છે, એ આપણા પુદ્ગલને શુદ્ધ કરવા માટે જ બોલવાનું છેને ?
- દાદાશ્રી : બધું પુદ્ગલને શુદ્ધ થવા માટે. હા, ત્યાં સુધી દશા પૂરી થશે નહીં. આપણને દાદાએ શુદ્ધ કર્યા, હવે આ પુદ્ગલનું શુદ્ધિકરણ બાકી છે. એનું અશુદ્ધ થતું બંધ થઈ ગયું. હવે અત્યારે એવું શુદ્ધિકરણ થાયને, તો એક અવતાર પૂરતું ચાલે એવું છે. આજ્ઞામાં રહીએ એટલે શુદ્ધિકરણ થયા કરે.
દાદાશ્રી : આપણું પોતાનું ના રહ્યું, પણ આ ગુનેગારી રહીને આ પાછલી.
પ્રશ્નકર્તા : એ ભોગવી લઈશું, એ વાંધો નહીં. ઉદયમાં એવું કંઈ હોય તો ભોગવી લઈશું.
દાદાશ્રી : ના. ભોગવી લે, એવું એકલું ના ચાલે. ભોગવી લે, એ તો તમે ભોગવી લો. પણ તે પાછો ફરી એનો નિકાલ નહીં થાય, એનો નિવેડો નહીં આવે. ત્યારે એ શું કહે છે કે દરેક પુદ્ગલને ‘જોઈને' કાઢો કે તમે જ્ઞાયક છો અને આ જોય છે પુદ્ગલ. જો તમે જ્ઞાયક-શેયનો સંબંધ રાખશો, ત્યારે શેય છે તે સ્વચ્છ થઈ, ચોખ્ખા થઈને ચાલ્યા જશે. શેય એટલે પુદ્ગલ, જે અસ્વચ્છ છે તે સ્વચ્છ થઈને ચાલ્યા જશે. એટલે જેટલા જેટલા સ્વચ્છ થઈને ગયા એટલી ફાઈલોનો નિકાલ થઈ ગયો. શુદ્ધ કર્યું એટલે પરમાણુ પછી વિશ્રસા થઈ જાય છે. સંવર રહે છે, બંધ થતો નથી.
પ્રશ્નકર્તા : આ આખું સાયન્સ પુદ્ગલને શુદ્ધ કરવાનું છે ને ? આ આજ્ઞારૂપી જે પાંચ વાક્યો છે કે આ બધું જે વિજ્ઞાન, એ પુદ્ગલને શુદ્ધ કરવા માટે જ છે ને ? આત્માને કંઈ લેવા-દેવા નથી.
દાદાશ્રી : મૂળમાં તો પુદ્ગલને ય શુદ્ધ કરવાની (એટલે કરવાપણાની ક્રિયાની) આપણે કંઈ જરૂર નથી. આપણે જો આપણી જે શુદ્ધ દશા (જ્ઞાતા-દ્રષ્ટા) છે, એમાં અશુદ્ધિ (હું કરું છું) મનાય નહીં, તો