________________
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
૧૮૩
૧૮૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : નહીં, નહીં, નહીં. ચંદુભાઈ જીવતાં છે. તમે શુદ્ધાત્મા છો ને ચંદુભાઈ જીવતાં છે. આ હોય લોહી-માંસ-પરૂનું ને બધાનું પૂતળું, આ જીવતું છે. નિવેડો લાવવો પડે એ તો !
પ્રશ્નકર્તા : અમે કોઈનું ખરાબ કરતા નથી, વ્યવસ્થિત છે એ પ્રમાણે થયા કરે. - દાદાશ્રી : ના, એવું ના ચાલે. આ શું કહે છે કે “તમે અમને ખરાબ ક્યાં છે, તમે અમને આ વિકૃત બનાવ્યા. અમે જે પુદ્ગલ ચોખ્ખા હતા, પ્યૉર હતા, શુદ્ધ હતા, તેના અમને અશુદ્ધ બનાવ્યા, ઇચ્યૉર બનાવ્યા, વિકૃત બનાવ્યા તમે. “આપણે” ભાવ કર્યા ત્યારે વિકૃત થયાને ! - પ્રશ્નકર્તા : પણ દાદા, પુદ્ગલને વળી, જડને સ્વકૃતિ શું ને વિકૃતિ
દાદાશ્રી : મહીં પાવર ચેતન છેને ! તમે જુદા ને આ પુદ્ગલ ચેતનભાવવાળું જુદું છે. પુદ્ગલમાં પાવર-ચેતન છે, સાચું ચેતન નહીં.
પ્રશ્નકર્તા : પુદ્ગલને ખરાબ કોણે કર્યું?
દાદાશ્રી : “આપણે” ભાવ કર્યા તે જ ભાવકર્મ. એ જ પુદ્ગલ ઊભું થયું. જો ભાવકર્મ ના થયા હોત તો આ પુદ્ગલ ઊભું ના થાત. પુદ્ગલને કશું લેવા-દેવા નથી. એ તો વીતરાગ જ છે બિચારું. ‘તમે” ભાવ કરો એટલે તરત એ પરિણામ પામી જાય. એટલે અશુદ્ધ પરમાણુ થયા છે, તેને શુદ્ધતાથી શુદ્ધ કરવાના છે એ પરમાણુને. બીજું કશું નહીં.
એટલે જેટલાં ડિસ્ચાર્જ બાકી છે એટલા અશુદ્ધ રહ્યા છે, તે ય અત્યારે તમારા જોઈ જોઈને જવા દેશો એટલે શુદ્ધ થઈને ચાલ્યા જશે.
પરમાણુ શુદ્ધ કરવા પણ કઈ રીતે ? આપણે શુદ્ધાત્મા તો થઈ ગયા, હવે આપણે કામ શું રહ્યું કે આ શું કહે છે ? ચંદુભાઈ શું કહે છે? પુદ્ગલ કહે છે ભઈ, અમે તો ચોખ્ખા જ હતાં, તમે અમને આવાં રૂપમાં કર્યા, માટે અમને ચોખ્ખા કરી નાખો,
જેવાં હતાં તેવાં.
પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલને ચોખ્ખું કરવાનું પાછું ?
દાદાશ્રી : હા, તે પેલું સમભાવે નિકાલ કરી ને એટલું પુગલ ચોખ્ખું થઈ ગયું.
પ્રશ્નકર્તા : એ જેમ આપણે ડિસ્ચાર્જનો સમભાવે નિકાલ કરતાં ગયા બધાં, એમ બધા પુદ્ગલના પરમાણુઓ પવિત્ર થઈ જાય ?
દાદાશ્રી : બસ, એ ચોખ્ખાં જ થઈ જાય. પવિત્ર નહીં, ચોખા ! પવિત્ર થયા ને અપવિત્ર થયા એમ નહીં, પણ પ્યૉર, એના મૂળ ફોર્મમાં !
પ્રશ્નકર્તા : બગડેલા પરમાણુ જે ચોખ્ખા કરીને આપવા પડે, એ કઈ રીતે ?
દાદાશ્રી : કોઈ ગાળો ભાંડે ને આપણે સમતા રાખીએ તે ઘડીએ બધા પરમાણુ ચોખ્ખા થાય છે.
પ્રશ્નકર્તા : પછી સમતા ના રહી તો એ પરમાણુ પાછાં અશુદ્ધ જ રહ્યા ?
દાદાશ્રી : ના રાખે તો એટલાં બગડ્યા. પ્રશ્નકર્તા : ને પછી પ્રતિક્રમણ કરી લે તો ? દાદાશ્રી : તોય બગડે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો ધોવાઈ જાયને ?
દાદાશ્રી : કચરો રહે. સમતા જેવું ચોખ્ખું ના થાય !આપણે જે જે આવે એને શુદ્ધ કરીને કાઢવાના. સામટું શુદ્ધ થાય નહીં. જેટલું આવે તેમ તેમ, દિવસ ઉગે ને જેટલું આવે એટલું શુદ્ધ. એ પાંચ આજ્ઞાથી બધું શુદ્ધ થાય. ફાઈલોનો સમભાવે નિકાલ કરવાથી શુદ્ધ થઈ જાય બધું. શુદ્ધ સ્થિતિમાં ક્યારે મૂકાય કે એ ડિસ્ચાર્જ થતી વખતે એને ‘જોઈને' જવા